By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: કંપની ડાયરેકટરોને પગાર કેટલો? ટેકસ ચુકવ્યો છે? : GST વિભાગે નોટીસો ફટકારતા ઉહાપોહ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Business > કંપની ડાયરેકટરોને પગાર કેટલો? ટેકસ ચુકવ્યો છે? : GST વિભાગે નોટીસો ફટકારતા ઉહાપોહ
BusinessGeneralNational

કંપની ડાયરેકટરોને પગાર કેટલો? ટેકસ ચુકવ્યો છે? : GST વિભાગે નોટીસો ફટકારતા ઉહાપોહ

HM News
Last updated: 20/05/2020 11:25 AM
HM News
5 years ago
Share
SHARE

કોરોના લોકડાઉનને કારણે આર્થિક સંકટમાં મુકાયેલા વેપાર ઉદ્યોગ દ્વારા જીએસટીમાં રાહત માંગવામાં આવી રહી છે ત્યારે જીએસટી વિભાગે નવો ફતવો જારી કરીને કંપની ડાયરેકટરના પગારની માહિતી તથા તેના પર ટેકસ ચુકવાયો છે કે કેમ તેની વિગતો માંગતા કોર્પોરેટ જગતમાં જબરો ઉહાપોહ શરુ થયો છે.ડાયરેકટરોના પગાર તથા ટેકસ માહિતી માંગતી નોટીસો કંપનીઓને પાઠવવામાં આવી છે.

જીએસટી વિભાગ દ્વારા કેટલાંક રાજયોની કંપનીઓને નોટીસો ફટકારવામાં આવી છે.કોરોના લોકડાઉન પછી હજુ વેપારધંધાની ગાડી પાટે ચડી નથી અને બહુ ઓછી કંપનીઓ દ્વારા ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ છે તેવા સમયે જીએસટી વિભાગના નોટીસ જેવા ફતવાથી ભારે નારાજગી ઉભી થઈ છે. કંપની ડાયરેકટરોના પગાર-વળતર પર જીએસટી મુદે ઓથોરીટી ઓફ એડવાન્સ રૂલીંગના વિરોધાભાસી આદેશો વચ્ચે જીએસટી વિભાગ દ્વારા કંપનીઓ પાસેથી માહિતી માંગવાનું શરૂ કરવામાં આવ્યું છે.રાજસ્થાનની ઓથોરીટી ઓફ એડવાન્સ રૂલીંગ દ્વારા ડાયરેકટરોના પગાર વળતરને જીએસટી દાયરામાં ગણાવવામાં આવ્યું છે જયારે કર્ણાટક ઓથોરીટી દ્વારા તે જીએસટી દાયરામાં ન હોવાનો આદેશ કરવામાં આવ્યો છે.કરવેરા નિષ્ણાંતોના કહેવા પ્રમાણે બે રાજયોની ઓથોરીટીના વિરોધાભાસી ચુકાદાને કારણે જીએસટી વિભાગમાં જ ગુંચવાડો છે અને તેના કારણે બીનજરૂરી કાનૂની વિવાદો ઉભા થવાની આશંકા છે.છતીસગઢ, ઉતરપ્રદેશ તથા મહારાષ્ટ્ર જેવા રાજયોના જીએસટી વિભાગ દ્વારા કંપનીઓને નોટીસો ફટકારવામાં આવી છે અને ડાયરેકટરોના પગાર વળતર તથા ટેકસ સંબંધી માહિતી માંગતી નોટીસો ફટકારવામાં આવી છે.કેટલાંક કિસ્સામાં તો કંપનીઓને 1 જુલાઈ 2017થી ડાયરેકટરોના પગાર વળતર તથા ટેકસની માહિતી આપવાની નોટીસ મોકલવામાં આવી હતી અને સપ્તાહમાં જ જવાબ આપવામાં ન આવે તો કાયદેસરની કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી છે.જીએસટી તંત્રની આ નોટીસો સેવા સહિતના ક્ષેત્રોની કંપનીઓને અકળામણની હાલતમાં મુકી શકે છે.કારણ કે તેને દરેક રાજયમાં અલગ નોંધણી કરાવવાની હોય છે.

આપત્તિને અવસરમાં ફેરવી રહ્યા છે લાંચીયારાજાઓ, કોરોનાકાળમાં કેન્દ્રને ભ્રષ્ટાચારની 40,000 ફરિયાદોનો ઢગલો મળ્યો !
શિવસેનાના ઈતિહાસમાં ચોથો સોથી મોટો બળવો
કોરોનથી મૃત્યુ પામેલા લોકોના પરિવારને વળતર ચૂકવો : કેન્દ્રને સુપ્રીમ કોર્ટનો આદેશ
બોગસ વિલના આરોપ બાદ ઋષિ મહારાજની આગોતરા જામીન અરજી
પાકિસ્તાનમાં પણ છે 16મી સદીમાં બનેલુ ભગવાન રામનુ મંદિર, હિન્દુઓને પૂજા કરવાની મંજૂરી નથી
Share This Article
Facebook Email Print
Previous Article પોરબંદરના ખોજા સમાજના ઉદ્યોગપતિ રિઝવાન આડતીયાનો મોઝામ્બિકમાં હેમખેમ છુટકારો
Next Article લો બોલો : ક્વોરન્ટાઈન સેન્ટરમાં મહિલા ડાન્સરોનો બીયર માટે હોબાળો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up