By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ખરીદી કરવા જવા ટુ-વ્હીલરના ઉપયોગ પર પ્રતિબંધ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Kheda-Anand > ખરીદી કરવા જવા ટુ-વ્હીલરના ઉપયોગ પર પ્રતિબંધ
GeneralGujarat NowKheda-Anand

ખરીદી કરવા જવા ટુ-વ્હીલરના ઉપયોગ પર પ્રતિબંધ

HM News
Last updated: 26/03/2020 6:15 AM
HM News
5 years ago
Share
SHARE

શાકમાર્કેટ, કરિયાણા અને દૂધની દુકાનોના સમય નક્કી કરાયા
– સંક્રમણથી બચો : જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ રહેઠાણની નજીકમાંથી જ મેળવવાની રહેશે

નડિયાદ

– કોરોના વાયરસન સંક્રમણને અટકાવવા માટે તેમજ જીવન જરૂરિયાત ચીજવસ્તુઓ સમયસર પ્રજાજનોને મળે તે માટે જિલ્લા કલેક્ટરે તાકીદની બેઠક બોલાવી હતી. તમામ બાબતે સ્પષ્ટ આદેશો જાહેર કર્યા છે. જેમાં જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ માટેની દુકાનો અને બજારો કયા સમયે ખુલ્લા રહેશે. લોકોએ ઘરની નજીકમાંથી જ આ વસ્તુની ખરીદી કરવી, તેમજ આ ખરીદી કરવા જવા માટે ટુ-વ્હિલરનો ઉપયોગ કરી શકાશે નહીં.

જિલ્લા કલેક્ટર કચેરીમાં અધિકારીઓ અને સ્ટોક હોલ્ડર સાથે મીટિંગ યોજાઇ હતી. મીટિંગ દરમિયાન જિલ્લા પોલીસ અધિક્ષક, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પુરવઠા અધિકારી, તમામ પ્રાંત અધિકારી, ચીફ ઓફિસર, નડિયાદ પાલિકા એ.પી.એમ.સી. (વેજીટેબલ) પીપલગના પ્રતિનિધિ, કરિયાણા એસોસીએશનના પ્રતિનિધિ હાજર રહ્યા હતા. સંક્રમણને અટકાવવા માટે નાગરિકોની હેરાફેરીને નિયંત્રીત કરાય તે જરૂરી છે. કેટલાક નાગરિકો દ્વારા આવશ્યક ચીજવસ્તુની ખરીદીના બહાને બિનજરૂરી હેરફેર કરાતી હોવાની બાબત ચર્ચા કરી તે અટકાવવાનું જરૂરી હોવાનું જણાવાયું હતું. જેથી કડક આદેશ કરાયા છે. જેમાં પીપલગ શાક માર્કેટ બપોરના ૧૨થી રાત્રિ ૮ કલાક સુધી જ ચાલુ રહેશે. તમામ વેપારીઓને જરૂરી ઓળખકાર્ડ એ.પી.એમ.સી. દ્વારા અપાશે. શાકભાજીના વાહનો માટેના પાસ સંબંધિત મામલતદાર દ્વારા ઇસ્યૂ કરાશે, સંતરામ મંદિર શાકમાર્કેટ સવારના ૫થી બપોરના ૧ કલાક સુધી જ ચાલુ રહેશે. આ વેપારીઓ જથ્થાબંધ માર્કેટમાંથી સાંજે ૫થી ૮ કલાક દરમિયાન જરૂરી જથ્થો મેળવી શકશે. નડિયાદ શહેરમાં કરિયાણું, પ્રોવિઝન, અનાજની દુકાનો સવારના ૭ કલાકથી બપોરના ૧ કલાક સુધી જ ચાલુ રહેશે. આવા દુકાનદારો તેમના સ્ટાફ માટેના પાસ મામલતદાર કચેરીથી મેળવી લેવાના રહેશે. શહેરમાં દૂધ પાર્લર અને ડેરીઓ સવારના ૭થી બપોરના ૧ કલાક અને સાંજે ૫થી ૭ કલાક સુધી વિતરણ કરી શકશે. પીપલગ એ.પી.એમ.સી. દ્વારા અલગ અલગ ૧૦ જેટલી જગ્યાએ વાહનો ઉભા રાખી શાકભાજીનું વેચાણ કરાશે. શાકભાજી, કરીયાણું દુધ લેવા જનાર નાગરિકોએ રહેઠાણની નજીકની ઉપલબ્ધ જગ્યાએથી આવી ચીજવસ્તુ મેળવવાની રહેશે. તે માટે ટુ-વ્હીલરનો ઉપયોગ થઇ શકશે નહીં.

હિન્દુ મહાસભાએ દુર્ગા માતાના પંડાળમાં ગાંધીજીને અસુર તરીકે દર્શાવ્યા
AAP+PAASનું સમીકરણ આ 4 જિલ્લા પંચાયત, 34 તાલુકા પંચાયત અને 11 નગરપાલિકામાં ભાજપને ફેલ કરશે ? સૌરાષ્ટ્રથી સુરત સુધી મચી છે રાજકીય ચહલપહલ..
14 વર્ષના વનવાસ બાદ પાટીદાર નેતા ધીરુ ગજેરાની ભાજપમાં ‘ઘરવાપસી’
બારડોલીમાં શાકભાજી માર્કેટ વિભાજન : અલગ અલગ ૧૩ સ્થળોએ માર્કેટ શરૂ કરાશે
આયુર્વેદ કે એલોપેથી મળે સરખો પગાર: સુપ્રીમ કોર્ટનો આદેશ
Share This Article
Facebook Email Print
Previous Article કોરોનાનો કહેર: શ્રીનગરમાં 65 વર્ષીય દર્દીનું મોત, દેશમાં કુલ સંક્રમિત લોકોનો આંકડો 649 થયો
Next Article સ્પેનના નાયબ વડાપ્રધાન કાર્મેન કાલ્વોને પણ કોરોના વાયરસ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up