By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: આઠ મહિના બાદ જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી નજરકેદમાંથી મુક્ત
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > આઠ મહિના બાદ જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી નજરકેદમાંથી મુક્ત
GeneralNational

આઠ મહિના બાદ જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી નજરકેદમાંથી મુક્ત

HM News
Last updated: 25/03/2020 10:20 AM
HM News
5 years ago
Share
SHARE

આપણે સરકારના આદેશોનું પાલન કરવું જોઈએઃ ઉમર અબ્દુલ્લા

એજન્સી, શ્રીનગર

જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના નેતા ઉમર અબ્દુલ્લાને લગભગ આઠ મહિના બાદ નજરકેદમાંથી મુક્ત કરવામાં આ્યા છે. જનસુરક્ષા કાયદો (પીએસએ) એંતર્ગત લગાવવામાં આવેલા આરોપો હટાવાયા બાદ તેમને મુક્ત કરવાના આદેશ આપવામાં આવ્યા. 10 માર્ચના દિવસે જ તેમની 50મી વર્ષગાંઠ હતી. અબ્દુલ્લાએ 5 ઓગસ્ટના રોજ જમ્મુ-કાશ્મીરનો વિશેષ રાજ્યનો દરજ્જો હટાવ્યા બાદ તેમને નજરકેદ કરવામાં આવ્યા હતા.

પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ નજરકેદમાં 232 દિવસ વિતાવ્યા છે. નજરકેદમાંથી મુક્ત થયા બાદ તેમણે મીડિયા સાથે વાત કરી હતી. તેમાં તેમણે કહ્યું કે આજે મને આ વિશે જાણ થઈ કે લોકો જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. જે લોકો અત્યારે કેદમાં છેતેમને છોડી દેવા જોઈએ. આપણે કોરોના વાયરસ સામે લડત આપવા માટે સરકારના આદેશોનુંપાલન કરવું જોઈએ.
ઉમર અબ્દુલ્લાને એવા સમયે કેદમાંખથી મુક્ત કરવામાં આવ્યા છે કે જ્યારે થોડા દિવસ અગાઉ જ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કહ્યું હતું કે અથવા તો તેમને બને તેટલું જલ્દી મુક્ત કરો અથવા તો કોર્ટ અબ્દુલ્લાની બહેન સારા પાયલટની અપીલ પર સુનાવણી કરે. અબ્દુલ્લાને કેદમાં રાખવાના મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્રને કહ્યું હતુ્ં કે જો તમે ઉમર અબ્દુલ્લાને મુક્ત કરવાના હોવ તો જલ્દી કરી દો અથવા તો પછી અમારે ધરપકડ સામે કરાયેલી તેમની બહેનની અપીલ પર સુનાવણી કરવી પડશે.

શિવસેનાને વધુ એક ઝટકો : ઉદય સામંત નૉટ રીચેબલ
Budget 2023 : બજેટ બાદ શું થશે સસ્તુ-મોંઘુ? 35 પ્રોડક્ટોની કિંમતો વધારવાની તૈયારી, લિસ્ટમાં આ ઉત્પાદનો પણ સામેલ
બારડોલી વિભાગ રાજપૂત સમાજ ટ્રસ્ટની મિટિંગ મળી, નવા ટ્રસ્ટીઓની વરણી કરાઈ
ચીનમાં 500 થિયેટર્સ ખુલ્યા પણ એક પણ ટિકિટ ન વેચાઈ
IT દરોડામાં થયો પર્દાફાશ : અભિનેત્રી તાપસી પન્નુ પાસે 44 કરોડની તો ફિલ્મ ડિરેકટર અનુરાગ કશ્યપ પાસે 806 કરોડની સંપતિ
Share This Article
Facebook Email Print
Previous Article ઈટાલીમાં બીજા વિશ્વયુદ્ધ કરતા પણ ભયંકર સ્થિતિ, 24 જ કલાકમાં મૃતાંકે તોડ્યો પોતાનો જ રેકોર્ડ
Next Article 21 દિવસના Lockdownમાં દેશની ઈકોનોમીને થઈ શકે છે 120 અરબ ડૉલરનું નુકસાન
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up