By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: કોરોનાથી ફફડતુ અમેરિકાઃ રાષ્ટ્રીય કટોકટી જાહેર
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > કોરોનાથી ફફડતુ અમેરિકાઃ રાષ્ટ્રીય કટોકટી જાહેર
GeneralInternational

કોરોનાથી ફફડતુ અમેરિકાઃ રાષ્ટ્રીય કટોકટી જાહેર

HM News
Last updated: 14/03/2020 7:34 AM
HM News
5 years ago
Share
SHARE

કોરોનાએ ખતરનાક સ્વરૂપ ધારણ કરતા રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાતઃ ૫૦ અબજ ડોલરના ફંડની પણ જાહેરાતઃ કોરોના વાયરસે અમેરિકામાં અત્યાર સુધીમાં ૪૦ વ્યકિતઓનો ભોગ લીધો છે

વોશિંગ્ટન,તા.૧૪:અમેરિકા અને દુનિયામાં કોરોના વાયરસના વધી રહેલા ખતરાને ધ્યાનમાં રાખીને પ્રમુખ ટ્રમ્પે ભારતીય સમય પ્રમાણે શુક્રવારે મોડી રાત્રે એક વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરી હતી.આ દરમિયાન તેમણે આખા અમેરિકામાં કોરોના ના સંક્રમણને લઈને કટોકટી જાહેર કરી દીધી હતી.રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રેસ કનિદૈ લાકિઅ કોન્ફરન્સ અકિલા દરમિયાન જણાવ્યું કે સંક્રમણથી લોકોને બચાવવા માટે અનેક મહત્વપૂર્ણ પગલાં ભરવામાં આવી રહ્યા છે. એવો અંદાજ છે કે અમેરિકાની અડધી વસ્તી આ ખતરનાક વાયરસના જડબામાં આવી શકે છે.રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે દેશમાં કોરોના વાયરસ સામે લડવા માટે ૫૦ અબજ ડાઙ્ખલરના ફંડની જાહેરાત કરી છે.સાથે જ તેમણે અમેરિકાના તમામ રાજયમાં કોરોનાના ખતરા સામે લડવા માટે ઇમરજન્સી સેન્ટરો શરૂ કરવાની સૂચના આપી છે.નોંધનીય છે કે ન્યૂયાઙ્ખર્ક ટાઇમ્સના જમાવ્યા પ્રમાણે અત્યાર સુધી અમેરિકામાં કોરોના વાયરસથી સંક્રમણના બે હજારથી વધારે કેસ સામે આવી ચુકયા છે.સાથે જ ૪૦થી વધારે લોકોનાં મોત થઈ ચુકયા છે. આ પહેલા કોરોના વાયરસના ખતરાને જોતા અમેરિકાએ યૂરોપીથી અમેરિકાના પ્રવાસ પણ સંપૂર્ણ રીતે ૩૦ દિવસ સુધી પ્રતિબંધ લગાવી દીધો હતો.અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે, ‘આગામી થોડા સમય સુધી આપણે તમામ બદલાવ કરવો પડશે અને બલિદાન આપવું પડશે. તમારા થોડા બલિદાનનો ફાયદો લાંબા સમય સુધી થશે. આગામી આઠ અઠવાડિયા ખૂબ અગત્યના છે.’ ચીનમાં આશરે ત્રણ મહિના પહેલા દસ્તક દેનારા કોરોનાને વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી છે. કોરોના વાયરસને કારણે વિશ્વમાં પાંચ હજારથી વધારે લોકો મોતને ભેટી ચુકયા છે.વિશ્વમાં કોરોના વાયરસના સંક્રમણનો શિકાર બનેલા લોકોની સંખ્યા ૧,૩૪,૩૦૦થી વધારે છે.ભારતમાં કોરોના વાયરસને કારણે અત્યાર સુધી બે લોકોનાં મોત થઈ ચુકયા છે.સાથે જ ભારતમાં કોરોનાનો ચેપ લાગ્યો હોય તેવા લોકોની સંખ્યા ૮૨ પર પહોંચી છે.આ બીમારીને કારણે ચીનમાં અત્યાર સુધી ૩૧૭૬ જયારે ઇટાલીમાં ૧૦૧૬ લોકોનાં મોત થઈ ચુકયા છે.ઇરાનમાં આ બીમારીને કારણે ૫૧૪ લોકોનાં મોત થયા છે.ડિસેમ્બરમાં કોવિડ ૧૯ના ચેપનો પ્રથમ કેસ સામે આવ્યા બાદ હાલમાં તે ૧૨૧ દેશમાં ફેલાઇ ચુકયો છે. ૧,૩૪,૩૦૦થી વધારે લોકોને તેનો ચેપ લાગી ચુકયો છે.

BJP ઉમેદવારના ભાઈના ફ્લેટમાંથી મળ્યું સાડા 22 કિલો સોનું, નેપાળ પોલીસે હાથ ધરી તપાસ
સુરત જિલ્લાનું પ્રાકૃતિક કૃષિ મોડેલ દેશનું કૃષિ મોડેલ બનવાની ક્ષમતા ધરાવે છેઃ મોદી
GST થૂ જૂનમાં સરકારને મળ્યું 90,917 કરોડ રૂપિયાનું રાજસ્વ
સ્વામી ચિન્મયાનંદ સામે રેપનો આરોપ મૂકનારી કાયદાની છાત્રાએ હવે ફરી ગઈ : કહ્યું મેં એવો કોઈ આક્ષેપ કર્યો નથી
મહેસાણામાં બાકી રૂપિયા મુદ્દે સારવાર અટકાવી દેતા આઘેડનું મોત
Share This Article
Facebook Email Print
Previous Article સુરતમાં તાપી નદીના કિનારે શાનદાર રિવરફ્રન્ટ બનાવવાની મ્યુ. કમિશનરની જાહેરાતઃ વર્લ્ડ બેન્કે ૧પ૦૦ કરોડ આપવાની તૈયારી બતાવી
Next Article યસ બેન્કના ગ્રાહકો માટે ખુશખબરઃ ૧૮મી માર્ચે હટશે પ્રતિબંધો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up