By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ઓલપાડ તાલુકામાં 350 વિંઘા જમીનમાં ડાંગરની રોપણી અટકી પડી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Surat > ઓલપાડ તાલુકામાં 350 વિંઘા જમીનમાં ડાંગરની રોપણી અટકી પડી
GeneralSurat

ઓલપાડ તાલુકામાં 350 વિંઘા જમીનમાં ડાંગરની રોપણી અટકી પડી

HM News
Last updated: 07/07/2022 5:53 AM
HM News
3 years ago
Share
SHARE

સુરત : સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના અરિયાણા-બરબોધન અને દિહેણ-કુંકણી ગામોને જોડતો રસ્તા બનાવવામાં થયેલી બેદરકારીના પગલે આ ચોમાસાની ઋતુમાં વરસાદી પાણીનો નિકાલ નહીં થતા આ ચાર ગામો સહિત આજુબાજુના દસ થી વધુ ગામોની 350 વિંઘા જમીનમાં ડાંગરની રોપણી અટકી ગઇ હોવાની ખેડુતો દ્વારા ફરિયાદ ઉઠી છે.

ઓલપાડ તાલુકાના અંભેટા થી લઇને દિહેણ,અરિયાણાથી છેક પીજરંત સુધીના ગામોમાં ગત ચોમાસામાં નહેરની બરાબર સફાઇ નહીં કરાઇ હોવાથી પાણીનો ઝડપથી નિકાલ નહીં થતા આ ગામોમાં ડાંગરની રોપણી અટકી પડી હતી.આ વર્ષે સિંચાઇ વિભાગ દ્વારા બરાબર સફાઇ કરાઇ તો રસ્તાના પ્રશ્નના કારણે ડાંગરની રોપણી અટકી પડી છે.આ અંગે ગ્રામજનોએ આક્ષેપ કર્યા હતા કે અરિયાણા-બરબોધન અને દિહેણ-કુંકણી ગામોને જોડતો રસ્તો ગત વર્ષે બનાવવામાં આવ્યો હતો.

પરંતુ જયારે આ રસ્તાઓ બનાવવામાં આવ્યા ત્યારે કોન્ટ્રાકટર દ્વારા રસ્તા બનાવવામાં જે મટીરીયલમાં ગુણવતા જાળવવામાં આવી નથી. સીટ પીચીંગ પર કરવામાં આવ્યુ નથી.રસ્તાઓ પર જે ગરનાળાઓ નાંખવામાં આવ્યા છે. તે ગરનાળાઓ તુટી જતા વરસાદી પાણીનો નિકાલ જ અટકી ગયો છે. જેના કારણે આ વિસ્તારમાં ૩૫૦ વિંઘા જમીનમાં ડાંગરની રોપણી અટકી પડી છે.આગામી દિવસોમાં વરસાદી પાણીનો સમયસર નિકાલ થાય તેવી વ્યવસ્થા કરવાની માંગ ઉઠી છે.ખરાબ રસ્તાના કારણે ખેડુતોએ ખાતર-દવા છંટકાવ માટે 3 કિલોમીટર ચાલીને જવુ પડે છે

ચોમાસામાં રસ્તાઓ ખરાબ થઇ જવાથી ખેડુતો પણ લાચારી અનુભવી રહ્યા છે.રોડની હાલની સ્થિતિના કારણે કુંકણી,અરિયાણા,બરબોધન,સેગવા ગામના ખેડુતો અને નાગરિકો હાલાકી ભોગવી રહ્યા છે.રસ્તાઓ ખરાબ હોવાના કારણે વાહનો અવરજવરમા મુશ્કેલી થઇ રહી છે.મોટા મોટા ખાડાઓ પડી જતા ખેડુતો ખાતર-દવા છંટકાવ માટે લગભગ ત્રણ કિ.મી ચાલીને જવાની ફરજ પડી રહી છે.

વાપી નગરપાલિકા વિસ્તારમાં પોઝીટીવ કેસ નોંધાતા એ.પી.સેન્ટર અને કન્ટેઇનમેન્ટ ઝોન નક્કી કરાયા
મહીસાગર જિલ્લા ભાજપના કારોબારી સભ્ય અને તેમની પત્નીની હત્યા : ડોગ સ્કોડ અને FSL ટીમ તપાસમાં સામેલ
સુરતમાં પ્રવેશ માટે નેગેટીવ રીપોર્ટ ફરજીયાત તેમજ સ્થળ પર જ ટેસ્ટીંગ કરાશે
પત્રિકાકાંડ : ભાજપ હાઇકમાન્ડે કંઈ ના કરીને પણ મોટો ખેલ પાડી દીધો : બંને જૂથોને કદ પ્રમાણે વેતરી નાંખ્યા !
સુરત : મહિલાને તેની જ બેંકનો સહકર્મી I love U અને merry meનાં મેસેજ કરી કરતો હતો પરેશાન, થઇ ધરપકડ
Share This Article
Facebook Email Print
Previous Article સુરતના ઓલપાડ તાલુકામાં માત્ર કલાકમાં અધધધ 4 ઇંચ વરસાદ ખાબક્યો
Next Article હનીટ્રેપ કરી રૃા.5 લાખ ખંડણીના કેસમાં આરોપીના આગોતરા જામીન રદ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up