By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: નવા આવકવેરા કાયદામાં રાહત: કરદાતા પ્રવાસ-મુસાફરી ખર્ચમાં કરમુક્તિ મેળવી શકશે
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > નવા આવકવેરા કાયદામાં રાહત: કરદાતા પ્રવાસ-મુસાફરી ખર્ચમાં કરમુક્તિ મેળવી શકશે
GeneralNational

નવા આવકવેરા કાયદામાં રાહત: કરદાતા પ્રવાસ-મુસાફરી ખર્ચમાં કરમુક્તિ મેળવી શકશે

HM News
Last updated: 29/06/2020 6:43 AM
HM News
5 years ago
Share
SHARE

નવી દિલ્હી તા.29 : કોરોના સંકટ વચ્ચે દેશમાં વિવિધ ટેકસ બદલાવ કરવામાં આવ્યા છે ત્યારે હવે વ્યક્તિગત કરદાતાઓ કંપનીઓ તરફથી મળતા મુસાફરી-પ્રવાસ સહિતના ભથ્થાઓમાં કરછુટ્ટ મેળવી શકશે.કેન્દ્રીય સીધા કરવેરા બોર્ડ દ્વારા આ અંગેનું નોટીફીકેશન જારી કરી દેવામાં આવ્યું છે.નવા ટેકસ કાયદામાં આ છુટછાટો જાહેર કરવામાં આવી છે.

સીધા કરવેરા બોર્ડના નોટીફીકેશનમાં મુસાફરી ખર્ચ,બદલીને કારણે થનારા દૈનિક ખર્ચ,સતાવાર પ્રવાસ માટે મળતા મુસાફરી તથા દૈનિક ભથ્થા તથા સતાવાર કામગીરી દરમ્યાન થતા ખર્ચમાં કરમુક્તિ મેળવવાની છૂટ્ટ આપવામાં આવી છે.અંધ,મુંગા,બહેરા સહિતના વિકલાંગ કર્મચારીઓને પણ રૂા.3200 સુધીનું ટ્રાન્સપોર્ટ એલાઉન્સ કરમુક્ત રહેશે.આ ખર્ચને માલિકની જવાબદારીમાં ગણીને કરમુક્તિ આપવામાં આવી છે.મફત ભોજન અથવા નોન-આલ્કોહોલીક નાસ્તા અથવા રૂા.50 સુધીના ભોજન વાઉચરને નવા ટેકસ કાયદામાં કરમુક્તિનો લાભ નહીં મળે.કરવેરા નિષ્ણાંતોના કહેવા પ્રમાણે પ્રવાસ,ટ્રાન્સફર તથા કન્વેયન્સમાં કરમુક્તિ સાચી દિશાનું કદમ છે.આ કાર્યો કર્મચારી પોતાના ફાયદા માટે નથી કરતો પરંતુ ઓફીસની ફરજના ભાગરૂપે કરતો હોય છે એટલે કર્મચારી પાસેથી ટેકસ વસુલાત ગેરવ્યાજબી હતી.પ્રવાસ સહિતના ભથ્થાઓને કરમુક્તિના આ નિયમોમાં અમલ 1લી એપ્રિલ 2021થી થશે. આકારણી વર્ષ 2021-22થી લાગુ પડશે.કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સિતારામને ગત બજેટમાં નવો વૈકલ્પિક આવકવેરા કાયદો સુચવ્યો હતો.નવા કાયદામાં આવકવેરા દર નીચા હતા.પરંતુ અન્ય કોઈ છૂટછાટો નહીં મળવાની ચોખવટ કરવામાં આવી હતી.હવે સરકારે પ્રવાસ-મુસાફરી ભથ્થામાં છુટછાટો આપી છે.માલિક-કંપની માટે કાર્યવાહી કરનારા કર્મચારીઓને રાહત વ્યાજબી છે.કરમાળખુ સરળ થઈ શકશે અને નીચા ટેકસનો લાભ મળી શકશે.

સુરતમાં મેડિકલ સ્ટોરમાં નોકરી કરતા યુવાનને મહિલાએ બોલાવી શારીરિક સંબંધ બાંધવા કહ્યું,ઈન્કાર કરતા બ્યુટીપાર્લરમાં ગોંધી માર મારી 25 લાખ માગ્યા
રીઝર્વ બેંક ૧૦૦ રૂપિયાની નવી નોટ લાવવાની તૈયારીમાં
ચેઈન સ્નેચરોનો પીછો કરતા યુવાનને પગ મારી મોપેડ પરથી ફેંકી દેતા ઘાયલ
ડેરિવેટીવ્ઝમાં જુલાઇ વલણના અંત પૂર્વે ભારતીય શેરબજારમાં અફડાતફડીના અંતે ફંડોની ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્…!!
RTEમાં પ્રથમ રાઉન્ડની ૬ હજાર સહિત ૧૩ હજાર બેઠકો ખાલી
Share This Article
Facebook Email Print
Previous Article FCIનું દેવું વધીને રૂ.3.33 લાખ કરોડે પહોંચ્યું,લિકવીડિટીની અછત
Next Article આજે કમલમ પર બેઠક: પેટા ચૂંટણી અને સ્થાનિક સ્વરાજ્ય માટે મનોમંથન
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up