મેક્સિકો સિટી : કોરોના વાયરસના સંક્રમણ સામે ઝઝૂમી રહેલા મેક્સિકોમાં ઈરાપુટાઓ શહેરમાં એક બંદૂકધારીએ ભીષણ ગોળીબારમાં 24 લોકોના મોત નિપજ્યા છે. પ્રાપ્ય જાણકારી પ્રમાણે આ ગોળીબારમાં અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાની જાણકારી મળી છે જેના કારણે મૃત્યુઆંક હજી વધે તેવી શક્યતા છે.ઘટનાની જાણ થતા જ મેકિસકો પોલીસ અને એટીટ કમાન્ડો ફોર્સની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ છે.જોકે,હજી સુધી હુમલાખોરની ભાળ મલી શકી નથી.ઈરાપુટાઓ શહેરમાં એક મહિનામાં ગોળીબારની આ બીજી ઘટના છે.આ અગાઉ 6 જૂનના પુનર્વાસ કેન્દ્રમાં બંદૂકધારીઓએ ગોળીબાર કરીને 10 લોકોને મોતના ઘાટ ઉતાર્યા હતા. રાષ્ટ્રપતિ એન્ડ્રેસ મેનુઅલ લોપેઝે આ હુમલાને વખોડી નાખતા તપાસના આદેશ આપ્યા છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર બંદૂકધારીઓની સંખ્યા એક કરતા વધારે હોઈ શકે છે.તેમને ઝડપી પાડવા માટે મોટા પાયા પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.પોલીસના જણાવ્યા અનુસાર તેમણે પહેલા રિહેબ સેન્ટર પર ગોળીબાર કર્યો હતો અને ત્યારબાદ તેમાં આગ લગાવી દીધી હતી.
મેકિસકોમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે.જેમાં મેકિસકોનાં ઇરાપુઆટો શહેરમાં બુધવારનાં રોજ એક વ્યસન મુકિત કેન્દ્ર પર કેટલાક અજ્ઞાત બંદૂકધારીઓએ ગોળીબાર કર્યો હતો આ હુમલામાં ૨૪ લોકોનાં કરૂણ મોત નિપજયા હતા અને સાત લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.પોલીસે આ મામલે જણાવ્યું હતું કે આ કેન્દ્રની નોંધણી થઈ નથી.ગુઆનાજુઆટોમાં પોલીસે જણાવ્યું કે હુમલો બુધવારે ઇરાપુઆટો શહેરમાં થયો હતો.
સ્થાનીક પોલીસનાં નિવેદન અનુસાર હુમલાખોરોએ વ્યસનમુકિત કેન્દ્રમાં હાજર રહેલા તમામ લોકોને નિશાને રાખ્યા હતા.અહેવાલ મુજબ કોઈનું અહરપણ કરવામાં આવ્યું નથી, શામાટે આ હુમલો થયો છે તેનું કારણ હજુ સામે આવ્યું નથી.પરંતુ ઇરાપુઆટો શહેરનાં ગવર્નરે જણાવ્યું કે એવું માનવામાં આવી રહ્યું છે કે નશીલા દ્વવ્યોની દાણચોરી કરનાર ગેન્ગ આ કામમાં શામેલ છે.
મેકિસકોમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે.જેમાં મેકિસકોનાં ઇરાપુઆટો શહેરમાં બુધવારનાં રોજ એક વ્યસન મુકિત કેન્દ્ર પર કેટલાક અજ્ઞાત બંદૂકધારીઓએ ગોળીબાર કર્યો હતો આ હુમલામાં ૨૪ લોકોનાં કરૂણ મોત નિપજયા હતા અને સાત લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
પોલીસે આ મામલે જણાવ્યું હતું કે આ કેન્દ્રની નોંધણી થઈ નથી.ગુઆનાજુઆટોમાં પોલીસે જણાવ્યું કે હુમલો બુધવારે ઇરાપુઆટો શહેરમાં થયો હતો.સ્થાનીક પોલીસનાં નિવેદન અનુસાર હુમલાખોરોએ વ્યસનમુકિત કેન્દ્રમાં હાજર રહેલા તમામ લોકોને નિશાને રાખ્યા હતા.અહેવાલ મુજબ કોઈનું અહરપણ કરવામાં આવ્યું નથી,શામાટે આ હુમલો થયો છે તેનું કારણ હજુ સામે આવ્યું નથી.પરંતુ ઇરાપુઆટો શહેરનાં ગવર્નરે જણાવ્યું કે એવું માનવામાં આવી રહ્યું છે કે નશીલા દ્રવ્યોની દાણચોરી કરનાર ગેન્ગ આ કામમાં શામેલ છે.