By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: કેન્દ્રે ઈ-કોમર્સને છૂટ આપીને રિટેલ વેપારીઓ સાથે અન્યાય કર્યોઃ અજય માકન
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > કેન્દ્રે ઈ-કોમર્સને છૂટ આપીને રિટેલ વેપારીઓ સાથે અન્યાય કર્યોઃ અજય માકન
GeneralNational

કેન્દ્રે ઈ-કોમર્સને છૂટ આપીને રિટેલ વેપારીઓ સાથે અન્યાય કર્યોઃ અજય માકન

HM News
Last updated: 18/04/2020 11:57 AM
HM News
5 years ago
Share
SHARE

કોંગ્રેસના પ્રવક્તાએ આક્ષેપ કર્યો કે ઓનલાઈન વેપારીઓને છૂટ આપવામાં આવી તે રિટેલ વેપારીઓ સાથે અન્યાય સમાન

નવી દિલ્હી,

કોંગ્રેસે શનિવારે લોકડાઉનના સમયગાળામાં છૂટક વેપારીઓની સ્થિતિની તરફેણ કરતા કેન્દ્ર સરકાર પર આક્ષેપ કર્યો કે તેઓ ઈ-કોમર્સ કંપનીઓને બિન આવશ્યક ચીજવસ્તુઓના વેચાણની છૂટ આપીને રિટેલ વેપારીઓ સાથે અન્યાય કરી રહ્યા છે.

કોંગ્રેસના પ્રવક્તા અજય માકને રિટેલ વેપારીઓને બરોબરની તક પુરી પાડવા માગ કરી હતી તેમજ ગૃહ મંત્રાલયને ઓનલાઈન વેચાણ માટે માર્ગદર્શિકા જાહેર કરવા જણાવ્યું હતું. રિટેલ વેપારીઓની દુકાનો છેલ્લા એક મહિનાથી બંધ પડી છે અને તેમના પ્રમુખ પ્રતિસ્પર્ધીઓએ ધંધો શરૂ કરી દીધો છે. બિન આવશ્યક ચીજવસ્તુઓના ઓનલાઈન વેચાણને છૂટ આપવામાં આવી છે.રિટેલ વિક્રેતાઓ સાથે આ અન્યાય થઈ રહ્યો છે અને સરકારે આવી મંજૂરી ના આપવી જોઈએ તેમ માકને જણાવ્યું હતું.

અગાઉથી જ નાનના વેપારીઓ નોટબંધી અને જીએસટીનો બેવડો માર સહન કરી રહ્યા હતા.આ ઉપરાંત ઓલાઈન જંગી ડિસ્કાઉન્ટ આપવામાં આવતું હોવાથી તેમના ધંધા પર જોખમ ઉભું થયું હતું.એક મહિનાથી વધુ સમયથી દુકાનો લોકડાઉનમાં બંધ છે ત્યારે છૂટક વેપારીઓની કમર તૂટી ગઈ છે.

દુકાનદારોને પગાર ચુકવવો પડે છે,ભાડું,નિયત વીજ બિલ અને પ્રોપર્ટી ટેક્સ ચુકવવો પડતો હોય છે.જ્યારે ગૃહ મંત્રાલયે ઈ કોમર્સ કંપનીઓ તેમજ તેમના ડીલિવરી વાળા વાહનોને 20 એપ્રિલથી મંજૂરી આપી દીધી છે.કેન્દ્ર સરકારના પરિપત્રમાં ઈ કોમર્સ કંપનીઓને બિન આવશ્યક ચીજવસ્તુના વેચાણથી રોકવામાં નથી આવી.અણે સરકાર અને ગૃહ મંત્રાલય સમક્ષ માગ કરીએ છે કે તેઓ આ બાબતે સ્પષ્ટતા કરે કે ઈ કોમર્સ કંપનીઓને બિન આવશ્યક ચીજો વેચવા છૂટ અપાઈ છે કે કેમ.સરકારે એવા પગલાં લેવા જોઈએ જેથી છૂટક વેપારીઓ પણ યોગ્ય તક પ્રાપ્ત થઈ શકે તેમ માકને પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું.

કોંગ્રેસના પ્રવક્તાના મતે સરકારે નાના વેપારીઓને ઉગારવા નક્કર પગલાં લેવા જોઈએ.અમે માગ કરીએ છે કે સરકાર નાના વેપારીઓ ઉપરનો ફિક્સ વીજ ચાર્જ માફ કરે તેમજ તેમના પરનું પગારનું ભારણ સૂક્ષ્મ તેમજ લઘુ ઉદ્યોગ ક્ષેત્રની સમાન કરે.નોકરીઓની દ્રષ્ટિએ રિટેલ સેક્ટર દેશમાં ઉપલબ્ધ કરાવાયેલ કુલ રોજગારીના 20 ટકા હિસ્સો ધરાવે છએ.માકને જણાવ્યું હતું કે આ ક્ષેત્રે 2.72 કરોડ પરિવારને રોજગારી પુરી પાડી રહ્યું છે.અન્ય રાજ્યોએ પણ કોંગ્રેસ શાસિત પંજાબ અને રાજસ્થાનની જેમ બિન રહેણાક જોડાણ પરના નક્કી વીજ ચાર્જને બે માસ મુલતવી રાખવા જેવા પગલાં લેવા જોઈએ

આદિલ દુર્રાનીએ ફાતિમા બાનો ઉર્ફે રાખી સાવંત સાથે લગ્ન કર્યા હોવાની વાતને ફગાવી, તો શું છે વાયરલ ફોટાનું સત્ય?
સુરત : સચિન GIDCમાં મોડી રાત્રે ભીષણ આગ, 3 વ્યક્તિ ભડથું થતા બચ્યા
ગુજરાત પહોચ્યા RSS સુપ્રીમો મોહન ભાગવત, સંઘ, ભાજપા, વિહિપ, બજરંગ દળ સહિત અનેક હિંદુવાદી સંગઠનોની કરશે મુલાકાત
કારીગર વર્ગ વતનથી આવવા માટે તૈયાર બેઠો છે, પરંતુ કારખાનેદારો રોકી રહ્યાં છે
આઇટીના ત્રણ કર્મચારીઓએ રૃ. ૧.૩૯ કરોડના ટીડીએસ રિફન્ડની રકમની ઉચાપત કરી
Share This Article
Facebook Email Print
Previous Article યુપી સરકારની શરતો સાથે ૧૧ પ્રકારના ઉદ્યોગોને શરૂ કરવાની પરવાનગી અપાઈ
Next Article કોરોના ઇફેકટ : નાના વેપારીઓનો ધંધો રોજગાર ઠપ્પ થતા અનેક વેપારીઓએ ધંધા બદલ્યા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up