By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: પાંજો સમાજ, પાંજી જવાબદારી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > પાંજો સમાજ, પાંજી જવાબદારી
GeneralMumbai

પાંજો સમાજ, પાંજી જવાબદારી

HM News
Last updated: 08/07/2022 5:06 AM
HM News
3 years ago
Share
SHARE

એટલે કે મારો સમાજ,મારી જવાબદારી.શ્રી કચ્છી વીસા ઓસવાળ દૃષ્ટિ ફાઉન્ડેશન ફૉર ધ બ્લાઇન્ડ દ્વારા સમાજની કોઈ વ્યક્તિના મૃત્યુ પ્રસંગે સંસ્થા તરફથી પરિવારજનો માટે નિઃશુલ્ક ખારી માની સેવા (જમવાની વ્યવસ્થા)શરૂ કરવામાં આવી:એક ફોન અને બે કલાકમાં ભોજન ઘરે આપણા હિન્દુ અને જૈન સમાજમાં દાયકાઓથી એક રિવાજ ચાલી રહ્યો છે કે કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થાય તો એના પરિવારજનો શોકગ્રસ્ત હોવાથી અને તેમને સૂતક લાગતું હોવાથી તેમના ઘરે મૃત્યુના દિવસે રસોઈ બનાવવામાં આવતી નથી.

આ પરિવારજનોના જમવાની વ્યવસ્થા તેમના પાડોશીઓ કે આસપાસના સ્વજનો દ્વારા કરવામાં આવે છે.જોકે આ પરંપરા બદલાતા યુગ સાથે હવે ફક્ત ગામડાંઓમાં જ ટકી રહી છે.શહેરોમાં હવે મૃતકના પરિવારજનો કોઈ પણ કેટરર્સને કે રસોઈ બનાવી આપતાં બહેનોને કૉન્ટ્રૅક્ટ આપીને તેમની પાસેથી રસોઈ મગાવી લેતા હોય છે.જોકે થોડા સમય પહેલાં જ મુંબઈની શ્રી કચ્છી વીસા ઓસવાળ દૃષ્ટિ ફાઉન્ડેશન ફૉર ધ બ્લાઇન્ડ દ્વારા તેમના સમાજના સાયનથી કોલાબા અને ચર્ચગેટથી માહિમ સુધીના સાઉથ મુંબઈના વિસ્તારોમાં રહેતા સમાજના પરિવાજનો માટે ‘ખારી માની સેવા’ની પહેલ કરવામાં આવી છે.આ સંસ્થા તેમના સમાજમાં કોઈ પરિવારમાં મૃત્યુ થશે તો તેના પરિવારની જમવાની વ્યવસ્થા નિઃશુલ્ક કરશે.

શ્રી કચ્છી વીસા ઓસવાળ દૃષ્ટિ ફાઉન્ડેશન ફૉર ધ બ્લાઇન્ડ ઘણાં વર્ષોથી દૃષ્ટિહીન પરિવારોને આર્થિક સહાય સાથે અનાજ તથા વૈદકીય અને શૈક્ષણિક સેવા આપી રહી છે.આ સંસ્થાના એક ટ્રસ્ટીને બે મહિના પહેલાં તેમના સમાજમાંથી ફોન આવ્યો કે અમારા પરિવારમાં મૃત્યુ થયું છે અને શું તમારા માટે શક્ય છે કે તમે અમારા પરિવારજનો માટે જમવાની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવી શકો? આ બાબતની માહિતી આપતાં આ સંસ્થાના ટ્રસ્ટી મૂળ કચ્છના નાના ભાડિયા ગામના ભરત ગડાએ‘મિડ-ડે’ને કહ્યું હતું કે‘આ વ્યક્તિના ફોન પછી અમે એ ફોન કરનારી વ્યક્તિના પરિવારજનો માટે તો જમવાના ટિફિનની વ્યવસ્થા કરાવી આપી,પરંતુ સાથે-સાથે અમને ટ્રસ્ટીઓને અને અમારા પદાધિકારીઓને વિચાર આવ્યો કે આપણે સાઉથ મુંબઈના વિસ્તારો સાયનથી કોલાબા અને ચર્ચગેટથી માહિમની વચ્ચે આપણા સમાજના પરિવારો માટે‘ખારી માની સેવા’ શરૂ કરવી જોઈએ.‘ખારી માની સેવા’એટલે મૃતકના પરિવારો માટે જેમ દસકાઓ પહેલાં અને આજે પણ આપણાં ગામોમાં પાડોશીઓ અને અન્ય ગામના સ્વજનો જમવાની વ્યવસ્થા કરી આપે છે એ જ પ્રકારની સેવા.’

દુનિયાભરમાં ભુખમરાની વકરતી સમસ્યા: ભૂખથી પીડાતા લોકોની સંખ્યામા 4 કરોડનો વધારો
ઓવૈસીને સાબરમતી જેલ જતાં અટકાવાયા, રોડ- શો પણ થયો ફ્લોપ શો
TAXમાં રાહત આપવા મુદ્દે સુરત કાપડ માર્કેટના વેપારીઓએ CMને પત્ર લખ્યો
ના હોય ! DSPએ લાંચ વિરુદ્ધ આપ્યું પ્રમાણિકતાનું ભાષણ,પરંતુ કલાકમાં જ ACBએ લાંચ લેતા પકડી પાડ્યા
લોકડાઉનઃ સુપ્રીમે વીડિયો કોન્ફરન્સિંગથી 593 કેસોની સુનાવણી કરી, 215 ચુકાદા સંભળાવ્યા
Share This Article
Facebook Email Print
Previous Article ભાઈ બન્યો ભગવાન
Next Article વરસાદ તો ઝાલ્યો નથી ઝલાતો, આજે રેડ અલર્ટ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up