By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: કોરોના વાયરસની ભારતમાં એક-બે સેક્ટરો પર જ અસર થશે : આરબીઆઇ ગવર્નર
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > કોરોના વાયરસની ભારતમાં એક-બે સેક્ટરો પર જ અસર થશે : આરબીઆઇ ગવર્નર
GeneralNational

કોરોના વાયરસની ભારતમાં એક-બે સેક્ટરો પર જ અસર થશે : આરબીઆઇ ગવર્નર

HM News
Last updated: 20/02/2020 3:31 PM
HM News
5 years ago
Share
SHARE

મુંબઇ,તા.૨૦
રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું છે કે, કોરોના વાઈરસનો ભારત પર સિમિત પ્રભાવ પડશે પરંતુ ચીનની અર્થવ્યવસ્થાનો આકાર જોતા વૈશ્વિક જીડીપી અને વ્યાપાર પર નિશ્ચિતપણે તેનો પ્રભાવ પડશે. ભારતમાં માત્ર એક-બે ક્ષેત્રો પર પ્રતિકૂળ પ્રભાવ પડી શકે છે પરંતુ તે મુદ્દાઓ પાર પાડવા માટે વિકલ્પો પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
ચીનમાં કોરોના વાઈરસના લીધે દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થા અટકી ગઈ છે અને તેનો પ્રભાવ સમગ્ર ઉદ્યોગ જગત પર જોવા મળી રહ્યો છે. તેમણે કહ્યું, દેશના ઔષધી અને ઈલેક્ટ્રોનિક ઉત્પાદન ક્ષેત્ર કાચા માલ માટે ઘણી હદ સુધી ચીન પર નિર્ભર છે અને તેની અસર જોવા મળી શકે છે.
તેમણે કહ્યું, નિશ્ચિતપણે આ મુદ્દો છે જેના પર ભારત કે અન્ય કોઈ પણ દેશમાં પ્રત્યેક નીતિ નિર્માતાઓએ નજર રાખવાની જરૂર છે. દરેક નીતિ નિર્માતા, નાણાંકિય સત્તાને કોરોના વાઈરસ મામલે નજર રાખવાની જરૂર છે. તેમણે કહ્યું કે, ૨૦૦૩માં ફેલાયેલા સાર્સની સરખામણીએ તે ઘણો મોટો છે. તે સમયે ચીનની અર્થવ્યવસ્થામાં લગભગ એક ટકાની સુસ્તી આવી હતી.
તેમણે કહ્યું કે, જ્યાં સુધી ભારતનો સવાલ છે ચીન મહત્વપૂર્ણ વ્યાપારી ભાગીદાર છે અને સરકાર તથા નાણાંકિય સત્તા બંન્ને સ્તરે નીતિ નિર્માતાઓને તેને લઈને સતર્ક રહેવાની જરૂર છે. જો ચીન સરકાર સમસ્યાને કાબૂ કરવામાં સફળ થાય તો વૈશ્વિક અર્થતંત્ર અને ભારત પર ઓછી અસર થશે.

કોરોના વાયરસઃ દુનિયાભરમાં 52,800થી વધારે મોત :10 લાખથી વધુ લોકો સંક્રમિત
મુંબઈને ફટકો : ઈજાગ્રસ્ત સૂર્યકુમાર આઇપીએલની બાકીની મેચ નહીં રમે
ભારત માલા પ્રોજેક્ટનો રસ્તો ખેતરમાંથી ન આપવા આદિવાસી ખેડૂતો મક્કમ
અમદાવાદમાં અત્યાર સુધી 10 વૉર્ડ રેડ ઝોનમાં, સુરતમાં કોરોનાનો કેર યથાવત
કોરોનાના કહેર વચ્ચે ચીને માંડ્યો ધંધો : સ્પેનને 3456 કરોડના મેડિકલ ઉપકરણો વેચ્યા
TAGGED:આરબીઆઇ ગવર્નરકોરોના વાયરસ
Share This Article
Facebook Email Print
Previous Article સ્વામી ચિન્મયાનંદના જામીનને પીડિતાએ સુપ્રિમ કોર્ટમાં પડકાર્યા : ૨૪મીએ સુનાવણી
Next Article એક્સિસ બેક્ન મેક્સ લાઇફનો ૨૦ ટકા હિસ્સો ખરીદશે : વાટાઘાટો શરૂ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up