By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: તબલીગી જમાતનાં મૌલાના સાદને ક્રાઇમ બ્રાન્ચે પ્રશ્ન પુછ્યા તો અટપટો જવાબ આપતા કહ્યું કે…
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > તબલીગી જમાતનાં મૌલાના સાદને ક્રાઇમ બ્રાન્ચે પ્રશ્ન પુછ્યા તો અટપટો જવાબ આપતા કહ્યું કે…
GeneralNational

તબલીગી જમાતનાં મૌલાના સાદને ક્રાઇમ બ્રાન્ચે પ્રશ્ન પુછ્યા તો અટપટો જવાબ આપતા કહ્યું કે…

HM News
Last updated: 04/04/2020 2:34 PM
HM News
5 years ago
Share
SHARE

દિલ્હીનાં નિઝામુદ્દીન વિસ્તારમાં આવેલી તબલીગી જમાતનાં મરકઝમાં નિયમોનું ઉલ્લંઘન કરીને ભીડ ભેગી કરનારા આરોપી મૌલાના સાદનું નિવેદન આવ્યું છે. મૌલાના સાદે ક્રાઇમ બ્રાંચની નોટિસનો જવાબ આપ્યો છે. તેમણે જવાબમાં કહ્યું કે તેઓ સેલ્ફ ક્વોરન્ટાઈનમાં છે. ક્રાઇમ બ્રાન્ચે મૌલાના સાદને 26 પ્રશ્ન પુછ્યા હતા. આ પ્રશ્નોનો જવાબ મૌલાના સાદે મોકલી દીધો છે.

મૌલાના સાદ હજુ સુધી ફરાર

મૌલાના સાદે કહ્યું કે તેઓ અત્યારે સેલ્ફ ક્વોરન્ટાઈનમાં છે અને અત્યારે મકરઝ બંધ છે. મરકઝ ખુલશે ત્યારે તેઓ બાકીનાં પ્રશ્નોનો જવાબ આપશે. ઉલ્લેખનીય છે કે માર્ચમાં મકરઝમાં થયેલા કાર્યક્રમમાં ભેગી થયેલી ભીડથી ફેલાયેલા કોરોનાને લઇને મૌલાના સાદ સહિત 6 લોકોની વિરુદ્ધ દિલ્હી પોલીસે કેસ નોંધ્યો છે. જો કે મૌલાના સાદ હજુ સુધી ફરાર છે. ધરપકડનાં પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

મસ્જિદમાં જઇને જ નમાઝ પઢવાનું કહ્યું હતુ

ઉલ્લેખનીય છે કે 2 એપ્રિલનાં મૌલાના સાદે પોતાના ઑડિયો જાહેર કર્યા હતા, જેમાં જણાવ્યું હતુ કે તેઓ આઇસોલેશનમાં છે. તેમણે પોતાના સમર્થકો અને મુસલમાનોને સરકારી આદેશોનું પાલન કરીને ભીડ ભેગી ના કરવાની અપીલ કરી. જો કે આ પહેલા જાહેર કરેલા એક ઑડિયોમાં મૌલાના બીમારીથી કંઇ નથી બગડવાનું તેવી વાત અને મસ્જિદોમાં જઇને જ નમાઝ પઢવાની વાત કરી રહ્યા હતા.

ક્રાઇમ બ્રાન્ચ તરફથી ફટકારવામાં આવી નોટિસ

ક્રાઇમ બ્રાન્ચ તરફ મોકલવામાં આવેલી નોટિસમાં સંગઠનનું આખું સરનામું અને રજિસ્ટ્રેશન સાથે જોડાયેલી જાણકારી, સંગઠન સાથે જોડાયેલા કર્મચારીઓની સંપૂર્ણ ડિટેલ, જેમાં ઘરનું સરનામું અને મોબાઈલ નબંર પણ સામેલ છે. મરકઝનાં મેનેજમેન્ટ સાથે જોડાયેલા લોકોની ડિટેલ માંગવામાં આવી છે. સાથે જ પુછવામાં આવ્યું છે કે આ લોકો ક્યારથી મરકઝ સાથે જોડાયેલા છે.

રાજુ ભરવાડે કનૈયા અને કિશોરની પાસે પીસાદ વાળી જમીનના બદલામાં આપેલ કામરેજ અને માંગરોળની જમીનના દસ્તાવેજ કબ્જે લેવાયા
યોગીએ આપ્યા એંધાણ, લોકો આગળ પણ જનતા કરફ્યુ માટે તૈયાર રહે
અંબાણી અને સંઘના વ્યક્તિએ બે ફાઇલ પાસ કરવા માટે 300 કરોડની ઑફર કરી હતી : સત્યપાલ મલિક
ચૈત્ર નવરાત્રિમાં ઉપવાસ દરમિયાન ભોજનમાં રાખો આ બાબતોનું વિશેષ ધ્યાન
રામ રામ જય શ્રી રામ …ભગવાન રામને મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ કેમ કહે છે, જાણો…
Share This Article
Facebook Email Print
Previous Article તબલીગી જમાતીઓએ 17 રાજ્યો સુધી કોરોના ફેલાયો, 35% દર્દીઓ જમાતના
Next Article કોરોના વાયરસ ફેલાવવા માટે વાસણોને ચાટી રહ્યા છે લોકો…
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up