By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: આવા બેદરકાર લોકો જ કોરોના સામેની લડતને નબળી કરી રહ્યા છે
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > આવા બેદરકાર લોકો જ કોરોના સામેની લડતને નબળી કરી રહ્યા છે
GeneralNational

આવા બેદરકાર લોકો જ કોરોના સામેની લડતને નબળી કરી રહ્યા છે

HM News
Last updated: 23/03/2020 10:02 AM
HM News
5 years ago
Share
SHARE

રવિવારે પણ કેટલાક લોકોએ વડાપ્રધાન મોદીની અપીલના ધજાગરા ઉડાવ્યા

એજન્સી, નવી દિલ્હી

નોંધનીય છે કે દેશમાં કોરોના વાયરસ વાયુ વેગે પોતાનો પ્રકોપ ફેલાવી રહ્યો છે. તેવામાં કેટલાક લોકો સરકાર તરફથી સતત થઈ રહેલી તમામ અપીલો અને આજીજીઓને નજરઅંદાજ કરીવને ઘોર બેદરકારી દર્શાવી રહ્યા છે. દેશમાં કેટલીક જગ્યાઓએ તો રવિવારે પણ વડાપ્રધાન મોદીની જનતા કરફ્યૂની અપીલના પણ ધજાગરા ઉડાવી દીધા હતા.

આજે પણ લોકડાઉનનો આદેશ અપાયા છતા પણ કેટલીક જગ્યાઓ પર લોકોની ભીડ જોવા મળી રહી છે. જેનાથી નારાજ થઈને વડાપ્રધાને લોકો સમક્ષ પોતાની નારાજગી વ્યક્ત કરી છે. આજે કોરોના વાયરસ જેવી મહામારી સામે જ્યારે એક થઈને લડવાનો સમય છે ત્યારે કેટલાક સંદિગ્ધો હોસ્પિટલમાંથી ભાગી રહ્યા છે. લોકોને એક જગ્યાએ ભેગા થવાની સતત ના પાડવા છતા પણ લોકો ભેગા થઈ રહ્યા છે. કોરોના વાયરસે દુનિયાભારમાં મચાવેલા તાંડવને જોઈને પણ લોકો તેની ગંભીરતાને નથી સમજી રહ્યા.

– 22 માર્ચના રોજ એક તરફ લોકોએ જનતા કરફ્યૂનું સજ્જડ પાલન કર્યું હતું ત્યાં બીજી તરફ દિલ્હીના આલમી મરકજ બંગલાવાળી મસ્જિદમાં મોટી સંખ્યામાં મુસલમાનો પહોંચ્યા હતા. જ્યાં લોકો એક-બીજાના ગળે મળી રહ્યા હતા.

બેદરકારી દાખવીને ટ્રેનમાં પ્રવાસ કરતા લોકો

– ઉત્તર પ્રદેશના કાનપુરમાં 25 માર્ચ સુધી લોકડાઉન જાહેર કર્યા બાદ પણ શાક માર્કેટમાં લોકોના ટોળે-ટોળા ઉમટ્યા હતા.

– દિલ્હીના નોઈડા તરફ જતા રસ્તાઓ પર વાહનોની લાંબી-લાંબી લાઈનો જોવા મળી હતી. જ્યારે પોલીસ તેમને રોકવાનો પ્રયત્ન કરતી જોવા મળી.

સમાજવાદી પાર્ટીના નેતા રામાકાંત યાદવ

– સમાજવાદી પાર્ટીના નેતા રામાકાંત યાદવે વિવાદાસ્પદ અને મૂર્ખતાભર્યું નિવેદન આપતા કહ્યું કે, કેટલી શરમજનક વાત છે કે કોરોના માટે દેશમાં ઈમરજન્સી લાગુ કરી દેવામાં આવી છે. જોકે, તેમના આ નિવેદન પર જરૂરી કલમો લગાવીને ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

– દિલ્હીના લોકનયાક જનપ્રકાશ નારાયણ હોસ્પિટલમાંથી 19 માર્ચના રોજ કોરોનાના છ સંદિગ્ધો ભાગી ગયા. જેમને બીજા જ દિવશે શોધી પાડીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

બોલિવૂડ સિંગર કનિકા કપૂર

– બોલિવૂડ સિંગરની ઘોર બેદરકારીને તો કયા શબ્દોમાં વર્ણવી તે જ નથી સમજાતું. પોતે વિદેશથી આવ્યા બાદ તે એરપોર્ટ પરથી સ્ક્રીનિંગમાંથી બચીને નીકળી ગઈ હતી. ત્યારબાદ તેણે ત્રણ પાર્ટીઓનું આયોજન કર્યું હતું. આ દરમિયાન 450થી વધારે લોકો તેના સંપર્કમાં આ્યા હતા.

હવે ઓવૈસીનું નવું હિન્દૂ નામ હશે …જનોઈ પહેરશે ઓવૈસી, કરશે રામ નામનો જાપ’,UP સરકારના મંત્રીએ વધાર્યું રાજકીય તાપમાન
Oscar Awards 2022: વિલ સ્મિથે આ કારણે ક્રિસ રોકને લાફો માર્યો, બાદમાં માફી માગી
ફુગાવાને કાબુમાં લેવા રિઝર્વ બેન્ક વ્યાજ દર વધારવાનું ચાલુ રાખશેઃ દાસ
આઇ.પી.એલ.ની મેચ પર સટ્ટો રમાડતા આરોપીની ધરપકડ
કોરોના મહામારી પછી મોદી સરકારની લોકપ્રિયતા ટોચ પર પહોંચી
Share This Article
Facebook Email Print
Previous Article ભારત સહિત વિશ્વના 35 દેશો લોકડાઉન હેઠળ
Next Article સ્પેનમાં 1 દિવસમાં કોરોનાથી 394નાં મોતથી ખળભળાટ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up