By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: જાણો, યુધ્ધથી યુક્રેનમાં 50 લાખ લોકો ઘર વિહોણા, 28 લાખ લોકોએ દેશ છોડી દીધો, યૂરોપ પર તોળાતું શરણાર્થી સંકટ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > જાણો, યુધ્ધથી યુક્રેનમાં 50 લાખ લોકો ઘર વિહોણા, 28 લાખ લોકોએ દેશ છોડી દીધો, યૂરોપ પર તોળાતું શરણાર્થી સંકટ
GeneralInternational

જાણો, યુધ્ધથી યુક્રેનમાં 50 લાખ લોકો ઘર વિહોણા, 28 લાખ લોકોએ દેશ છોડી દીધો, યૂરોપ પર તોળાતું શરણાર્થી સંકટ

HM News
Last updated: 17/03/2022 5:07 AM
HM News
3 years ago
Share
SHARE

કીવ,16 માર્ચ,2022,બુધવાર : યુક્રેન-રશિયા વચ્ચેના ભીષણયુધ્ધથી વિનાશ વેરાઇ રહયો છે.24 ફેબ્રુઆરીએ રશિયાએ યુક્રેન પર સૈન્ય કાર્યવાહી કરી ત્યારથી માંડીને આજ સુધી યુક્રેનના 28 લાખથી વધુ લોકો યુધ્ધના માહોલમાં સરહદ પાર કરીને અન્ય દેશોમાં જતા રહયા છે.સંયુકત રાષ્ટ્રસંઘના જણાવ્યા અનુસાર બીજા વિશ્વયુધ્ધ પછી યુરોપ ઉપરનું આ સૌથી મોટું શરણાર્થી સંકટ તોળાઇ રહયું છે.

યુક્રેન છોડી જનારામાં 50 ટકાથી વધુ લોકો બીજા દેશોમાં શરણાર્થી બનીને શિબિરોમાં રહેવા મજબૂર છે.જેમની પાસે જીવન નિર્વાહ માટે કોઇ જ વિકલ્પ નથી.યુધ્ધના ડરથી સેંકડો લોકો ઘરબાર બધુ જ મુકીને નિકળી ગયા.બોર્ડર ક્રોસ કરીને તેઓ શું કરશે એનો પણ કોઇ જ વિચાર કર્યો નથી.આ શરણાર્થીઓ માટે યુક્રેનનું યુધ્ધ મહા મુસિબત બનીને આવ્યું છે.યુક્રેનના શરણાર્થીઓ પોલેન્ડ, સ્લવાકિયા,રોમાનિયા,હંગેરી અને મોલ્દાવામાં મોટી સંખ્યામાં રહે છે.પોલેન્ડમાં સૌથી વધુ 10 લાખથી વધુ યુક્રેન શરણાર્થીઓ રહે છે.

અત્યાર સુધીમાં 18 લાખથી વધુ યુક્રેની પોલેન્ડ બોર્ડર ક્રોસ કરીને આગળ વધ્યા છે.યુક્રેનના શરણાર્થીઓ મધ્ય અને પશ્ચીમ યૂરોપ તરફ આગળ જઇ રહયા છે.જર્મની અને લુથેનિઆમાં પણ યુદ્ધ શરણાર્થીઓ વધતા જાય છે.આંતરરાષ્ટ્રીય સેવા સંગઠનો,જે તે દેશની સરકારો,સ્વૈચ્છિક સંસ્થાઓ અને માનવતાવાદીઓ શરણાર્થીઓને જીવન જરુરીયાતી ચીજ વસ્તુઓ અને આવાસ સુવિધા પુરી પાડી રહયા છે.

રશિયા યુક્રેન વોર શાંત પડશે એ પછી પણ વર્ષો સુધી શરણાર્થીઓની સમસ્યા રહેવાની છે. 4.4 કરોડની વસ્તી ધરાવતું યુક્રેન બરબાદ થઇ રહયું છે.યુક્રેનમાં 50 લાખથી વધુ લોકો ઘર બાર વિહોણા થઇ ગયા છે.એક માહિતી અનુસાર હજુ પણ જો હ્નુમન કોરિડોરનો અમલ કરવામાં આવે તો અસંખ્ય લોકો યુધ્ધની ત્રાસદીથી યુક્રેન છોડવા ઇચ્છી રહયા છે.રશિયાની વધતી જતી હુમલાઓની તિવ્રતા સામે યુક્રેન ભલે ઝુક્યું નથી લોકોની દયનિય સ્થિતિ બની રહી છે એ ચોકકસ છે.

દેશમાં ફરી કોરોના કેસમાં વધારો, શું ફરીથી પહેલા જેવો માહોલ સર્જાશે?
દુનિયામાં સૌથી લાંબા વાળ ધરાવતી મહિલાઓનું ગામ, લાંબા વાળનું રહસ્ય પણ આવ્યું બહાર
ગર્લફ્રેન્ડ સાથે બ્રેક અપના દિવસે જ યુવકને 30 કરોડની લોટરી લાગી
ગુજરાતની 54 હજાર શાળાનું કન્ટ્રોલ રાખતા સેન્ટરની PM મોદી લેશે મુલાકાત, જાણો શું છે
અયોધ્યામાં દક્ષિણ કોરિયા યુપી સરકાર સાથે મળીને બનાવશે પાર્ક : દિવાળી પર ખુલ્લો મૂકાશે
Share This Article
Facebook Email Print
Previous Article કેરળ વિધાનસભાએ LIC IPO વિરુદ્ધ સર્વસંમતિથી ઠરાવ પસાર કર્યો
Next Article જાણો, આત્મનિર્ભરતાના પગલે ભારતની શસ્ત્ર આયાત 21 ટકા ઘટી, ભારત પાસે સૌથી વધુ શસ્ત્રો રશિયાના
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up