By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: કોરોના વાયરસ સામે યુદ્ધ: ભારતીય સેના એલર્ટ મોડ પર, યુદ્ધ જહાજો અને પ્લેન કરાયા સજ્જ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > કોરોના વાયરસ સામે યુદ્ધ: ભારતીય સેના એલર્ટ મોડ પર, યુદ્ધ જહાજો અને પ્લેન કરાયા સજ્જ
GeneralNational

કોરોના વાયરસ સામે યુદ્ધ: ભારતીય સેના એલર્ટ મોડ પર, યુદ્ધ જહાજો અને પ્લેન કરાયા સજ્જ

HM News
Last updated: 02/04/2020 11:27 AM
HM News
5 years ago
Share
SHARE

દેશમાં કોરોનાનો ખતરો વધ્યા બાદ ભારતીય સેનાઓ પણ સંપૂર્ણ રીતે એલર્ટ મોડ પર છે. કોરોના સામે જંગની સૌથી નાજુક સ્થિતિ નજીક આવવા પર ચિકિત્સાનો સામાન લાવવા-લઇ જવા માટે વાયુસેનાની ટ્રાન્સપોર્ટ ફ્લીટ તૈયાર છે, તો યુદ્ધજહાજ પણ કોઈપણ સ્થિતિમાં તૈનાતી માટે એલર્ટ પર છે. બુધવારનાં રક્ષામંત્રી રાજનાથ સિંહે કોરોનાને લઇને સેનાની તૈયારીઓનું નિરીક્ષણ કર્યું. સેનાનાં 8,500 ડૉક્ટર પણ કોઈપણ ઇમરજન્સી સ્થિતિ માટે સંપૂર્ણ રીતે તૈનાત છે.

8,500 ડૉક્ટર અને સપોર્ટ સ્ટાફ તૈયાર

રક્ષામંત્રીએ આદેશ આપ્યો કે સિવિલ પ્રશાસનને તમામ પ્રકારની મદદ આપવામાં આવે જે સ્થિતિ નિયંત્રણમાં રાખવા માટે દરેક સંભવ પ્રયત્ન કરી રહી છે. સેના 8,500 ડૉક્ટર અને સપોર્ટ સ્ટાફ પણ કોરોનાને પહોંચી વળવા માટે સિવિલ વહીવટી તંત્રને મદદ આપવા માટે સંપૂર્ણ તૈયાર રહે. સેનાનાં રિટાયર્ડ હેલ્થ પ્રોફેશનલ્સને પણ મદદ માટે તૈયાર રહેવા કહ્યું છે. આ ઉપરાંત NCCનાં 25,000 કેડેટ્સને પણ સિવિલ એડમિનિસ્ટ્રેશનની મદદ માટે તૈયાર કરવામાં આવી રહ્યા છે.

સ્પેશિયલ ઑપરેશન એરક્રોફ્ટને એક્ટિવ કરાયા

વાયુસેનાએ જણાવ્યું કે તેમના વિમાનોએ છેલ્લા ત્રણ દિવસમાં 25 ટન સપ્લાયને ગંતવ્ય સ્થળ સુધી પહોંચાડ્યો છે. વાયુસેનાએ જણાવ્યું કે આખા દેશમાં માંગ પુરી કરવા માટે તેણે પોતાના તમામ ટ્રાન્સપોર્ટ યૂનિટને તૈયાર રાખ્યા છે. સી-17 હેવી લિફ્ટર, AN-32 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ અને સી-130J સ્પેશિયલ ઑપરેશન એરક્રોફ્ટને સિવિલ પ્રશાસનનાં આગ્રહ પર એક્ટિવ કરવામાં આવી રહ્યા છે.

નૌસેનાનાં યુદ્ધ જહાજો સ્ટેન્ડબાય પર

નૌસેનાનાં યુદ્ધ જહાજો પણ સ્ટેન્ડબાય મોડમાં છે. જેથી દરિયાઈ વિસ્તારોમાં જરૂર પડવા પર મોટા પ્રમાણમાં સામાનનો પુરવઠો પુરો પાડી શકાય. બે યુદ્ધ જહાજોને પાડોશી દેશોની મદદ માટે પહેલાથી જ તૈયાર રાખવામાં આવ્યા છે. જો જરૂર પડી તો બીજા યુદ્ધ જહાજોને પણ તૈનાત કરવામાં આવશે. ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતે રક્ષામંત્રી રાજનાથ સિંહને જણાવ્યું કે, કોવિડ-19ને પહોંચી વળવા માટે હૉસ્પિટલોનાં 9,000 બેડ તૈયાર રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત અનેક ક્વોરન્ટાઇન સુવિધાઓ દેશનાં અનેક ભાગોમાં કામ કરી રહી છે.

તારીખ 25 ડિસેમ્બર 2020નું રાશિફળ, કેવો રહેશે તમારો આજનો દિવસ
ફ્લેટની લાલચ આપી 15 લોકો પાસેથી 55.10 લાખ પડાવ્યા
વલસાડ જિલ્લા ના સોળસુંબા ગામે સરપંચ ઉપર જીવલેણ હુમલો,ઘર સળગાવી દેવાની ધમકી થી ચકચાર
અદાણીએ દિલ્હીના પોશ એરિયામાં ૧૦૦૦ કરોડનો બંગ્લો માત્ર ૪૦૦ કરોડમાં ખરીદ્યો
ગુજરાતીઓ પાકકા વેપારી: કોરોના ખાખરા, કેક, ધૂપ અને થુંકદાની બનાવી બજારમાં મુકયા
Share This Article
Facebook Email Print
Previous Article 15મી એપ્રિલે નહીં હટે લોકડાઉન? મોદી સાથેની બેઠક બાદ આ CMના ટ્વિટથી ખળભળાટ
Next Article કોરોનાના શંકાસ્પદ દર્દીએ આઈસોલેશન વોર્ડમાં કરી આત્મહત્યા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up