By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: 144નો ભંગ : ઘરની બહાર નીકળનાર 40 લોકો સામે ફરિયાદ નોંધાઈ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > 144નો ભંગ : ઘરની બહાર નીકળનાર 40 લોકો સામે ફરિયાદ નોંધાઈ
AhmedabadGeneralGujarat Now

144નો ભંગ : ઘરની બહાર નીકળનાર 40 લોકો સામે ફરિયાદ નોંધાઈ

HM News
Last updated: 23/03/2020 9:28 AM
HM News
5 years ago
Share
SHARE

ગુજરાતમાં કોરોના વાયરસને લઇને સરકાર દ્વારા કોરોનાગ્રસ્ત શહેરોમાં લોકડાઉન જાહેર કરાયું છે. હાલ ગુજરાતમાં કોરોના વાયરસના કેસનો આંક 29 પર પહોંચી ગયો છે. ગુજરાતમાં મોટાભાગના શહેરોમાં 144ની કલમ લાગુ કરી દેવામાં આવી છે, ત્યારે અમદાવાદમાં તો 144ની કલમનો ભંગ કરીને કોઈ કામ વગર ઘરની બહાર નીકળનારા 40 લોકોની સામે પોલીસ કાર્યવાહી કરવામાં આવી છે. આ બાબતે અમદાવાદના પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ માહિતી આપી હતી.

અમદાવાદ પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, અમદાવાદમાં 144ની કલમ લાગુ કરવામાં આવી છે. લોકોને મારી અપીલ છે કે, અમદાવાદમાં કોઈ પણ સ્થળ પર ચારથી વધારે લોકો એકઠાં ન થાય. જો ચાર કરતા વધારે લોકો ભેગા થશે તો તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. કાલે જનતા કર્ફ્યુ હતું છતાં પણ કેટલાક લોકો ગેરસમજના કારણે અને ઉત્સાહમાં બહાર નીકળ્યા હતા. તો ખાડીયાની અંદરની ઘટનામાં ખાડીયા પોલીસ સ્ટેશનમાં 40 લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ તમામ લોકોની સામે નામજોગ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.લોકોને ખૂબ જરૂરી કામ હોય તો જ ઘરની બહાર નીકળે. અત્યારે 25 તારીખ સુધી લોકડાઉન છે. ટ્રાન્સપોર્ટ વિભાગના જાહેરનામા અનુસાર, કોમર્શિયલ વ્હીકલ રસ્તા પર નીકળી શકશે નહીં. જે વાહનો રસ્તા પર નીકળશે તેને જપ્ત પણ કરવામાં આવશે. લોકો પ્રાઈવેટ વાહનમાં દવાખાને કે જીવનજરૂરી વસ્તુઓની ખરીદી માટે જઈ શકે છે. જે કોમર્શિયલ વાહનો રસ્તા પર આવશે તેને જપ્ત કરવામાં આવશે. ટ્રાફિક પોલીસ દ્વારા પણ વાહન ડીટેઈન કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આવા બેદરકાર લોકો જ કોરોના સામેની લડતને નબળી કરી રહ્યા છે
સુનકની PM પદે નિમણૂક બ્રિટિશ હિંદુઓ માટે ઓબામા મોમેન્ટ
શહીદ નાયક દીપક સિંહના પત્ની રેખા દેવી કરશે દેશની સેવા, ચેન્નઈમાં શરૂ કરી ટ્રેનિંગ
SUPREME : જજો સામે જાહેરમાં ભ્રષ્ટાચારનો આરોપ લગાવી શકાય કે નહીં ? નક્કી થશે !
ગુરૂવારે મુખ્યમંત્રી ભરૂચના મહેમાન બનશે, સંપર્ક અને સંવાદ સાધશે
Share This Article
Facebook Email Print
Previous Article OMG! જર્મનીના ચાન્સલર એંજેલા મર્કેલ ક્વોરન્ટાઇન, વેક્સીન આપનાર ડૉકટર કોરોના પોઝિટિવ
Next Article ગ્રેટર નોઈડામાં વધુ બે કોરોના પોઝિટિવસ : દેશભરમાં કુલ 429 કોરોનાગ્રસ્ત
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up