ગુજરાતમાં 5 સીટ જીતવી બળદનું દૂધ કાઢવા બરાબર હતુ, જાણો કેજરીવાલે કેમ આવું વિચિત્ર નિવેદન આપ્યું

136

AAPના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલે રવિવારના રોજ રાષ્ટ્રીય પરિષદની બેઠકને સંબોધીત કરી હતી.જેમાં વર્ષોથી ભાજપના ગઢ એવા ગુજરાતમાં તેમના પક્ષઓ પ્રવેશ મેળવીને પાંચ સીટો જીતી હતી.જે પાંચ સીટો જીતી તેમણે તેને “અભૂતપૂર્વ સફળતા” ગણાવી હતી અને કહ્યું હતું કે ગુજરાતમાં પાંચ બેઠકો જીતવી એ “બળદનું દૂધ કાઢવા” જેટલું કપરુ હતું.પાર્ટીની રાષ્ટ્રીય કારોબારી અને રાષ્ટ્રીય પરિષદની બેઠકને સંબોધતા,દિલ્હીના મુખ્ય પ્રધાને પણ ભારપૂર્વક જણાવ્યું હતું કે AAPને ખાતરી છે કે તે ગુજરાતમાં ભાજપને સત્તા પરથી દૂર કરી 2027 માં ત્યાં તેઓ સરકાર બનાવશે,

ગુજરાતમાં જીતવું મતલબ બળદનું દૂધ કાઢવા બરાબર

આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં વિધાનસભાની તાજેતરની ચૂંટણીમાં લગભગ 13 ટકા વોટ શેર સાથે પાંચ બેઠકો જીતી હતી.ત્યારે ભલે આપની હાર થઈ હોય પણ વોટ શેર વધવાનો આપને સંતોષ છે “તાજેતરમાં જ કેજરીવાલે કહ્યું કે, તમે તો બળદ પાસેથી દૂધ કાઢી લાવ્યા.ત્યારે ગુજરાતના આ વિસ્તારોમાં આપ માટે જીતવુ બળદનું દૂધ કાઢવા બરાબર મુશ્કેલ હતું.કારણે કે ગાયનું દૂધ તો કોઈ પણ કાઢી શકે પરંતુ, અમે ગુજરાતમાં આ પાંચ સીટો જીતી 13 ટકા વોટશેર સાથે બળદનું દૂધ કાઢી લાવ્યા છે.

2027 માં ગુજરાતમાં પણ અમારી સરકાર- કેજરીવાલ

કેજરીવાલે ગુજરાતના લોકોનો પણ તેમની પાર્ટીની “દ્રષ્ટિ અને વિચારધારા”માં વિશ્વાસ રાખવા બદલ આભાર માન્યો હતો. “આમ આદમી પાર્ટીએ રાજ્યમાં તેના બીજા આક્રમણમાં પંજાબમાં તેની સરકાર બનાવી.ચિંતા કરશો નહીં,અમે ચોક્કસપણે 2027 માં ગુજરાતમાં પણ અમારી સરકાર બનાવીશુંનું ઉમેર્યું હતુ.

આપના વોટશેરમાં વધારો

2017માં, AAPએ ગુજરાતની ચૂંટણીમાં 182 વિધાનસભા બેઠકોમાંથી 29 અને પંજાબની ચૂંટણીમાં 117 વિધાનસભા બેઠકોમાંથી 112 બેઠકો પર ચૂંટણી લડી હતી.જ્યારે AAPને ગુજરાતમાં શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો ત્યારે તેના તમામ 29 ઉમેદવારોએ તેમની ડિપોઝીટ ગુમાવી હતી,પાર્ટીએ પંજાબમાં 20 બેઠકો જીતીને રાજ્યમાં મુખ્ય વિપક્ષી પાર્ટી બની હતી. 2022 ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ પર,કેજરીવાલે કહ્યું કે ભાજપના ગઢમાં પક્ષના પ્રવેશમાંથી સૌથી મોટો ઉપાડ એ હતો કે તે ચૂંટણી પંચ દ્વારા રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો મેળવવા માટે લાયક બન્યો.

Share Now