By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: LICના રોકાણમાં રૂ1.9 લાખ કરોડનું ધોવાણ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Business > LICના રોકાણમાં રૂ1.9 લાખ કરોડનું ધોવાણ
BusinessGeneralNational

LICના રોકાણમાં રૂ1.9 લાખ કરોડનું ધોવાણ

HM News
Last updated: 20/03/2020 8:10 AM
HM News
5 years ago
Share
SHARE

બેન્ક, NBFC, વીમા સેક્ટરમાં વેલ્યૂએશનમાં સૌથી ~56,810 કરોડનું ધોવાણ થયું
એજન્સી > નવી દિલ્હી

સેન્સેક્સ 30 અને નિફ્ટી 50 ઈન્ડેક્સમાં તાજેતરના દિવસોમાં મોટાપાયે ધોવાણ થઈ ગયું છે. તેની સીધી અસર સરકાર સંચાલિત વીમા કંપની લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન(LIC) ઓફ ઈન્ડિયાને થઈ છે. છેલ્લાં અઢી મહિનાના કડાકામાં તેના ઈન્વેસ્ટમેન્ટમૂલ્યમાં ~1.9 લાખ કરોડનું તાર્કિક નુકસાન(નોશનલ લોસ) થયું છે. મતલબ કે તે સમગ્ર પોર્ટફોલિયોમાં રહેલા તમામ શેર આજે જ વેચી દે તો તેને આટલું નુકસાન થાય. વાસ્તવમાં તેણે વેચ્યા નથી.

ઈક્વિટીમાં મોટાપાયે ઈન્વેસ્ટમેન્ટ કરવા માટે જાણીતી એલઆઈસી અનેક લિસ્ટેડ કંપનીઓમાં નોંધપાત્ર રોકાણ ધરાવે છે. સરકાર એલઆઈસીનો આઈપીઓ લાવવાની તૈયારી કરી રહી છે તેવા સમયમાં તેના પોર્ટફોલિયોમાં મોટાપાયે ધોવાણ થઈ ગયું છે. એલઆઈસીનું લિસ્ટેડ કંપનીઓમાં જે હોલ્ડિંગ છે તેનું મૂલ્ય ડિસેમ્બર 2019ના અંતે ~6.02 લાખ કરોડ હતું, જેનું મૂલ્ય ઘટીને અત્યારે ~4.14 લાખ કરોડ થઈ ગયું છે. આમ, તેનો માર્ક-ટુ-માર્કેટ લોસ ~1.88 લાખ કરોડનો થયો છે. આમ, અઢી મહિનાના આ ગાળામાં તેના રોકાણનું મૂલ્ય 31 ટકા ઘટી ગયું છે.

S&P BSE 500 ઈન્ડેક્સની 209 કંપનીઓના સ્ટડીનું આ તારણ છે, જે કંપનીઓમાં એલઆઈસીનું 1 ટકાથી વધુ હોલ્ડિંગ ડિસેમ્બર 2019ના અંતે હતું. બીએસઈ લિસ્ટેડ કંપનીઓના કુલ માર્કેટ કેપના 65 ટકા માર્કેટ કેપ આ કંપનીઓનું છે. એલઆઈસીનું જે સેક્ટરમાં રોકાણ છે તેમાં બેન્ક, NBFC અને વીમા કંપનીઓના સેક્ટરમાં વેલ્યૂએશનમાં સૌથી 30 ટકા (~56,810 કરોડનું) ધોવાણ થયું છે. ઓઈલ અને ગેસ સેક્ટરમાં (~36,020 કરોડ), સિગારેટ ઉત્પાદકો (~17,374 કરોડ), આઈટી(~15,826 કરોડ), મેટલ (~12,045 કરોડ), ઓટોમોબાઈલ (~11,329 કરોડ) અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર (~10,669 કરોડ)નું ધોવાણ થયું છે.

ઔરંગઝૈબના વોટ્સએપ સ્ટેટ્સ મામલે કોલ્હાપુરમાં બબાલ, હિન્દુવાદી સંગઠનોના દેખાવ, પોલીસનો લાઠીચાર્જ
ધરમપુરની સરકારી હોસ્પિટલમાં મંગળવારે મોડી રાત્રે આગ લાગી
આ શુક્રવારે બોક્સ ઓફિસ પર 200 કરોડનો ધૂમાડો થઈ જશે, કંગનાએ આલિયા ભટ્ટ અ્ને તેની ફિલ્મ સામે ખોલ્યો મોરચો
અમિત શાહની રેલી માટે શું રૂ.144 કરોડના 72 હજાર ટીવી ભાજપે આ રાજ્યમાં ગોઠવી દીધા?, શ્રમિકો માટે પૈસા નહોતા અને.
વિવિધ પ્રતિકૂળ અહેવાલો અને ઉછાળે નફારૂપી વેચવાલીના દબાણ પાછળ ભારતીય શેરબજારમાં પીછેહઠ યથાવત્…!!
Share This Article
Facebook Email Print
Previous Article કોરોનાને પગલે કંપનીઓને Q4ના પરિણામ ફાઈલ કરવા 45 દિવસનો સમય
Next Article મુકેશ અંબાણી ફેમિલીએ રિલાયન્સમાં હિસ્સો વધાર્યો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up