ઉત્તરપ્રદેશમાં હાથરસમાં યુવતિ પર બળાત્કાર કરીને મોતને ઘાટ ઉતારવાની ઘટનાથી આખા દેશૉ આક્રોશમાં છે.ત્યારે સવાલ એ ઉભો થાય કે આવી ઘટનાઓ ક્યાં જઇને અટકશે? કે સરકાર કેવા કેવા પગલાં લેશે? નિર્ભયા જેવા કેસો આવ્યા બાદ આવી અનેક નિર્ભયાના જીવ જતા હશે જેની નોંધ નહી લેવાતી હોય.
સોશિયલ મીડિયામાં જ્સ્ટીસ ફોર મનિષા ટ્રેન્ડ કરી રહયું છે. નિભર્યાકાંડ પછી મહિલા ઉત્પીડનના કાયદામાં સુધારો કરવા છતાં બળાત્કાર અને મહિલા પર અત્યાચાર થવાનું પ્રમાણ ઘટયું નથી. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરોના જણાવ્યા અનુસારસ,૨૦૧૯ના વર્ષમાં રોજ ૮૭ મહિલાઓ પર બળાત્કારની ઘટનાઓ બની હતી.વર્ષમાં કુલ ૪૦૫૮૬૧ જે ૨૦૧૮ના આંક કરતા ૭ ટકા જેટલા વધારે હતા.30.9 ટકા કેસના આરોપીઓ પીડિતાના પતિ કે સગા સંબંધીઓ હતા
2018ની સરખામણીમાં મહિલા પરના અપરાધમાં 7 ટકા વધારો
૨૦૧૮માં ૨,૭૮,૨૩૬ કેસ નોંધાયા હતા.એનસીઆરબી ૨૦૧૯ના ડેટા અનુસાર આઇપીસી કલમ હેઠળ જે કેસ નોંધવામાં આવ્યા તેમાંના ૩૦.૯ ટકાના આરોપીઓ પીડિતાના પતિ કે સગા સંબંધીઓ જ હતા.આ ઉપરાંત ૨૧.૮ ટકા ગુનાઓ મહિલાઓની બે ઇજજતી અને ૧૭.૯ ટકા અપહરણ કેસ હતા.એનસીઆરબીના આંકડા અનુસાર માત્ર મહિલાઓ જ નહી બાળકો સાથે સંકળાયેલા અપરાધમાં પણ વધારો થયો છે.
રિપોર્ટ મુજબ ૨૦૧૮ની સરખામણીમાં ૨૦૧૯માં ૪.૫ ટકા વધારો થયો છે.૨૦૧૯માં બાળકો સાથેના ૧.૪૮ લાખ ગુનાઓ બન્યા જેમાં ૪૬.૬ ટકા ઉત્પીડનને લગતા હતા. જયારે ૩૫.૩ કેસ યૌન શોષણને લગતા બન્યા હતા.
કેન્દ્રીય ગૃહ મંત્રાલય અંર્તગત એનસીઆરબીએ ૩૬ રાજયો અને ૭ કેન્દ્રશાસિત પ્રદેશો અને ૫૩ મહાનગરોના અપરાધને લગતા આંકડા નોંધ્યા હતા અને તેના આધારે કુલ ત્રણ ભાગમાં અહેવાલ તૈયાર કરવામાં આવ્યું છે.જો કે પ્રાપ્ત માહિતી અનુસાર આ નવા ડેટામાં પશ્ચિમ બંગાળ રાજયના ડેટાનો સમાવેશ થતો નથી.આથી તેના આંકડા વર્ષ ૨૦૧૮ની સ્થિતિ દર્શાવે છે.
નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરોના આંકડા પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર થયેલા ગુનાઓના આધારે તૈયાર થાય છે પણ દુર અંતરિયાળ વિસ્તારમાં બળાત્કાર અને મહિલા ઉત્પીડનની ઘટનાઓ બનતી રહે છે પણપોલીસ સ્ટેશન સુધી પહોંચતી નથી,એમ ગણીએ તો મહિલાઓ પરના અત્યાચારની વાસ્તવિકતાના મૂળ આંકડા કરતા પણ વધારે હશે.