By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ભારતમાં કોરોનાની અસર ખૂબ જ ઓછી અને નિયંત્રણ હેઠળ : પોલ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ભારતમાં કોરોનાની અસર ખૂબ જ ઓછી અને નિયંત્રણ હેઠળ : પોલ
GeneralNational

ભારતમાં કોરોનાની અસર ખૂબ જ ઓછી અને નિયંત્રણ હેઠળ : પોલ

HM News
Last updated: 02/04/2020 9:17 AM
HM News
5 years ago
Share
SHARE

– નીતિ આયોગના સભ્યનો દાવો
– ભારતે અન્ય દેશોની સરખામણીમાં ખૂબ જ વહેલા લોકડાઉન કરી દેતા ભારતમાં કોરોનાની અસર ઓછી : વી કે પોલ
– સામાન્ય દિવસોમાં ભારતમાં રોજ 1 કરોડ લોકો ટ્રેનમાં અને ચારથી પાંચ કરોડ લોકો બસમાં મુસાફરી કરે છે

નવી દિલ્હી,

ભારતમાં કોરોના વાઇરસના પ્રકોપની અસર ખૂબ જ નાની અને નિયંત્રણમાં રાખી શકાય તેવી હશે કારણકે ભારતમાં અન્ય દેશોની સરખામણીમાં ખૂબ જ વહેલા લોકડાઉન અને પ્રવાસ પણ નિયંત્રણ અમલમાં લાવી દેવામાં આવ્યા છે તેમ નીતિ આયોગના સભ્યએ એક નિવેદનમાં જણાવ્યું છે.

નીતિ આયોગના સભ્ય વી કે પોલે વધુમાં જણાવ્યું છે કે ભારત કોરોના સામે લડવા માટે સારી રીતે તૈયાર છે. જો કે તેમણે જણાવ્યું છે કે સ્થિતિ ક્યારે સામાન્ય થશે તે અનેક કારણો પર નિર્ભર રહેશે.

પોલે વધુમાં જણાવ્યું હતું કે જો કમનસીબે દેશમાં સ્થિતિ ખૂબ જ ખરાબ થશે તો દેશના કોઇ પણ ભાગની વસ્તી માટે તે ખૂબ જ વિનાશકારી સાબિત થશે. તેમણે જણાવ્યું છે કે અન્ય દેશોની સરખામણીમાં ભારતમાં કોરોનાને અટકાવવા ઉપાયો ઘણા વહેલા શરૂ કરી દેવામાં આવ્યા છે.

પોલે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું છે કે અન્ય દેશોની સરખામણીમાં ભારતે લોકડાઉનનો નિર્ણય ખૂબ જ વહેલો લઇ લીધો છે. જે ભારતનો પ્લસ પોઇન્ટ છે. જેની સરખામણીમાં અન્ય દેશો આ તક ચૂકી ગયા હતાં. જેના કારણે ભારતમાં અન્ય દેશોની સરખામણીમાં ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ખૂબ જ ઓછી રહેશે.

ઉલ્લેખનીય છે કે સમગ્ર ભારત હાલમાં ૨૧ દિવસના લોકડાઉનના સમયગાળામાંથી પસાર થઇ રહ્યું છે. ઇટાલી, સ્પેન અને ઇરાન જેવા દેશોમાં હજારો લોકોએ આ વાઇરસને કારણે પોતાના પ્રાણ ગુમાવ્યા છે.

પોલે જણાવ્યું હતું કે સામાન્ય દિવસોમાં ભારતમાં રોજ ૧ કરોડ લોકો ટ્રેનમાં અને ચારથી પાંચ કરોડ લોકો બસમાં મુસાફરી કરે છે. લોકડાઉનને કારણે દેશના કરોડો લોકોની આ યાત્રા બંધ થઇ ગઇ છે તેથી કોરોના વાઇરસ પ્રસરવાની શક્યતા ઘટી ગઇ છે.

નિષ્ણાંતોનો ધડાકો, ભારત પણ કોરોના મામલે ઈટાલીના પગલે પગલે, થર્ડ સ્ટેજની ચેતવણી
સુરતના ધાર્મીક નેતા વિરૂધ્ધ ફરીયાદઃ ઉશ્કેરણીજનક ભાષણ અને અફવા ફેલાવતી ઓડીયોકલીપઃ ત્વરીત પગલા
લોકડાઉનમાં યે મોજ : ઇટાલીમાં લોકોની વાઈન પાર્ટી
કૅલિફૉર્નિયામાં ભારતમાં વૉન્ટેડ બે માફિયા સહિત ૧૭ જણની ધરપકડ
બોગસ બિલિંગનો આંકડો 9,750 કરોડ, ક્રેડિટ લેનારાઓમાં અમદાવાદના 9 જેટલા સોનીઓ હોવાનું તપાસમાં થયો ખુલાસો
Share This Article
Facebook Email Print
Previous Article લોકડાઉનમાં બહાર નીકળવા મામલે વિવાદ, યુવકની ગોળી મારી હત્યા કરાઈ
Next Article આ દેશે લગાવ્યો ‘કોરોના વાઈરસ’ શબ્દ પર લગાવ્યો પ્રતિબંધ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up