By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ભારતમાં 2035 સુધીમાં શહેરી વસતિ 67.5 કરોડ થઈ જશે: યુએનનો અહેવાલ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ભારતમાં 2035 સુધીમાં શહેરી વસતિ 67.5 કરોડ થઈ જશે: યુએનનો અહેવાલ
GeneralInternational

ભારતમાં 2035 સુધીમાં શહેરી વસતિ 67.5 કરોડ થઈ જશે: યુએનનો અહેવાલ

HM News
Last updated: 01/07/2022 7:36 AM
HM News
3 years ago
Share
SHARE

યુનાઇટેડ નેશન્સ : સંયુક્ત રાષ્ટ્રસંઘનો શહેરી વસતિનો અહેવાલ રજૂ થયો હતો.અહેવાલ પ્રમાણે ભારતમાં ૨૦૨૩ સુધીમાં શહેરી વસતિમાં નોંધપાત્ર વધારો થશે.૨૦૩૫માં ભારતની ૬૭.૫ કરોડ વસતિ શહેરોમાં રહેતી હશે.એશિયાની કુલ વસતિમાંથી ૩૦૦ કરોડ લોકો શહેરોમાં રહેતા હશે.સૌથી વધુ ૧૦૦ કરોડ લોકો ચીનના શહેરોમાં રહેતા હશે.

સંયુક્ત રાષ્ટ્રસંઘના શહેરી વસતિ-૨૦૨૨ના અહેવાલમાં કહેવાયું હતું કે વિશ્વની વસતિનું સતત શહેરીકરણ થઈ રહ્યું છે એ કોરોનાકાળ પછી પણ યથાવત રહેશે.કોરોનાકાળ પછી શહેરીકરણ ઘટશે એવી થિયરી વ્યક્ત થતી હતી.જોકે,શહેરીકરણનો ટ્રેન્ડ યથાવત રહેશે.અહેવાલ પ્રમાણે ૨૦૩૫માં ચીનની વસતિમાંથી ૧૦૦ કરોડ કરતાં વધુ લોકો શહેરોમાં રહેતા થઈ જશે.૬૭.૫ કરોડની શહેરી વસતિ સાથે ભારત આ યાદીમાં બીજા ક્રમે હશે.ભારતમાં ૨૦૨૦માં ૪૮ કરોડ કરતાં વધુ લોકો શહેરોમાં રહેતા હતા.૨૦૨૫માં એ આંકડો વધીને ૫૪ કરોડ જેટલો થઈ જશે.ત્યારબાદ બીજા ૧૦ વર્ષમાં એમાં મોટો ઉછાળો આવશે અને ૨૦૩૫માં ભારતના ૬૭.૫ કરોડ લોકો શહેરોમાં રહેતા થઈ જશે.

૨૦૩૫માં એશિયામાં સૌથી વધુ ૩૦૦ કરોડ લોકો શહેરોમાં રહેતા હશે.એમાંથી ૧૦૦ કરોડ લોકો તો એકલા દક્ષિણ એશિયાના જ શહેરોમાં રહેતા હશે.અહેવાલ પ્રમાણે ૧૯મી અને ૨૦મી સદીમાં જે રીતે શહેરીકરણ મહત્વનું પરિબળ બન્યું હતું એ જ રીતે ૨૧મી સદીમાં પણ શહેરીકરણ બહુ જ મોટું પરિબળ રહેશે.શહેરીકરણ ૨૧મી સદીમાં સતત વધતું રહેશે.તે ઉપરાંત શહેરોની વસતિના જન્મદરમાં પણ નોંધપાત્ર વધારો થશે.બંનેના કારણે સરવાળે શહેરોની વસતિ વધતી જશે.

૨૦૫૦સુધીમાં દુનિયાની શહેરી વસતિમાં ૨૨૦ કરોડ લોકો ઉમેરાશે.૨૦૫૦ સુધીમાં વૈશ્વિક વસતિમાં શહેરોમાં રહેતા લોકોની વસતિ ૬૮ ટકા સુધી પહોંચી જશે.અત્યારે દુનિયાના ૫૬ ટકા લોકો શહેરોમાં રહે છે. ૨૦૫૦ સુધીમાં માંડ ૩૨ ટકા લોકો ગામડાંઓમાં રહેતા હશે.અત્યારે દુનિયાની ૪૪ ટકા વસતિ ગામડાંમાં રહે છે.શહેરોમાં વસતિ વૃદ્ધિનો ટ્રેન્ડ આગામી દશકાઓમાં યથાવત રહેશે.

ફડણવીસને સોગંદનામામાં સાચી વિગતો છૂપાવવાનો સુપ્રીમ ઝટકો
શ્રીલંકામાં મધરાતથી જ કટોકટી જાહેર કરાઈ
ભાજપના એક હથ્થા શાસનની શરૂઆત? સુરત કોર્પોરેશનની સભામાં આપના બે ટોચના નેતાને બહાર કાઢી મુકાતા થયો હોબાળો
થરૂરે ટ્વીટર પર વધુ એક અઘરો શબ્દ ‘Quockerwodger’ મુક્યો
શું તમે જાણો છો દુનિયાના આ દેશો પાસે નથી પોતાનું લેખિત સંવિધાન
Share This Article
Facebook Email Print
Previous Article મણિપુરમાં રેલવે બાંધકામ સાઈટ નજીક ભૂસ્ખલન : આઠનાં મોત, 72 ગુમ
Next Article આ બે બહેનો છેલ્લાં ૨૧ વર્ષથી રથયાત્રાના ભાવિકો માટે ચા બનાવે છે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up