By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 5 કેસ નવા : અરવિંદ કેજરીવાલ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gallery > દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 5 કેસ નવા : અરવિંદ કેજરીવાલ
GalleryNational

દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 5 કેસ નવા : અરવિંદ કેજરીવાલ

HM News
Last updated: 26/03/2020 8:19 AM
HM News
5 years ago
Share
The Chief Minister of Delhi, Shri Arvind Kejriwal calling on the Vice President, Shri M. Venkaiah Naidu, in New Delhi on September 02, 2017.
SHARE

એજન્સી, દિલ્હી

દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના પાંચ નવા કેસ સામે આવ્યા છે. જેમાંથી એક દર્દી ગત દિવસોમાં વિદેશથી પરત ફર્યો હતો. આમ દિલ્હીમાં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 35 થઇ ગઈ છે. દિલ્હીના મુખ્યમંત્રીએ જાણકારી આપતા જણાવ્યું હતું કે, ભલે દેશમાં લોકડાઉન પરિસ્થિતિ હોય પરંતુ આવશ્યક વસ્તુઓની ઉણપ સર્જાવા દઈશું નહિ. આ પહેલા કોરોના વાયરસથી સંક્રમણ પર નજર રાખતા અને જરૂરી ચીજ વસ્તુઓની સમીક્ષા રાખતા બુધવારે ફરીથી આ મામલે દિલ્હીમાં લેફટન્ટ ગવર્નર અનિલ બૈઝલની ઓફિસમાં એક બેઠક થઇ હતી. બેઠકમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહીત અન્ય ઉચ્ચ અધિકારીઓ હાજર હતા. બેઠકમાં મૂળભૂત સુવિધાઓ અને જરૂરી વસ્તુઓની ઉપલબ્ધતા જાળવી રાખવા માટે સમીક્ષા થઇ હતી.

બેઠકમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, રાજધાનીમાં કોઈપણ પ્રકારની વસ્તુઓની કમી થવા દઈશું નહિ. મૂળભૂત જરૂરિયાતો પૂર્ણ કરવી સરકારની જવાબદારી છે. દૂધ, શાકભાજી, જરૂરી દવાઓ જરૂર પડ્યે તમારા ઘરે પહોંચાડવામાં આવશે.

કેજરીવાલે જણાવ્યું હતું કે, દિલ્હી સરકાર, એલજી અને દિલ્હી પોલીસે સાથે મળીને નિર્ણય કર્યો છે કે અમે એક જ યુનિટની જેમ કાર્ય કરીશું. વડાપ્રધાન મોદીના મંગળવારના સંબોધન બાદ લોકોની ભીડ ઉમટી પડી હતી. એવામાં લોકડાઉનનો મતલબ શું રહ્યો? એવું કરવાથી કોરોના સામેની લડાઈ નબળી થશે. દિલ્હીમાં કોઈપણ વસ્તુઓની ખોટ આવશે નહિ અને કોઈપણ હાલતમાં ઘટાડો જોવા માટે મળશે નહિ તેવો કેજરીવાલે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, તંત્રે નિર્ણય કર્યો હતો કે દૂધ, શાકભાજી, દવા, માસ્ક વેચનારા અને સેનિટાઇઝર બનાવવા વાળા લોકોને ઈ પાસ આપવામાં આવશે. આજે સાંજ સુધી દરેકને ઈ પાસ આપવામાં આવશે. દિલ્હી સરકાર સુનિશ્ચિત કરશે કે જરૂરી વસ્તુઓની દુકાન ખોલશે અને પર્યાપ્ત માત્રામાં સામાન આપવામાં આવશે તેવી વ્યવસ્થા કરવામાં આવશે.

કેજરીવાલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીએ મંગળવારે જે સંપૂર્ણ દેશમાં લોકડાઉનનો જે નિર્ણય કર્યો છે તે જરૂરી છે. દરેક વ્યક્તિઓના સ્વાસ્થ્ય માટે જરૂરી છે. લોકો ઘરમાં જ રહે તેવી વિનંતી.

IPL રદ થાય તો BCCIને 4000 કરોડનું નુકસાન થશે
ભારતીય શેરબજારમાં ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્.…!!
જે પી નડ્ડાએ જણાવ્યું કે, ભાજપ બંગાળની ચૂંટણી જીતી શક્યું હોત પણ…
અમરાવતીમાં ઘટી મોટી દુર્ઘટના, બોટ પલટવાથી 11 લોકોના મોત, 8 ગુમ
રાહુલ ગાંધીએ ટ્વીટર પર પકડી રફ્તાર, દર અઠવાડિયે 80 હજાર નવા ફોલોઅર્સ જોડાઈ રહ્યા છે
Share This Article
Facebook Email Print
Previous Article લોકડાઉન દરમિયાન Parle ત્રણ કરોડ બિસ્કિટના પેકેટનું વિતરણ કરશે
Next Article કોરોના સામે મહાશક્તિ પણ લાચાર, USમાં માત્ર 24 જ કલાકમાં 223 લોકોના મોતથી હાહાકાર
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up