By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ચાણક્ય નહીં ચાર્વાકને માને છે ગુજરાત સરકારઃ આપણને દેવું કરીને ઘી પીવડાવી રહી છે?
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Gandhinagar > ચાણક્ય નહીં ચાર્વાકને માને છે ગુજરાત સરકારઃ આપણને દેવું કરીને ઘી પીવડાવી રહી છે?
GandhinagarGeneralGujarat Now

ચાણક્ય નહીં ચાર્વાકને માને છે ગુજરાત સરકારઃ આપણને દેવું કરીને ઘી પીવડાવી રહી છે?

HM News
Last updated: 28/02/2020 12:25 PM
HM News
5 years ago
Share
SHARE

આપણા દેશમાં ફિલોસોફી બાબતે બે લોકો વધુ ચર્ચામાં રહે છે. એક ચાણક્ય અને બીજા ચાર્વાક. ચાણક્ય એવું કહેતા કે રાજાએ લોકો પાસેથી એ રીતે કર ઉઘરાવવો જોઇએ જે રીતે મધમાખી ફૂલો પરથી મધ લે છે. જ્યારે ચાર્વાક નામનો ઋષિ એવું કહેતો કે પુનર્જન્મ હોતો નથી એટલે જે જનમ મળ્યો તેમાં દેવું કરીને પણ ઘી પીવું જોઇએ. લાગે છે કે ગુજરાત સરકાર ચાર્વાકને અનુસરે છે. ગુજરાત સરકારનું જાહેર દેવું હંમેશા ચર્ચામાં હોય છે. આજે સ્થિતિ એવી આવીને ઉભી છે કે રાજ્યના કુલ બજેટ કરતાં જાહેર દેવાની રકમ વધતી જાય છે. રાજ્યના નાણા વિભાગે વિધાનસભામાં કબુલાત કરી હતી કે માર્ચ 2019ના અંતે ગુજરાત સરકારનું જાહેર દેવું 240652 કરોડ રૂપિયા છે. આ દેવું માર્ચ 2020ના અંતે વધીને 2.70 લાખ કરોડ થાય તેવી શક્યતા છે. એટલે કે ગુજરાત સરકારના બજેટ કરતાં જાહેર દેવાના આંકડા વધુ જોવા મળ્યા છે.

ગુજરાત સરકારનું સામાન્ય બજેટ 2.17 લાખ કરોડ થયું છે જ્યારે દેવાનો આંકડો 2.40 લાખ કરોડને વટાવી ગયો છે. જો કે જાહેર દેવામાં સરકારને ભરવું પડતું વ્યાજનું ભારણ અસહ્ય બનતું જાય છે, કારણ કે દેવું કરવામાં સરકાર પાછું વાળીને જોતી નથી. વિવિધ સંસ્થાઓ પાસેથી ઉંચા વ્યાજે રૂપિયા મેળવે છે. સરકાર સૌથી વધુ બજાર લોન પર ધ્યાન કેન્દીત કરે છે, કારણ કે બજાર લોન 6.68 થી 9.75 ટકાએ મળે છે. રાજ્ય સરકારે 1.79 લાખ કરોડની તો બજાર લોન લીધી છે.

કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારના એક પ્રશ્નના લેખિત જવાબમાં નાણા વિભાગે જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષમાં લોનની રકમમાં વધારો થયો છે. 2017-18માં 13253 કરોડ અને 2018-19માં 28061 કરોડ રૂપિયાનો વધારો થયો છે. લોનના વ્યાજ અંગેના પૂરક પ્રશ્નના જવાબમાં વિભાગે કહ્યું હતું કે અગાઉના વર્ષમાં સરકારે લોનના વ્યાજ પેટે 30846 કરોડ રૂપિયા અને ગયા વર્ષે 33564 કરોડ રૂપિયા ચૂકવ્યા છે.

મહત્વની બાબત એવી છે કે લોનનું વ્યાજ માત્ર 4.75 ટકાથી 8.75 ટકા છે તેવી નાણાંકીય સંસ્થાઓની લોન સરકાર ઓછી લેતી હોય છે. બે વર્ષમાં સરકારે આવી સંસ્થાઓ પાસેથી માત્ર 14691 કરોડની લોન લીધી છે. એનએસએસએફ લોન પણ 39385 કરોડ થવા જાય છે પરતુ તેના વ્યાજના દર 10.50 ટકા છે તેથી સરકાર તે લોન ઓછી લેતી હોય છે. સરકાર પર કેદ્રીય દેવાની રકમ 7223 કરોડ થાય છે પરંતુ તે શૂન્ય ટકા થી 13 ટકા સુધીના વ્યાજે મળતી હોય છે તેથી સરકારનો મોટો આધાર બજાર લોન પર હોય છે.

SVP હોસ્પિટલમાં હેલિપેડ તૈયાર છે છતાં હેલિકોપ્ટર વસાવ્યું નથી
ડાંગ વિધાનસભાની પેટા ચૂંટણી સંદર્ભે જિલ્લા ચૂંટણી અધિકારીએ વિવિધ સમિતિઓના નોડલ ઓફિસરની નિયુક્તિ કરી
પહેલી વાર જગન્નાથ માટે બખ્તર શણગાર તૈયાર કરાયા
BREAKING : ભાજપના MLA હાર્દિક પટેલ સામે ધ્રાંગધ્રા કોર્ટે ધરપકડ વોરંટ ઈશ્યુ કર્યું
કે એલ રાહુલ ઘાયલ, સિરીઝમાંથી આઉટ
Share This Article
Facebook Email Print
Previous Article ધારાસભ્યના કાર્યક્રમમાં માટે પાલિકાએ 40 હજાર ભાડાનો હોલ બે દિવસ માટે મફત આપ્યો
Next Article મનપાએ મધરાતથી શરૂ કરી પાણીની નવી લાઈનોના જાેડાણની કામગીરી, રાંદેરઝોન સિવાયના તમામ વિસ્તારોમાં પાણી કાપ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up