By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: આવતીકાલથી માર્કેટ યાર્ડ ધમધમતા થશે: ગુજરાત સરકારનો નિર્ણય
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > આવતીકાલથી માર્કેટ યાર્ડ ધમધમતા થશે: ગુજરાત સરકારનો નિર્ણય
GeneralGujarat Now

આવતીકાલથી માર્કેટ યાર્ડ ધમધમતા થશે: ગુજરાત સરકારનો નિર્ણય

HM News
Last updated: 14/04/2020 10:43 AM
HM News
5 years ago
Share
SHARE

ગુજરાતમાં લોકડાઉન વચ્ચે રાજ્યના માર્કેટ યાર્ડ શરૂ કરવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે.મુખ્યમંત્રી વિજયભાઈ પાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની અધ્યક્ષતામાં ગઈકાલે તમામ માર્કેટ યાર્ડના ચેરમેન સાથે વીડિયો કોન્ફરન્સ યોજવામાં આવી હતી આજે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી અને આવતીકાલથી રાજ્યના માર્કેટ યાર્ડ શરૂ કરવામાં આ માટે દરેક જિલ્લા કક્ષાએ ખાસ કમિટીની રચના કરવામાં આવી છે.જે આ માર્કેટ યાર્ડ કયારે શરૂ કરવા અને કેવી રીતે શરૂ કરવા તે અંગેની રણનીતિ આખરી કરશે.

મુખ્યમંત્રીના સચિવ અશ્ર્વિનીકુમારના જણાવ્યાનુસાર આ જિલ્લા કક્ષાની સમિતિનાં અધ્યક્ષ જિલ્લા રજિસ્ટ્રાર રહેશે.બાગાયત અધિકારી, ખેતીવાડી અધિકારી,બજાર સમિતિનાં સભ્યોને સમાવવામાં આવશે.ખેડૂતોની જણશની ખરીદી માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરીને નિયત દિવસે માર્કેટ યાર્ડમાં માલનું વેચાણ કરી શકશે. જરૂર પડયે વેપારી સીધા ખેડૂતોના ખેતર પરથી માલ ઉતારી શકશે.ખેડૂતોને વેચાણને લઈ યોગ્ય સોશિયલ ડિસ્ટન્સ જાળવવા, માસ્ક, સેનિટાઈઝર વગેરેની વ્યવસ્થા માર્કેટ યાર્ડ મારફતે કરવામાં આવશે.

માર્કેટ યાર્ડ શરૂ કરવાની બાબતમાં સ્પષ્ટપણે ભારપૂર્વક જણાવ્યું હતું કે,જિલ્લાની પરિસ્થિતિ મુજબ અધિકારીઓએ માઈક્રો મેનેજમેન્ટ કરવામાં આવશે અને આ માર્કેટ યાર્ડ કયારે શરૂ કરવા તેની આખરી સત્તા આપવામાં આવી છે.કોરોના જયાં છે ત્યાં તમામ પ્રકારની સાવચેતી રાખવામાં આવશે.
શકય હોય ત્યાં સુધી ખેડૂતો સેમ્પલ બતાવીને સીધો જ માલ વેચાણ કરે અને પારદર્શક રીતે થાય તેથી માલના લોર્ડિંગ અને અનલોર્ડિગનો સવાલ ઉભો ન થાય તે રીતે કામ કરશે.બોટનલાઈન સંક્રમણ ન થાય તે રીતે ખેડૂતો માલ વેચવાની તક મળે તે રીતે આવતીકાલથી ગમે ત્યારે જિલ્લા સમિતિ માર્કેટ યાર્ડ શરૂ કરાવી શકશે.દરેક જિલ્લામાં પ્રોફેટ પેટર્ન હોય તે રીતે ઘઉં, ચણા,રાયડા જેવી પાકની જણસી પ્રમાણે પારદર્શક રીતે પુરતા ભાવો મળે તે હેતુસર વ્યવસ્થા ઉભી કરવામાં આવી હોવાનું અશ્ર્વિનીકુમારે જણાવ્યું છે.વધુમાં ટૂંકમાં કહીએ તો ખેડૂતો સીધો જ માલ વેપારીને વહેંચશે પરિણામે માલના લોર્ડિંગ અને અનલોર્ડિંગના પ્રશ્ર્નો ઉભા ન થાય.

બિહારમાં ગુંડારાજ – બેફામ બદમાશોએ કર્યું 11 લોકો પર ફાયરિંગ : 7 પોલીસકર્મી સસ્પેન્ડ : જુઓ વિડિઓ
સુરતના કતારગામમાં પાલિકાના અધિકારીઓએ માસ્કનો દંડ ઉઘરાવતા ટોળાએ ઘેરાવ કર્યો
ચીને કોરોના વાયરસનું વુહાનની લેબમાં નિર્માણ કર્યું : અમેરિકી ન્યૂઝ ચેનલનો સનસનીખેજ દાવો
ગુજરાતમાં BJPનો આજે ‘મેગા શો’ : અમિત શાહ અને જેપી નડ્ડા કરશે પ્રચંડ પ્રચાર
યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લોદિમીર ઝેલેન્સ્કી સાથે ફોન પર વાત કરશે PM મોદી
Share This Article
Facebook Email Print
Previous Article ‘હું કોરોના ફેલાવીશ ..’લખાણ લખેલી ચબરખીઓ રસ્તા પર ફેંકાતા ગભરાટ
Next Article વિશ્વમાં કુલ કેસ ૧૯ લાખથી વધુ : મૃત્યુઆંક ૧.૧૯ લાખને પાર
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up