PNBનો નફો 307 ટકા વધ્યો, નિરવ મોદી પાસેથી 100 કરોડ રિકવર થવાની શક્યતા

112

અમદાવાદ : પંજાબ નેશનલ બેન્કે આજે તેમના Q1FY24 પરિણામો જાહેર કર્યા છે. Q1FY24માં ચોખ્ખો નફો 307.02 ટકા વધી રૂ. 1255 કરોડ થયો હતો.નાણાકીય વર્ષ 24ના Q1 દરમિયાન ઓપરેટિંગ પ્રોફિટ રૂ. 5,968 કરોડ હતો,જે વાર્ષિક ધોરણે 10.95% વધ્યો હતો.ચોખ્ખી વ્યાજ આવક 26.00% YoY વધીને Q1FY24માં રૂ. 9,504 કરોડ થઈ છે.ગ્લોબલ NIM વર્ષ 2023ના Q1માં 2.79%થી Q1 FY24માં 29 bps વધી 3.08% થયો છે.

એસેટ ક્વોલિટીમાં સુધારો

GNPA રેશિયો YoY ધોરણે 354 bps વધીને 7.73% થઈ ગયો છે જે જૂન’22ના રોજ 11.27% હતો. NNPA રેશિયો YoY ધોરણે વાર્ષિક ધોરણે 230 bps વધી 1.98% થયો છે જે ગતવર્ષે 4.28% થયો હતો.પ્રોવિઝન કવરેજ રેશિયો (TWO સહિત) 679 bps વધી 83.04%થી 89.83% થયો હતો.PNBનો શેર આજે પ્રોત્સાહક પરિણામના અંદાજો સામે 4.17 ટકા ઉછાળા સાથે રૂ. 63.21 પર બંધ રહ્યો હતો.

નીરવ મોદીના રૂ. 14000 કરોડના કૌંભાંડમાંથી 100 કરોડની રિકવરી

પીએનબીના CEO અતુલ કુમાર ગોયલે બુધવારે જણાવ્યું હતું કે પંજાબ નેશનલ બેન્ક નીરવ મોદી સાથે સંબંધિત બેન્ક ખાતાઓમાંથી રૂ. 50થી રૂ. 100 કરોડની વસૂલાત કરવાની યોજના ધરાવે છે.બેન્કના CEOએ જાન્યુઆરી 2018માં જે બન્યું હતું તે સાથે નાણાં વસૂલવાની યોજનાઓ જાહેર કરી છે,જ્યાં PNBએ નીરવ મોદી દ્વારા $2 અબજની છેતરપિંડી કરી હોવાની જાહેરાત કરી હતી.જે મોતી અને હીરાનો વેપાર કરે છે.નીરવ મોદીએ તેના કાકા મેહુલ ચોક્સી સાથે મળીને કેટલાક બેન્ક અધિકારીઓ સાથે મળીને સરકારી માલિકીની પંજાબ નેશનલ બેંકમાંથી રૂ. 14,000 કરોડ ઉપાડવા માટે કપટપૂર્ણ લેટર્સ ઓફ અંડરટેકિંગ (LoUs) દ્વારા છેતરપિંડીનું એક જટિલ કૌંભાંડ કર્યું હતું.

લોન રેશિયો

– રિટેલ લોન 16.2 ટકા વધી રૂ.141040 કરોડ થઈ
– હાઉસિંગ લોન ફાળવણી 12.5 ટકા વધી રૂ. 83893 કરોડ
– વ્હિકલ લોન 27.1 ટકા વધી 17093 કરોડ
– પર્સનલ લોન 46.4 ટકા વધી 18940 કરોડ
– ટોટલ રિટેલ લોન 40.14 ટકા વધી રૂ. 146321 કરોડ થઈ
– કૃષિ લોન ફાળવણી ગ્રોથ 9.26 ટકા વધી 145572 કરોડ થયો
– એમએસએમઈ લોન ફાળવણી 5.96 ટકા વધી રૂ. 132398 કરોડ થઈ.

Share Now