By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: આર્થિક સંકટના વમળમાં ફસાયું શ્રીલંકા, ભારત પર શરણાર્થી સંકટનો ઓછાયો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > આર્થિક સંકટના વમળમાં ફસાયું શ્રીલંકા, ભારત પર શરણાર્થી સંકટનો ઓછાયો
GeneralInternational

આર્થિક સંકટના વમળમાં ફસાયું શ્રીલંકા, ભારત પર શરણાર્થી સંકટનો ઓછાયો

HM News
Last updated: 23/03/2022 10:38 AM
HM News
3 years ago
Share
SHARE

કોલંબો, તા. 23 માર્ચ 2022, બુધવાર : ભારે આર્થિક તંગીના કારણે શ્રીલંકામાં હાહાકાર મચ્યો છે અને ખાવા-પીવાની ચીજ-વસ્તુઓના ભાવ આભને આંબી રહ્યા છે.શ્રીલંકામાં આર્થિક તંગી અને ભોજનનું સંકટ એ હદે વધી ગયું છે કે,હવે ભારત પર પણ તેની અસર પડવા લાગી છે.શ્રીલંકાના અનેક તમિલોએ હવે ભારતનો રસ્તો પકડ્યો છે.મંગળવારે આશરે 16 શ્રીલંકનોએ ભારતમાં પ્રવેશ મેળવ્યો હતો.તે લોકો શરણાર્થી તરીકે ભારતમાં આવી રહ્યા છે.એક અંદાજ પ્રમાણે મોટી સંખ્યામાં શ્રીલંકન શરણાર્થીઓ ભારતમાં શરણ લેવાના છે.

શ્રીલંકન શરણાર્થીઓના 2 દળ મંગળવારે ભારતીય તટ પર પહોંચ્યા હતા.તે પૈકીની 6 લોકોની એક ટુકડીને તો રામેશ્વરમ કિનારેથી ભારતીય તટરક્ષક દળે બચાવી લીધી હતી.તેઓ અરિચલ મુનાઈથી દૂર ફોર્થ આઈલેન્ડ પર ફસાયા હતા.તેઓ સૌ શ્રીલંકાના ઉત્તર જાફના કે મન્નાર ક્ષેત્રમાંથી આવી રહ્યા છે.મંગળવારે આવનારી એક ટુકડીમાં 3 બાળકો પણ સામેલ હતા.તેઓ રામેશ્વર કિનારે એક ટાપુ પર ફસાયા હતા.ત્યાર બાદ ભારતીય તટરક્ષક બળના જવાનોએ તેમને ત્યાંથી બહાર કાઢ્યા હતા.તે સિવાય 10 લોકોની અન્ય એક ટુકડી મોડી રાતે ભારતીય કિનારે પહોંચી હતી.

2,000 શરણાર્થીઓ ભારત આવવાની તાકમાં

તમિલનાડુ પોલીસના કહેવા પ્રમાણે શ્રીલંકામાં ભારે બેરોજગારી અને ભોજનની તંગીના કારણે શ્રીલંકન શરણાર્થીઓ ભાગીને ભારત તરફ આવી રહ્યા છે.શ્રીલંકાનો ઉત્તરી ભાગ તમિલ બહુમતીવાળું ક્ષેત્ર છે. તમિલનાડુ ઈન્ટેલિજન્સના કહેવા પ્રમાણે આ ફક્ત શરૂઆત છે અને હજુ અનેક લોકો ત્યાંથી આવે તેવી શક્યતા છે.ઈન્ટેલિજન્સના મતે આશરે 2,000 શ્રીલંકન શરણાર્થીઓ ટૂંક સમયમાં જ ભારતનો રસ્તો પકડશે.

પૈસા આપીને જીવ જોખમમાં મુકીને આવ્યા

શરણાર્થીઓના કહેવા પ્રમાણે શ્રીલંકામાં છેલ્લા કેટલાક સપ્તાહથી ખાવા-પીવાની ચીજ-વસ્તુઓની ભારે તંગી સર્જાઈ છે.તેમણે જણાવ્યું કે,ભારતીય સમુદ્રમાં દાખલ થવા માટે તેમણે માછીમારને 50,000 રૂપિયા આપ્યા હતા.અન્ય ટુકડીએ કરેલા દાવા પ્રમાણે તેમણે ભારતમાં પ્રવેશવા માટે હોડીવાળાને 3 લાખ રૂપિયા આપ્યા હતા.આ સાથે જ તેમણે અનેક પરિવારો ભારત આવવાની તૈયારીમાં હોવાનું જણાવ્યું હતું.

2021માં રાજ્યના 13 હજારથી વધુ પોલીસકર્મીઓની ભરતી કરાશે : પ્રદીપસિંહ જાડેજા
C ગ્રેડની નિર્દેશક મણિમેકલાઈએ છેડેલાં વિવાદમાં કેનેડિયન આગા ખાન મ્યુઝિયમે માં કાલીના પોસ્ટર્સ મુદ્દે હિંદુ આસ્થાને ઠેસ પહોંચાડવા બદલ માંગી માફી
શું કોલંબિયન સિંગર શકીરા જેલમાં જશે? 14.5 મિલિયન યુરો સાથે સંકળાયેલો છે કેસ
સુનીલ ગાવસ્કરે 33 વર્ષ બાદ મહારાષ્ટ્ર સરકારને પરત કરી જમીન, જાણો… કેમ
વિશ્વ નાજૂક સમયમાંથી પસાર થઇ રહ્યું છે : વારાણસીમાં મોદીનો ભવ્ય રોડ શો
Share This Article
Facebook Email Print
Previous Article અમદાવાદના મેટ્રો રેલ-બીઆરટીએસ બસ રૃટ પર વધારાની એફએસઆઈના નાણાંના હપ્તા પર અમ્યુકો વ્યાજ ન વસૂલે
Next Article અમદાવાદની આજુબાજુના આ 68 ગામડાઓના પ્લોટમાં રોકાણ કરતાં પહેલા ચેતજો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up