By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ખંભાતમાં હિંસા માટે ઉશ્કેરણી બદલ ભાજપ-હિંદુવાદી સંગઠનોના 18 નેતા સામે નોંધાઈ એફઆઈઆર
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Kheda-Anand > ખંભાતમાં હિંસા માટે ઉશ્કેરણી બદલ ભાજપ-હિંદુવાદી સંગઠનોના 18 નેતા સામે નોંધાઈ એફઆઈઆર
GeneralKheda-Anand

ખંભાતમાં હિંસા માટે ઉશ્કેરણી બદલ ભાજપ-હિંદુવાદી સંગઠનોના 18 નેતા સામે નોંધાઈ એફઆઈઆર

HM News
Last updated: 29/02/2020 10:15 AM
HM News
5 years ago
Share
SHARE

મંગળવારે સાડા નવ કલાકે પૂર્વ ધારાસભ્ય સંજય પટેલ સહિત ભાજપના કેટલાક કાઉન્સિલર અને કાર્યકરો ગવારા ટાવર ખાતે એકઠાં થયા હતા.

ખંભાતઃ ખંભાતમાં થયેલાં કોમી રમખાણોના સંદર્ભમાં પોલીસે ભાજપના માજી ધારાસભ્ય સંજય પટેલ સહિત 18 લોકો સામે ગુનો નોંધ્યો છે. જેમની સામે એફઆઈઆર નોંધાઈ છે તેમાં મોટા ભાગના ભાજપ તથા હિંદુવાદી સંગઠનોના હોદ્દેદારો તથા કાર્યકરો છે. તેમની સામે મંજૂરી વિના ટોળાં એકઠાં કરવા અને ઉશ્કેરણીજનક ભાષણ કરવાનો ગુનો નોંધાયો છે.

ખંભાતમાં જેમની સામે ગુનો નોંધાયો છે તેમાં ભૂતપૂર્વ ધારાસભ્ય સંજય પટેલ ઉપરાંત પિનાકિન બ્રહ્મભટ્ટ (શહેર ભાજપ પ્રમુખ), કલ્પેશ પંડિત (શહેર ભાજપ ઉપપ્રમુખ), યોગેશ શાહ (ભાજપ કાર્યકર), નાનકાભાઈ પટેલ (રામસેના), જયવીર જોષી (રામસેના), નંદકિશોર બ્રહ્યભટ્ટ (વીએચપી), કેતન પટેલ (હિન્દુ જાગરણ મંચ), નીરવ જૈન(હિન્દુ જાગરણ મંચ), અશોક ખલાસી (ભાજપ કાઉન્સિલર), રાજુભાઈ રાણા (ભાજપ કાઉન્સિલર), બલરામ પંડિત (ભાજપ કાર્યકર), પાર્થિવ પટેલ (ભાજપ કાર્યકર) અને મંગો શાહ (પૂર્વ કાઉન્સિલર)નો સમાવેશ થાય છે.

ખંભાતમાં રવિવારે થયેલાં કોમી રમખાણના પગલે પોલીસે કોઈ પણ સમાજના માણસોને કે આગેવાનોને કોઈ રેલી , સભા, સરઘસ કે અન્ય કોઈ પણ પ્રકારની જાહેર સભાને પરવાનગી નહીં આપવાની જાહેરાત કરી હતી. આમ છતાં મંગળવારે સાડા નવ કલાકે પૂર્વ ધારાસભ્ય સંજય પટેલ સહિત ભાજપના કેટલાક કાઉન્સિલર અને કાર્યકરો ગવારા ટાવર ખાતે એકઠાં થયા હતા. તેમણે ઉશ્કેરણીજનક ભાષણો કર્યાં હતાં અને સૂત્રોચ્ચાર કરવા માટે આહવાન કર્યું હતું.

ખંભાતમાં ગત રવિવારે અકબરપુર વિસ્તારમાં બે કોમના ટોળાં સામ-સામે આવી ગયાં હતાં અને પથ્થરમારો અને આગચંપી કરી હતી. આ મામલે હિન્દુ સમાજના આગેવાનોએ મંગળવારે બંધનું એલાન જાહેર કર્યું હતું.

ન્યુયોર્કમાં દર 17 મીનિટે કોરોનાના કારણે મોત : 9 દિવસમાં ડાઉન થશે પેરામૅડિક સિસ્ટમ
ગુનો દાખલ નહીં કરનારા પોલીસ અધિકારીઓ સામે એફઆઇઆર નોંધાશે
માર્ચ ક્વાર્ટરનો જીડીપી ગ્રોથ માત્ર 2.7% રહેવાની સંભાવનાઃ SBIના ઈકોનોમિસ્ટ્સ
પલસાણા તાલુકાનાં બગુમરામાં તીન પત્તીનો જુગાર રમતા 6 ઝડપાયા
શરમજનક ઘટના : પાકિસ્તાનમાં મહિલાઓના કપડાં ઉતારી નગ્નાવસ્થામાં કરાવાઈ પરેડ : જુઓ વિડિઓ
Share This Article
Facebook Email Print
Previous Article AGR કેસઃ ભારતી એરટેલે ટેલિકોમ વિભાગમાં જમા કર્યા 8,004 કરોડ રૂપિયા
Next Article કોંગ્રેસની પૂર્વ કોર્પોરેટર ઈશરત જહાં 14 દિવસ રિમાન્ડ પર
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up