By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: લોકડાઉન હાલ 21 દિવસનું જ રહેશે, અફવાઓ પર ધ્યાન ન આપવું: કેન્દ્ર
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > લોકડાઉન હાલ 21 દિવસનું જ રહેશે, અફવાઓ પર ધ્યાન ન આપવું: કેન્દ્ર
GeneralNational

લોકડાઉન હાલ 21 દિવસનું જ રહેશે, અફવાઓ પર ધ્યાન ન આપવું: કેન્દ્ર

HM News
Last updated: 31/03/2020 8:58 AM
HM News
5 years ago
Share
SHARE

24 કલાકમાં જ કોરોનાના 171 કેસ વધ્યા, ચેપનો કુલ આંક 1242 ને પાર, મૃત્યુઆંક 35 પર પહોંચ્યો

નવી દિલ્હી, તા. ૩૦

દેશભરમાં કોરોના વાઇરસનો કેર જારી છે, આ પરિસ્થિતિ વચ્ચે કેન્દ્ર સરકારે લોકડાઉન જાહેર કર્યું છે ત્યારે દેશમાં વાઇરસનો ચેપ લાગ્યો હોય તેવા દર્દીઓની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે. અત્યાર સુધીમાં ૩૫ લોકોએ કોરોના વાઇરસને કારણે જીવ ગૂમાવ્યો છે. જ્યારે ૧૨૪૨ લોકોને આ વાઇરસનો ચેપ લાગી ગયો છે. આ માહિતી સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવી હતી. જ્યારે મૃત્યુઆંક ૨૪ કલાકમાં જ ૨૯થી વધીને ૩૫ થઇ ગયો હતો.

સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી માહિતી અનુસાર કોરોના વાઇરસને થતા મોતમાં મહારાષ્ટ્ર પ્રથમ ક્રમે છે જ્યારે ગુજરાત બીજા ક્રમે છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં નવ લોકોએ જીવ ગૂમાવ્યો છે જ્યારે ગુજરાતમાં છ લોકોએ, કર્ણાટકમાં ત્રણ, મધ્ય પ્રદેશમાં ૪, દિલ્હીમાં બે અને જમ્મુ કાશ્મીરમાં બે લોકોએ જીવ ગૂમાવ્યો છે. અત્યાર સુધીમાં જે પણ લોકોને ચેપ લાગ્યો તેમાં ૪૯ વિદેશીઓ પણ છે.

બીજી તરફ દેશભરમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે કેન્દ્ર સરકાર ૨૧ દિવસનું લોકડાઉન જાહેર કર્યું છે તેનો સમયગાળો વધારી શકે છે. જોકે આ દાવાઓને સરકારે રદીયો આપ્યો છે અને કહ્યું છે કે આવું કોઇ જ અયોજન સરકારનું નથી. પીઆઇબી મંત્રાલય દ્વારા ટ્વીટ કરીને આ માહિતી આપવામાં આવી હતી. આ રિપોર્ટમાં સરકારે કહ્યું હતું કે લોકોમાં હાલ એવી અફવાઓ ફેલાઇ રહી છે કે લોકડાઉનનો સમયગાળો વધારવામાં આવી શકે છે. જોકે આવુ કોઇ જ આયોજન સરકારનું નથી. હાલ લોકડાઉન ૨૧ દિવસનું જ રહેશે.

સાથે સરકારે એવો પણ દાવો કર્યો છે કે હજુસુધી ભારતમાં કોમ્યૂનિટી વચ્ચે કોરોના વાઇરસ નથી ફેલાઇ રહ્યો, કેન્દ્રએ લોકડાઉનનો જે નિર્ણય લીધો તેનાથી લોકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે તે અંગે પોતાનો બચાવ કરતા સરકારે દાવો કર્યો છે કે લોકડાઉન હાલ મદદરુપ સાબિત થઇ રહ્યું છે. જોકે બીજી તરફ દરરોજ હાલ ૧૦૦થી વધુ કેસો વધી રહ્યા છે. જ્યારે મૃત્યુઆંક પણ દરરોજ વધી રહ્યો છે. સરકારે છેલ્લે જાહેર કરેલા આંકડા મુજબ રવિવારે દેશમાં કોરોના વાઇરસના સવારે સાડા દસ વાગ્યે ૧૦૭૧ કેસો હતા જે બીજા દિવસે સોમવારે સાંજ સુધી વધીને ૧૨૪૨ને પાર પહોંચી ગયા છે જ્યારે મૃત્યુઆંક ૨૯ હતો તે પણ વધીને સીધો ૩૫ થઇ ગયો છે, એટલે કે ૨૪ કલાકમાં જ મૃત્યુઆંક અને વાઇરસના ચેપનું પ્રમાણ ઝડપથી વધી ગયું છે. બીજી તરફ વાઇરસથી સાજા થયા હોય તેની સંખ્યા વધીને ૧૧૧ થઇ ગઇ છે તેથી લોકો સાજા પણ થઇ રહ્યા છે.

વેપારીઓ માટે આનંદની વાત , GST ક્રેડિટ મીસમેચમાં લેવાયો ખાસ નિર્ણય
પોર્નોગ્રાફી કેસમાં શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાની ધરપકડ કરાઇ
PM મોદીના જન્મદિવસની ઉજવણી માટે સેલવાસમાં તૈયારીઓ શરૂ, જાણો ક્યા કાર્યક્રમો યોજાશે
મોંઘવારીના મુદ્દે કોંગ્રેસ જૂઠાણાં ચલાવે છે : નરેન્દ્ર મોદી
સરકાર 2.3 લાખ કરોડ સુધીનું રાહત પેકેજ જાહેર કરે તેવી શક્યતા
Share This Article
Facebook Email Print
Previous Article તબગીલી જમાત ફરી એક વખત ચર્ચાનો વિષય : તબગીલી જમાત છે શું?
Next Article ઇઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહૂ પણ કોરોનાની ઝપેટમાં
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up