By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: સ્ટેન્ડીંગ કમિટીમાં નિર્ણય લેવાયો, અમદાવાદમાં સેલરમાંથી પાણી નિકાલ માટે સોસાયટીએ હવે વ્યવસ્થા કરવી પડશે
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > સ્ટેન્ડીંગ કમિટીમાં નિર્ણય લેવાયો, અમદાવાદમાં સેલરમાંથી પાણી નિકાલ માટે સોસાયટીએ હવે વ્યવસ્થા કરવી પડશે
AhmedabadGeneral

સ્ટેન્ડીંગ કમિટીમાં નિર્ણય લેવાયો, અમદાવાદમાં સેલરમાંથી પાણી નિકાલ માટે સોસાયટીએ હવે વ્યવસ્થા કરવી પડશે

HM News
Last updated: 15/07/2022 6:51 AM
HM News
3 years ago
Share
SHARE

અમદાવાદ : અમદાવાદમાં ગત રવિવારે સાંજથી શરુ થયેલા વરસાદ સમયે શહેરના વિવિધ વિસ્તારમાં પાંચ ઈંચથી લઈ અઢાર ઈંચ સુધીનો ભારે વરસાદ થતા મ્યુનિ.તંત્રે શહેરના વિવિધ વિસ્તારમાં આવેલી ૪૩૦ જેટલી ખાનગી સોસાયટીઓમાં વરસાદી પાણીના નિકાલ માટે ૮૦ પમ્પ મુકયા હતા.આગામી સમયમાં શહેરમાં સેલર ધરાવતા બાંધકામોવાળી ઈમારતોમાં સેલરમાંથી પાણીનો નિકાલ કરવા માટે સોસાયટીએ જ પમ્પની વ્યવસ્થા કરવી પડશે.આ અંગે નવી પોલીસી પણ મ્યુનિ.દ્વારા બનાવવામાં આવશે.

સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં શહેરમાં રવિવાર અને સોમવાર ઉપરાંત ગુરુવારે સવારે પડેલા વરસાદને લઈ વરસાદી પાણીના નિકાલ અંગેની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.ચેરમેન હિતેશ બારોટે પ્રતિક્રીયા આપતા કહ્યુ,મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટીતંત્ર તરફથી વરસાદી પાણીનો ઝડપથી નિકાલ થાય એ માટેના તમામ પ્રયાસ કરવામાં આવ્યા હતા.ઉપરાંત શહેરના વિવિધ વિસ્તારમાં આવેલી ખાનગી સોસાયટીઓમાં જયાં પણ સેલરમાં વરસાદી પાણી ભરાયેલા જોવા મળ્યા એ તમામ સોસાયટીઓમાં પણ મ્યુનિ.તંત્ર તરફથી વરસાદી પાણીનો ઝડપથી નિકાલ કરવામાં આવ્યો હતો.આવનારા સમયમાં સેલર ધરાવતી ખાનગી સોસાયટીઓના સેલરમાં ભરાતા વરસાદી પાણીના નિકાલ માટે સોસાયટી દ્વારા જાતે જ વરસાદી પાણીનો નિકાલ થાય એ હેતુથી પમ્પની વ્યવસ્થા તેમના દ્વારા કરવાની રહેશે.

શહેરમાં એક ઈંચ જેટલા વરસાદમાં અનેક વિસ્તારોમાં સ્ટ્રોમ ડ્રેનેજ લાઈનની ક્ષમતા ઓછી હોવાથી વરસાદી પાણી બેક મારી લોકોના ઘર સુધી પહોંચતા હોવાથી આગામી સમયમાં જે કોઈ પણ વિસ્તારમાં નવી ડ્રેનેજ લાઈન નાંખવાની કામગીરી હાથ ધરવામાં આવશે તે વધુ ક્ષમતાવાળી તૈયાર થાય એ પ્રમાણેનું આયોજન હાથ ધરવામાં આવશે.

શહેરના વિવિધ વિસ્તારમાં વરસાદી પાણીના ઝડપથી નિકાલ માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફરજ ઉપર મુકવામાં આવેલા સ્ટાફને પાલડી વિસ્તારમાં વિશ્વકુંજ ચાર રસ્તા પાસે ડ્રેનેજની સફાઈ દરમિયાન મોટી માત્રામાં લોકો દ્વારા ફેંકવામાં આવેલ પ્લાસ્ટિક વેસ્ટ મળી આવ્યો હતો.પ્લાસ્ટિક વેસ્ટના કારણે સ્ટ્રોમ વોટર પમ્પિંગની પાણી ખેંચવાની ક્ષમતા ઓછી થઈ જાય છે.

મહારાષ્ટ્ર સીઈટીની પરીક્ષા ઑગસ્ટના પહેલાં અઠવાડિયાથી શરુ થશે
તમારા કસ્ટમ કે ડ્યુટી ડ્રો-બેક લેવાના બાકી છે ? 31મી સુધીમાં ક્લેઇમ પાસ કરી દેવા હુકમો !!
ખેડા જિલ્લામાં ઓડિટમાં વાંધો નહિ કાઢવા સિનીયર ક્લાર્કે માંગ્યા રૂ. 1 હજાર, ACB એ દબોચ્યો
આગામી વિધાનસભા ચૂંટણી લડવાના ગણગણાટ વચ્ચે CRના પુત્ર જીગ્નેશ પાટીલ VNSGUમાં સેનેટની ચૂંટણી લડશે
કોરોનાએ ફરી ઉથલો માર્યો, નવા કેસ ત્રણ હજારને પાર, વધુ 32ના મોત
Share This Article
Facebook Email Print
Previous Article કોરોના સંક્રમણમાં વધારો ,અમદાવાદમાં એક મહિના બાદ કોરોનાથી એક મોત,૨૯૯ કેસ
Next Article અમદાવાદ શહેરનાં ઉસ્માનપુરા-ચાંદખેડામાં બે ઈંચ વરસાદ વરસ્યો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up