By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ટ્રોલિંગના કારણે માનસિક સંતુલન ખોળવાતાં સ્વરા ભાસ્કર ડોકટરોના ભરોસે, નવી ફિલ્મ રિલીઝ થતાં જ સુપર ફ્લોપ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Entertainment > ટ્રોલિંગના કારણે માનસિક સંતુલન ખોળવાતાં સ્વરા ભાસ્કર ડોકટરોના ભરોસે, નવી ફિલ્મ રિલીઝ થતાં જ સુપર ફ્લોપ
EntertainmentGeneral

ટ્રોલિંગના કારણે માનસિક સંતુલન ખોળવાતાં સ્વરા ભાસ્કર ડોકટરોના ભરોસે, નવી ફિલ્મ રિલીઝ થતાં જ સુપર ફ્લોપ

HM News
Last updated: 22/09/2022 7:58 AM
HM News
3 years ago
Share
SHARE

ફિલ્મ ફ્લોપ જતા સ્વરા ભાસ્કરનું માનસિક સંતુલન ખોરવાયું છે.બોલિવૂડ અભિનેત્રી સ્વરા ભાસ્કરે પોતે જ એક ઇન્ટરવ્યુંમા કહ્યું છે કે ટ્રોલિંગના કારણે તે પોતાનું માનસિક સંતુલન જાળવવા માટે ડોક્ટરોની મદદ લઈ રહી છે.તેની ફિલ્મ ‘જહાં ચાર યાર’ પણ બોક્સ ઓફિસ પર ખરાબ રીતે ફ્લોપ રહી હતી.તેણે બોલિવૂડના તમામ લોકોને એક થવાની અપીલ કરી અને કહ્યું છે કે જો એકતા બની રહેશે તો હુમલા ઓછા થશે.સ્વરા ભાસ્કરે કહ્યું કે ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે આ સામાન્ય સમય નથી અને તેને ટાર્ગેટ કરવામાં આવી રહી છે.

Thank you for the love @PTC_Network #Debbie 💛🥰✨
Tooti phooti Punjabi ke liye muaaf kar do kudi nu 🙏🏽🙏🏽🤗🤗#jahaanchaaryaar pic.twitter.com/JBTFt0AmBW

— Swara Bhasker (@ReallySwara) September 21, 2022

સ્વરા ભાસ્કરનો દાવો છે કે તેને સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ કરવામાં આવે છે અને તેને ધમકીઓ પણ મળે છે.એબીપી ન્યૂઝ અનુસાર, સ્વરા ભાસ્કરે કહ્યું હતું કે તે પોતાનું માનસિક સંતુલન જાળવવા માટે સંઘર્ષ કરી રહી છે અને તમામ મુદ્દાઓ પર તેના ડૉક્ટરો સાથે વાત કરતી રહે છે.તેમણે ‘કનેક્ટ એફએમ કેનેડા’ સાથે વાત કરતા આ વાત કહી.તેણે કહ્યું હતું કે જો કોઈને કરણ જોહર પસંદ નથી તો તેનો અર્થ એ નથી કે તે હત્યારો છે.આ દરમિયાન તેણે અક્ષય કુમાર પર પણ નિશાન સાધ્યું અને કહ્યું કે તે જે પ્રકારની ફિલ્મોનું સમર્થન કરે છે તેનાથી તે સહમત નથી.સ્વરા ભાસ્કરે કહ્યું કે બોલિવૂડમાં કોઈ એકમત પર બોલતું નથી અને આ જ મુખ્ય સમસ્યા છે.તાજેતરમાં સ્વરા ભાસ્કરે તેની તાજેતરની ફિલ્મ ‘જહાં ચાર યાર’ના સ્ક્રીનિંગ માટે AAP (આમ આદમી પાર્ટી)ના ધારાસભ્યોને આમંત્રણ આપ્યું હતું.સ્ક્રિનિંગમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા પણ હાજર હતા.અમે આપને જણાવી ચુક્યા છીએ કે સ્વરા ભાસ્કરની ફિલ્મ ‘જહાં ચાર યાર’ શુક્રવારે (16 સપ્ટેમ્બર, 2022) ના રોજ રીલિઝ થઈ હતી,પરંતુ થિયેટરોમાં ન તો દર્શકો દેખાઈ રહ્યા છે અને ન તો IMDb પર રેટિંગ. ફિલ્મને IMDb પર માત્ર 4.5 રેટિંગ મળ્યા છે.પહેલા તે 1.1 હતો, પરંતુ અચાનક 10 રેટિંગ આપીને તેમાં વધારો કરવામાં આવ્યો.તે જ સમયે વિવેચકોએ પણ આ ફિલ્મને સખત રીતે નકારી કાઢી છે અને કહ્યું છે કે તે અશ્લીલ સંવાદો અને વિચિત્ર કોમેડીથી ભરેલી છે.

હાર્દિક પટેલે કહ્યું- ગોપાલ ઈટાલીયાને કોંગ્રેસમાં આવવું હતું અને…
રાજકોટમાં ભાજપના કોર્પોરેટરના પુત્રએ રીલ્સ બનાવી રૌફ જમાવ્યો, રિવોલ્વર સાથે કારના બોનેટ પર બેઠો
કુદરતી આફતથી અસરગ્રસ્ત ખેડૂતોને રાજ્ય સરકારે રૂ.10,000 કરોડથી વધુ રકમની સહાય ચૂકવી
અહો આશ્ચર્યમ્ -ગાંધી આશ્રમની વીઝીટર બુકમાં ગાંધીજીનું નામ જ નહીં..!
AMCના પૂર્વ વિપક્ષ નેતા દિનેશ શર્માએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યુ
Share This Article
Facebook Email Print
Previous Article વિધાનસભા ચૂંટણીને લઈને કોંગ્રેસે કમર કસી, ઓલપાડમાં રાહુલ ગાંધીએ આપેલા 8 વચનોની પત્રિકા વિતરણનું કામ શરૂ
Next Article પાકિસ્તાની મૌલવી ભડક્યું તાલીબાન-કહ્યું કે મોહમ્મદ અલી ઝીણા દારૂડિયા હતા, પહેલા તેનું નામ બદલો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up