By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: નર્મદામાં 25 વ્યક્તિ કવોરનટાઇન હેઠળ,ઘર પર ચેતવણીભર્યા સ્ટીકરો લગાવાયા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Bharuch-Ankleshwar-Narmada > નર્મદામાં 25 વ્યક્તિ કવોરનટાઇન હેઠળ,ઘર પર ચેતવણીભર્યા સ્ટીકરો લગાવાયા
Bharuch-Ankleshwar-NarmadaGeneralGujarat Now

નર્મદામાં 25 વ્યક્તિ કવોરનટાઇન હેઠળ,ઘર પર ચેતવણીભર્યા સ્ટીકરો લગાવાયા

HM News
Last updated: 24/03/2020 11:36 AM
HM News
5 years ago
Share
SHARE

20 વ્યક્તિઓ 14 દિવસ સુધી હોમ કવોરનટાઈન હેઠળ હોય એ લોકોના નિવાસસ્થાને આરોગ્ય વિભાગ દ્વારા લાલ સ્ટીકર લગાવી દેવાયા : નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા અપાયેલ સેનેટાઈઝર અધિકારીઓ પોતાના ઘરે લઈ જાય છે ની બુમ..?!

રાજપીપળા: કોરોના વાયરસના સંક્રમણને નિવારવા નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સરાહનીય કાર્ય કરાઈ રહ્યું છે. જિલ્લામાં અત્યાર સુધી 5 વ્યક્તિઓ કવોરનટાઈન હેઠળ અને 20 વ્યક્તિઓ 14 દિવસ સુધી હોમ કવોરનટાઈન હેઠળ છે.જે લોકો હોમ કવોરનટાઈન હેઠળ છે એ લોકોના નિવાસસ્થાને આરોગ્ય વિભાગ દ્વારા લાલ સ્ટીકર લગાવી દેવામાં અકિલા આવ્યું છે, એ સ્ટીકરમાં કઈ તારીખ સુધી તેઓ હોમ કવોરનટાઈન હેઠળ છે એ દર્શવાયું છે.તો એ તારીખ સુધી એ ઘરની કોઈએ પણ મુલાકાત ન લેવી એવી ચેતવણી પણ અપાઈ છે. લાલ સ્ટીકર લગાવેલ ઘરના વ્યક્તિને કોરોના વાયરસ છે એવું માની લેવું નહિ જે તે જિલ્લામાં કોઈ પણ વ્યક્તિ વિદેશથી આવી હોય એ વ્યક્તિ સરકારના નિયમ મુજબ 14 દિવસ સુધી હોમ કવોરનટાઇન હેઠળ હોવાનું આરોગ્ય શાખા દ્વારા લગાવેલ લાલ સ્ટીકર દર્શાવે છે.કવોરનટાઇન હેઠળ રહેલા વ્યક્તિ ના હાથ પર ઓળખના ભાગ રૂપે સિક્કો પણ મારવામાં આવે છે.એમને કોરોના વાયરસ છે એવું માનવુ નહિ.સોશિયલ મીડિયામાં કોરોના વાયરસ મામલે ખોટી અફવા ફેલાવવા બદલ 3 વર્ષની સજા થઈ શકે છે કોરોના વાયરસ મામલે સોશિયલ મીડિયામાં અફવાઓનું બજાર ગરમ થયું છે.તો નર્મદા જિલ્લા પોલીસ વડા ડો. હિમકર સિંહે જણાવ્યું હતું કે ખોટી અફવા ફેલાવનારને 3 અથવા તેથી વધુ વર્ષની સજાની જોગવાઈ છે.જો અમારા ધ્યાનમાં એવું આવ્યું અથવા કોઈએ અમને એવી બાબત જણાવી તો તપાસ બાદ એની પર કાર્યવાહી પણ થઈ શકે છે.કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સેનેટાઈઝરની 500 ML ની 300 જેટલી બોટલો સરકારી અને બિન સરકારી કચેરીઓમાં આપવામાં આવી છે.ત્યારે સેનેટાઈઝરની બોટલો કેટલાક અધિકારીઓ પોતાના ઘરે લઈ જાય છે કચેરીમાં રાખતા નથી એવી પણ બુમો ઉઠી છે.તો આ મામલે જિલ્લા વહીવટીતંત્ર યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરે એ જરૂરી બન્યું છે.

રથયાત્રા પર થઈ શકે છે અમી છાંટણાં
વલસાડમાં છ કલાકમાં 8 ઇંચ, સુરતના ઉમરપાડામાં 6.5 ઇંચ વરસાદ વરસ્યો
સુરતમાં મઘરાતથી વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ : શહેરમાં ઠેર ઠેર ભરાયા પાણી
બેંગાલુરુની સહકારી બેંકના રૂ. 1000 કરોડના કૌભાંડમાં એકની ધરપકડ
આવકવેરા વિભાગે ૨૭.૫૫ લાખ કરદાતાઓને મોકલ્યા ૧.૦૧ લાખ કરોડના રિફંડ
Share This Article
Facebook Email Print
Previous Article સુરતના ધાર્મીક નેતા વિરૂધ્ધ ફરીયાદઃ ઉશ્કેરણીજનક ભાષણ અને અફવા ફેલાવતી ઓડીયોકલીપઃ ત્વરીત પગલા
Next Article ગુજરાત સરકારનું 2020-21નું બજેટ ગૃહમાં ફટાફટ મંજૂર, નવા વર્ષના ખર્ચ માટે વિનિયોગ બિલનું પસાર થવું જરૂરી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up