By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: તબલીગી જમાત પર વિફર્યા રાજ ઠાકરે, કહ્યું – આવા લોકોને તો ગોળી મારી દેવી જોઇએ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > તબલીગી જમાત પર વિફર્યા રાજ ઠાકરે, કહ્યું – આવા લોકોને તો ગોળી મારી દેવી જોઇએ
GeneralNationalPolitics

તબલીગી જમાત પર વિફર્યા રાજ ઠાકરે, કહ્યું – આવા લોકોને તો ગોળી મારી દેવી જોઇએ

HM News
Last updated: 04/04/2020 2:07 PM
HM News
5 years ago
Share
SHARE

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાનાં પ્રમુખ રાજ ઠાકરેએ તબલીગી જમાતનાં લોકોને લઇને શનિવારનાં વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. કોરોનાની શંકામાં ક્વોરન્ટાઇન કરવામાં આવેલા જમાતીઓ દ્વારા મહિલા મેડિકલ સ્ટાફની સાથે કથિત અભદ્રતા પર પ્રતિક્રિયા આપતા રાજ ઠાકરેએ કહ્યું કે આવા લોકોને ગોળી મારી દેવી જોઇએ. તેમણે આવા લોકોની સારવાર રોકવાની પણ વાત કરી. સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આ મામલે મૌન તોડવા કહ્યું છે. ઠાકરેએ એક ઇન્ટરવ્યૂમાં આ વાત કહી છે.

નર્સો સાથે અભદ્ર વર્તન કરનારાઓને પાઠ ભણાવવાની જરૂર

રાજ ઠાકરેએ મીડિયાને જણાવ્યું કે, “દિલ્હીનાં નિઝામુદ્દીનનાં મરકઝમાં આ મીટિંગ થઈ. લૉકડાઉનનાં સમયે જમાતનાં આ જમાવડાથી કોરોના સામેનાં યુદ્ધને નુકસાન પહોંચ્યું. આવા લોકોને ગોળી મારીને ખત્મ કરી દેવા જોઇએ. તેમને સારવારની શું જરૂર? એક અલગ કાયદો બનાવીને આ લોકોની સારવાર રોકી દેવી જોઇએ. જો તેઓ વિચારે છે કે તેમનો ધર્મ દેશથી મોટો છે અને તેઓ કોઈ ષડયંત્ર કરી રહ્યા છે, તે લોકો પર થૂંકી રહ્યા છે, તે નર્સો સાથે અભદ્ર વર્તન કરી રહ્યા છે, તો તેમને પાઠ ભણાવવાની જરૂર છે. આવા લોકોને ખરાબ રીતે મારીને વિડીયો વાયરલ કરી દેવો જોઇએ.”

લોકડાઉનને ગંભીરતાથી લેવાની જરૂર

મનસેનાં ચીફ ઠાકરેએ કહ્યું કે, “આ સમય કોઈ ધર્મ પર ચર્ચા કરવાનો નથી, પરંતુ મુસ્લિમોથી જો આવું કંઇ કરી રહ્યા છે તો તેમના પર કાર્યવાહી કરવાની જરૂરિયાત છે. તેમણે સમજવાની જરૂરિયાત છે કે લોકડાઉન કેટલાક દિવસનું જ છે. ત્યારબાદ ત્યાં અમે લોકો હોઇશું.” રાજ ઠાકરેએ કહ્યું કે, “લોકડાઉનને ગંભીરતાથી લેવાની જરૂર છે. જો આને ગંભીરતાથી નથી લેવામાં આવતુ તો લોકડાઉનનો સમય વધશે અને ઉદ્યોગો પર ખરાબ અસર પડશે, જેનાથી આર્થિક સંકટ પેદા થશે.”

નોકરી અને ઉદ્યોગોનું શું થશે તેના પર PM મોદી બતાવે આશાનું કિરણ

રાજ ઠાકરેએ કહ્યું કે, “મુલ્લા અને મૌલવી ક્યાં છે? આ લોકોનાં મગજમાં શંકા પેદા કરી રહ્યા છે. જો કાલથી કોઈ પાર્ટી અથવા સરકાર કોઈ સ્ટેન્ડ લે છે તો પછી તેને દોષ ના આપો, કારેલું હંમેશા કારેલું જ રહેશે.” રાજ ઠાકરેએ શુક્રવારનાં પીએમ મોદીનાં ભાષણ પર પ્રશ્નો ઉઠાવતા કહ્યું કે, “પીએમે લોકોને કહ્યું કે 5 એપ્રિલનાં દીવો પ્રગટાવો, જો લોકો આવું કરવા ઇચ્છે છે તો કરવા દો, આ અંધવિશ્વાસ વિશે નથી, પરંતુ પીએમે લોકોને આશાનું કિરણ બતાવવું જોઇતુ હતુ અને વધારે ભરોસો આપવો જોઇતો હતો કે આવનારા સમયમાં નોકરીઓને લઇને શું થશે, ઉદ્યોગોનું શું થશે.”

વેરાવળમાં ત્રણ શખ્સો ૩૦૦ કિલો ગૌ માંસ સાથે ઝડપાયા
પલસાણા પોલીસે પકડેલો સરકારી અનાજનો ટેમ્પો છોડી મુકતા વિવાદ
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સ્વસ્થ થતાં હોસ્પિટલમાંથી રજા અપાઈ
બિહારનાં પૂર્વ સાંસદ-માફિયા ડોન મોહમ્મદ શાહબુદીનનું કોરોનાથી મોત?
દ. આફ્રિકામાં હિંસા કેમ ફેલાઈ? : ભારતીયો પર હુમલા અને લૂંટફાટ, અત્યાર સુધી 72 લોકોનાં મોત
Share This Article
Facebook Email Print
Previous Article ૧૪મી પછી લોકડાઉન હટાવવા ચાર અઠવાડિયાના પ્લાન પર વિચારણા
Next Article કોરોનાને લઇ મોદી સરકારને કામે લગાડનાર મૌલાનાની વૈભવી જિંદગી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up