By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: સાદ’ જેવા લોકો ઇસ્લામ ધર્મની ભલાઇ નહિં પણ તેના વિરૂદ્ધ કામ કરી રહ્યા છેઃ આરીફ મોહમદ ખાન
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > સાદ’ જેવા લોકો ઇસ્લામ ધર્મની ભલાઇ નહિં પણ તેના વિરૂદ્ધ કામ કરી રહ્યા છેઃ આરીફ મોહમદ ખાન
General

સાદ’ જેવા લોકો ઇસ્લામ ધર્મની ભલાઇ નહિં પણ તેના વિરૂદ્ધ કામ કરી રહ્યા છેઃ આરીફ મોહમદ ખાન

HM News
Last updated: 03/04/2020 8:42 AM
HM News
5 years ago
Share
SHARE

‘આપ’ના ધારાસભ્ય ખાને નકવી અને ખાનને અપશબ્દો પણ બોલી નાખ્યા

નવી દિલ્હી તા. ૩: કેરળના રાજયપાલ આરિફ મોહમદખાને તબલીગી જમાતના વડા મૌલાના સાદ ઉપર લોકોને ઉશ્કેરવાનો આરોપ લગાવી કહ્યું છે કે, તેઓએ કયારેય માફ ના થઇ શકે તેવો અપરાધ કર્યો છે અને સાદ જેવા લોકો ઇસ્લામની ભલાઇ નહીં પણ તેના વિરૂદ્ધ કામ કરી રહ્યા છે.દેશભરમાં તબલીગી જમાતનો મુદ્દો ચર્ચામાં છે.સ્વાસ્થય મંત્રાલયના અકિલા જણાવ્યા પ્રમાણે ૩૩૪ પોઝીટીવ કેસને હોસ્પિટલમાં રખાયા છે.એ સાથે આ મુદ્દે રાજકારણ પણ ગરમાયું છે ત્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લાહખાને કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવી અને કેરળના રાજયપાલ આરિફ મોહમદખાનને અપશબ્દો પણ બોલી નાખ્યા છે.નકવીએ તબલીગી જમાતની સરખામણી તાલિબાની જેવા કૃત્ય સાથે કરી હતી ત્યારે અમાનતુલ્લાહ ખાને કહ્યું કે,આ લોકોએ કોરોનાને પણ મુસ્લિમ બનાવી દીધાનો અફસોસ છે.

મરકઝ સામે એફઆઇઆર દાખલ થયા પછી તપાસ ગતીમાં છે ત્યારે ૧૬૦ મૌલવી એવા હતા જેનામાં કોરોના વાયરસના લક્ષણો દેખાયા હતા તેવું ખૂલ્યું છે પણ આ લોકોની તબીબી તપાસણી કરાવાઇ જ ન હતી.દિલ્હી પોલીસના જણાવ્યા પ્રમાણે માર્ચના પહેલા સપ્તાહમાં મરકઝ આખું ભરેલ હતું જેમાં બે હજારથી વધુ વિદેશીઓ હતા અને અન્ય ભારતીયો હતા જે ર૭ ફેબ્રુ.પછી વિદેશ થઇને આવ્યા હતા આમ મરકઝમાં કુલ ૬ હજારથી વધુ લોકો હાજર રહ્યા હતા.જો કે,આ અરસામાં કેટલાક લોકો ચાલ્યાં ગયા હતા પણ કેન્દ્રીય એજન્સી તપાસમાં આવી ત્યારપછી ૧પ થી ૧૯ માર્ચ વચ્ચેના રહેલા લોકોને અહીંથી બહાર કઢાયા હતા જેઓને તાવ હતો જેમાંથી સૌથી વધુ તેલંગણા પહોંચ્યા હતા.વિદેશીઓમાં ઇન્ડોનેશિયા-૭ર, થાઇલેન્ડ-૭૧, શ્રીલંકા-૩૪, મિયાનમાર-૩૩, કિર્ઝસ્તાન-ર૮, મલેશિયા-ર૦, નેપાલ-ર૦, બાંગ્લાદેશ-૧૯ સહિતના અન્ય દેશોના જે લોકો મરકઝમાં હતા તેમની તબિયત સૌ પહેલાં લથડી હતી ગૃહ મંત્રાલયના કહેવા મુજબ ર૧ માર્ચ સુધી મરકઝમાં ૧૭૪૬ લોકો હતા.જેમાં વિદેશી ર૧૬ હતા. બીજી તરફ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સાર્વજનીક સ્થળો ઉપર નમાઝ પઢવા ઉપર મનાઇ ફરમાવી દીધી છે અને જે કોઇપણ તબલીગી જમાતી વ્યકિત ગેરવર્તણુંક કરે તો તેની સામે સખ્ત કાર્યવાહી કરવા સુચના આપી છે.

મહુવા વન વિભાગનો બીટ ગાર્ડ અને સો મિલ સંચાલક 180 રૂપિયાની લાંચ લેતા ઝડપાયા
IPLમાં પ્રથમ હરાજી શેન વોર્નની થઈ હતી, પ્રથમ ખિતાબ પણ જીત્યો હતો, જાણો શું કહ્યું પ્રથમ ટીમ રાજસ્થાન રોયલ્સે
ભાજપના અધ્યક્ષપદે નવસારીના મરાઠી સાંસદ સી.આર. પાટિલની નિમણૂંક થતા ભાજપમાં ટોપ ટુ બોટમ સ્થાનિક નેતાગીરીના હોશકોશ ઊડી ગયા !
મોદી સરકાર જાહેર ક્ષેત્રની વધુ કંપનીનું કરશે વેચાણ, કેન્દ્રને મળશે 300 કરોડ રૂપિયા
વરુણનના લગ્ન:24 જાન્યુઆરીએ વરુણ ધવન ગર્લફ્રેન્ડ નતાશા દલાલની સાથે લગ્ન કરશે, પિતાના નજીકના મિત્રએ પુષ્ટિ કરતાં કહ્યું- હવે કેટલી રાહ જોશે
Share This Article
Facebook Email Print
Previous Article લોકડાઉન : અર્થવ્યવસ્થાને રોજનુ ૪.૬૪ અરબ ડોલરનું નુકશાન : ૨૧ દિવસમા ૯૮ અરબ ડોલરનો ફટકો
Next Article ગુજરાતમાં ‘સદી’ તરફ ધસમસતો કોરોનાઃ નવા ૭, કુલ ૯૫ કેસ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up