By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: લોકડાઉનનો પ્રથમ દિવસ ભંગ બદલ બે વર્ષની કેદઃ લોકોમાં પેનિક
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > લોકડાઉનનો પ્રથમ દિવસ ભંગ બદલ બે વર્ષની કેદઃ લોકોમાં પેનિક
GeneralNational

લોકડાઉનનો પ્રથમ દિવસ ભંગ બદલ બે વર્ષની કેદઃ લોકોમાં પેનિક

HM News
Last updated: 25/03/2020 8:58 AM
HM News
5 years ago
Share
SHARE

૨૧ દિવસના જાહેર થયેલા લોકડાઉનના પ્રથમ દિવસે લોકોમાં ભારે ઉચાટ-દહેશત-ભયઃ પેટ્રોલ પંપ, કરીયાણાની દુકાનો, દૂધની દુકાનો ખુલી, બેન્કો ચાલુ : તેલંગણાના મુખ્યમંત્રીની ચેતવણીઃ ઘરની બહાર નિકળશો તો ગોળી મારી દેશુ : નિયમનો ભંગ કરનાર સામે સરકારે નક્કી કરી સજા અને દંડઃ કલમ ૫૧ હેઠળ કાર્યવાહીઃ લોકોના મોઢે એક જ સવાલ…૨૧ દિવસ કાઢવા કેમ ?

નવી દિલ્હી, તા. ૨૫ :. દેશભરમાં કોરોના વાયરસને કારણે લોકડાઉન જાહેર કરવામાં આવેલ છે.આવતા ૨૧ દિવસ સુધી લોકોએ ઘરમાં રહેવાનુ છે. લોકડાઉનનો આજે પ્રથમ દિવસ છે ત્યારે લોકોમાં ભય, ઉચાટ અને પેનિક જણાય રહ્યા છે. જ્યાં સુધી જરૂરી હોય તો જ ઘરની બહાર નિકળવું નહિતર સજા અને દંડ થશે.જેમાં સજાને એક મહિનાથી બે વર્ષ સુધી અકિલા વધારી શકાશે.સરકારે સજા અને દંડ નક્કી કર્યા છે.આ સિવાય તેલંગણાના સીએમ ચંદ્રશેખર રાવે આકરી ચેતવણી આપી છે કે લોકો એવી સ્થિતિ ન બનાવે કે અમારે શુટ એટ સાઈટના ઓર્ડર આપવા પડે.પીએમ મોદીએ ગઈકાલે રાત્રે દેશમાં ૨૧ દિવસના લોકડાઉનની જાહેરાત કરી હતી.૨૧ દિવસના લોકડાઉન દરમિયાન નિયમ અને ગાઈડલાઈન્સ નહિ માનનારા પર ડીઝાસ્ટર મેનેજમેન્ટની કલમ ૫૧ હેઠળ કાર્યવાહી થશે.જેમાં સજા અને દંડ બન્નેની વાત છે.લોકડાઉન નહિ માનનારા પર ૨૦૦ રૂ.નો દંડ અને સાથે ૧ મહિનાની સજા થશે, પરંતુ આના કારણે કાનૂની વ્યવસ્થામાં જો મુશ્કેલી પડે અને તોફાનોની સ્થિતિ થાય તો આ સજા ૬ મહિના સુધી લંબાવી શકાશે.ઓર્ડરમાં જણાવાયુ છે કે જો ઓર્ડર ન માનવાથી કોઈનો જીવ જાય, ખતરો પેદા થાય તો દોષિત જણાય તો જેલ થશે.ગૃહ મંત્રાલયના ઓર્ડરમાં જણાવાયુ છે કે કોરોના અંગે કોઈ અફવા ફેલાવા તો એક વર્ષની સજા થઈ શકે છે.સાથોસાથ દંડ પણ થશે.લોકોની સહાયતા માટે આપવામાં આવેલા ફંડમાં ગોટાળો કરનારને બે વર્ષની સજા થશે.લોકડાઉન અંગે તેલંગણાના સીએમએ આકરી ચેતવણી આપી છે.જો કોઈ બહાર નિકળશે તો શુટ એટ સાઈટ કરવામાં આવશે.જો ઉલ્લંઘન થશે તો ૨૪ કલાકના કર્ફયુ જાહેર કરાશે.પીએમ મોદીએ લોકોને ઘરમાં રહેવા જ કહ્યુ છે.લોકોમાં લોકડાઉનને લઈને રાશન અને ખાવાપીવાના સામાનને લઈને ચિંતા છે.લોકડાઉનની જાહેરાત બાદ લોકો દુકાન પર ઉમટી પડયા હતા.જો કે સરકારે કહ્યુ છે કે કોઈ ચીજોની અછત નહિ થાય અને લોકો સુધી માલ પહોંચતો રહેશે.સરકારે કહ્યુ છે કે લોકો નિયમનો ભંગ ન કરે.સરકારે કહ્યુ છે કે કોઈ પેનિક ન રાખે છતા આજે સવારે દૂધ અને રાશન લેવા લોકો બહાર નિકળ્યા હતા.

NSEના પૂર્વ CEO રવિ નારાયણની ધરપકડ
સોશિયલ મીડિયામાં અફવા ફેલાવતા 18 એકાઉન્ટ બંધ કરાયા : આશિષ ભાટિયા
ઇઝરાયલના નવા પીએમ નફ્તાલી બેનેટ કોણ છે ? 12 વર્ષ પહેલા નેતન્યાહૂની આંગળી પકડીને આવ્યા હતા રાજકારણમાં
કંપનીને સર્વેલન્સમાં મૂકવા માટે તેના પરનો બોજો ધ્યાનમાં લેવાશે
ઉજ્જૈનના સુપ્રસિધ્ધ મહાકાલેશ્વર મંદિરમાં ભાજપ યુવા મોરચાના કાર્યકરોનો હંગામો, સિક્યુરીટી સાથે કરી મારામારી
Share This Article
Facebook Email Print
Previous Article મુંબઇ પોલીસે ટ્રકમાં ભરેલા 26 લાખ માસ્ક જપ્ત : 14 કરોડ રૂપિયાના માસ્ક સાથે ચારની ધરપકડ
Next Article કોરોનાને રોકો: રૂપાણીએ ક્યા મહત્ત્વના 19 નિર્ણય લીધા…
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up