By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: શ્રીકૃષ્ણ જન્મભૂમિ વિવાદના કેસનો ૧૯મી મેએ ચુકાદો આવશે
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > શ્રીકૃષ્ણ જન્મભૂમિ વિવાદના કેસનો ૧૯મી મેએ ચુકાદો આવશે
GeneralNational

શ્રીકૃષ્ણ જન્મભૂમિ વિવાદના કેસનો ૧૯મી મેએ ચુકાદો આવશે

HM News
Last updated: 06/05/2022 5:21 AM
HM News
3 years ago
Share
SHARE

મથુરામાં શ્રીકૃષ્ણ જન્મભૂમિ વિવાદના કેસનો ૧૯મી મેએ ચુકાદો આવશે.મથુરાની કોર્ટમાં શ્રીકૃષ્ણ જન્મભૂમિ પરિસરની ૧૩.૩૭ એકર જમીનની માલિકી માટે અરજી થઈ છે.અરજદારોએ કોર્ટની દેખરેખમાં શ્રીકૃષ્ણ જન્મ પરિસરની જમીનમાં ખોદકામ કરીને રીપોર્ટ આપવાની માગણી કરી છે.ઉત્તર પ્રદેશના મથુરાની કોર્ટમાં શ્રીકૃષ્ણ જન્મભૂમિના વિવાદનો કેસ ચાલી રહ્યો છે.શ્રીકૃષ્ણ જન્મસ્થળ નજીક બનેલી શાહી ઈદગાહ મસ્જિદ શ્રીકૃષ્ણનો જન્મ જે જેલમાં થયો હતો તેના પર બની હોવાનો દાવો ઘણો જૂનો છે.અરજદારોએ કોર્ટમાં કહ્યું હતું કે આખા શ્રીકૃષ્ણજન્મ પરિસરમાં કોર્ટની નિગરાનીમાં ખોદકામ કરીને રીપોર્ટ તૈયાર કરવો જોઈએ.બાંધકામની નીચેની જમીનના પુરાવાના આધારે આખા પરિસરનો કબજો શ્રીકૃષ્ણ જન્મભૂમિને આપવો જોઈએ.અરજી પ્રમાણે જે સ્થળે અત્યારે મસ્જિદ બાંધવામાં આવી છે તે સ્થળે મથુરામાં સદીઓ પહેલાં કંસનો કારાવાસ હતો.એ કારાવાસમાં જ શ્રીકૃષ્ણનું પ્રાગટય થયું હતું.એટલે જેલને શ્રીકૃષ્ણજન્મનું મૂળ સ્થળ માનીએ તો એ સ્થળની માલિકી મંદિરન મળવી જોઈએ એવી માગણી થઈ છે.આ મુદ્દે ઘણી અરજીઓ થઈ છે.અગાઉ ૨૦૨૦માં મસ્જિદને હટાવવાની અરજી કોર્ટે નકારી દીધી હતી.એ પછી તેના પુરાવા એકઠા કરવાની અને તેના માલિકી હક્કો માટે અરજીઓ થઈ છે, તે અંગે મથુરાની કોર્ટ ૧૯મી મેના રોજ ચુકાદો આપશે.

શું ફરી લોકડાઉન? : ડોકટરો અને વેપારીઓ કોરોના કાબૂમાં લાવવા આંશિક લોકડાઉનની તરફેણમાં, સરકાર લઈ શકે છે મોટો નિર્ણય
રોજગારીની પતંગ’કપાય’તે પહેલા ઉત્પાદકોએ હાઇકોર્ટના દરવાજા ખટખટાવ્યા
દેશમાં 24 કલાકમાં રેકોર્ડ બ્રેક 1.84 લાખ નવા કેસ, કુલ કેસોનો આંક 1.38 કરોડને પાર
રવિચંદ્રન અશ્વિન કોરોનાથી સંક્રમિત થયા, શું ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ મેચ રમી શકશે?
ચાઈનાએ માછલીના કન્ટેનરો રિજેક્ટ કરતા માછીમારોને રૂ.૩૦ કરોડની નુક્સાની
Share This Article
Facebook Email Print
Previous Article ભારતમાં કોરોનાના નવા ૩૨૭૫ કેસ, વધુ ૫૫નાં મોત
Next Article પંજાબ પોલીસે ભાજપ પ્રવક્તા તેજિંદર બગ્ગાની ધરપકડ કરી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up