By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ઇઝરાયલની સામે કોણ કરી રહ્યું છે ઘેરાબંધી, રશિયાની પણ સહાય મગાઇ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ઇઝરાયલની સામે કોણ કરી રહ્યું છે ઘેરાબંધી, રશિયાની પણ સહાય મગાઇ
GeneralInternational

ઇઝરાયલની સામે કોણ કરી રહ્યું છે ઘેરાબંધી, રશિયાની પણ સહાય મગાઇ

HM News
Last updated: 14/05/2021 10:45 AM
HM News
4 years ago
Share
SHARE

અલ- અકસા મસ્જિદમાં થયેલી અથડામણ પછી ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે ટકરાવને લઇને દુનિયાભરના મુસ્લિમ દેશોમાં હલચલ જોવા મળી રહી છે.મુસ્લિમ દેશોના સંગઠન ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કોપરેશન ( OIC) પણ સક્રીય થઇ ગયું છે.આ સંસ્થાના સભ્ય દેશોએ આ મામલે સંયુકત રાષ્ટ્ર મહાસભામાં આંતરરાષ્ટ્રીય બેઠક બોલાવવા માટે પાકિસ્તાન,તુર્કી અને સઉદી અરબની દરખાસ્તને મંજૂરી આપી છે.

જો કે, તુર્કીના રાષ્ટ્રપતિ રેચેપ તૈય્યપ એર્દગન પેલેસ્ટાઇનને લઇને વધારે સક્રીય નજરે પડી રહ્યા છે.તુર્કીના રાષ્ટ્રપતિએ દુનિયાભરના મુસ્લિમ દેશોના પ્રમુખો સાથે વાત કરીને ઇધરાયલ સામે એકશન લેવાની મુહિમ શરૂ કરી છે.આ વચ્ચે તેમણે ઇઝરાયલને ઘેરવા માટે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને ફોન કરીને કહ્યું કે ઇઝરાયલને કડક પાઠ ભણાવવાની જરૂર છે.તુર્કીના રાષ્ટ્રપતિએ સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં આ મામલે ત્વરિત હસ્તક્ષેપ કરવા અને ઇઝરાયલને સ્પષ્ટ સંદેશ આપવા પર ભાર મુક્યો.એર્દીગને પુતિનને સૂચન કર્યુ કે પેલેસ્ટાઇનના લોકોની સુરક્ષા માટે એક આંતરારાષ્ટ્રીય સુરક્ષા બળ તૈયાર કરવા માટે વિચારણા થવી જોઇએ.

તુર્કીના રાષ્ટ્રપતિએ આ બાબતે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાન સાથે પણ ફોન પર ચર્ચા કરી. બનેં નેતાઓએ ઇઝરાયલના વલણ પર ચર્ચા વિચારણા કરી.બનેં નેતાઓએ કહ્યુ કે રમજાનના પવિત્ર મહિનામાં યરુશલમની અલ અકસા મસ્જિદમાં નમાજીઓ પર થયેલો હુમલો એ જઘન્ય અપરાધ છે અને આંતરારાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન છે.આ વાતચીતમાં એર્દીગન અને ઇમરાનખાન એ વાત પર સહમત થયા કે તુર્કી અને પાકિસ્તાનના વિદેશ મંત્રી આંતરાષ્ટ્રીય સ્તરે પેલેસ્ટાઇનના મુદ્દે સાથે મળીને કામ કરશે.તુર્કીના રાષ્ટ્રપતિએ કહ્યુ કે અલ-અકસા મસ્જિદ પરનો હુમલોએ માનવતા પરનો હુમલો છે.પેલેસ્ટાઇન પર ઇઝરાયલના હુમલાને લઇને તુર્કીના લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.કોરોના કરફ્યૂ હોવા છતા ઇસ્તંબૂલમાં હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા.

ઇઝરાયલ અને પેલેસ્ટાઇન થયેલી અથડામમમાં 14 બાળકો સહિત 56 લોકોના મોત થયા છે.જેમાં 6 ઇઝરાયલના અને એક ભારતીય મહિલાનું મોત સામેલ છે.ગાજાના સ્વાસ્થ્ય મંત્રાલયે દાવો કર્યો હતો કે જયાં હુમલો થયો છે તે વિસ્તારમાં 300થી વધારે લોકો ઘવાયા છે. વર્ષ 2014ની ગાજા જંગ પછી આ સૌથી મોટો હુમલો છે જેમાં યરુશલમમાં પેલેસ્ટાઇનના પ્રદર્ળશનકારીઓ અને ઇઝરાયલની પોલીસ વચ્ચે થયેલા સંઘર્શને કારણે શરૂ થયો.

ભાજપ ઉપર ટીકા ટિપ્પણી કરતાં સુબ્રમણ્યમ સ્વામીને ભાજપે રાષ્ટ્રીય કારોબારીમાંથી બહારનો રસ્તો બતાવ્યો
સુરતમાં શિક્ષકે લગ્નની લાલચ આપી શિક્ષિકા સાથે અવાર-નવાર શરીર સંબંધ બાંધ્યો, હવે તરછોડી દેતા મામલો પોલીસમાં પોંહચયો
ગીફટસીટીની ‘ગીફટ’ : ભારતીય કંપનીઓને સાત દેશોમાં નોંધણીની છૂટ મળી
દલિત યુવતીની આત્મહત્યાના કેસમાં પાલિતાણાની સીએમ વિદ્યાલયના આચાર્યની ધરપકડનો માર્ગ મોકળો
જાણો, યુક્રેનના યુધ્ધપીડિતો માટે આ રશિયન પોતાનો નોબલ પુરસ્કાર વેચવા તૈયાર, 2021માં મળ્યો હતો આ નોબેલ શાંતિ પુરસ્કાર
Share This Article
Facebook Email Print
Previous Article સંઘર્ષ : ઈઝરાયેલ અને હમાસ વચ્ચેની લડાઈ માટેના ક્યા કારણો છે જવાબદાર, આ રહ્યો ટૂંકમાં જવાબ
Next Article હનીટ્રેપ-લીડર મહિલા PI ગીતા પઠાણના રાજકોટના કારનામા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up