By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: CAAને લઈને સંસદમાં ગૃહ મંત્રાલયએ આપ્યો જવાબ, જણાવ્યું આખરે કેટલા સમયમાં બનશે નિયમો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > CAAને લઈને સંસદમાં ગૃહ મંત્રાલયએ આપ્યો જવાબ, જણાવ્યું આખરે કેટલા સમયમાં બનશે નિયમો
GeneralNational

CAAને લઈને સંસદમાં ગૃહ મંત્રાલયએ આપ્યો જવાબ, જણાવ્યું આખરે કેટલા સમયમાં બનશે નિયમો

HM News
Last updated: 27/07/2021 9:05 AM
HM News
4 years ago
Share
SHARE

દેશભરમાં નાગરિકતા સંશોધન કાયદાને લઈને ભારે વિવાદ સર્જાયો હતો.કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા નાગરિકતા સંશોધન એક્ટ (CAA)ના નિયમ હજુ સુધી તૈયાર નથી થઈ શક્યા.કેન્દ્રીય મંત્રાલયે મંગળવારના આની જાણકારી આપી છે,સાથે જ નિયમોને બનાવવા માટે વધુ 6 મહિનાનો સમય માંગ્યો છે.કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એક પ્રશ્નના જવાબમાં 9 જાન્યુઆરી, 2022 સુધીનો સમય માંગ્યો છે,જેથી નાગરિકતા સંશોધન એક્ટ હેઠળ નિયમો તૈયાર કરી શકાય.

લોકસભામાં કૉંગ્રેસ નેતા ગૌરવ ગોગોઈએ પ્રશ્ન પૂછ્યો કે શું કેન્દ્ર સરકારે CAAના નિયમોને નોટિફાઈ કરવાની કોઈ અંતિમ તારીખ નક્કી કરી છે? જો હા તો એ કઈ છે અને ના તો અત્યાર સુધી કેમ નથી કરવામાં આવી? આના જવાબમાં ગૃહ મંત્રાલયે કહ્યું કે, CAAને 12.12.2019ના નોટિફાઇ કરવામાં આવ્યું હતું, 2020માં આ કાયદાનું રૂપ લઈ ચૂક્યું છે,પરંતુ લોકસભા અને રાજ્યસભાની કમિટીઓથી આ કાયદા અંતર્ગત નિયમ તૈયાર કરવા માટે જાન્યુઆરી 2022 સુધીનો સમય માંગવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2019માં નાગરિકતા સંશોધન એક્ટને રજૂ કરવામાં આવ્યું હતું.આ કાયદા હેઠળ પાકિસ્તાન,અફઘાનિસ્તાન,બાંગ્લાદેશથી આવનારા હિંદુ,શીખ,જૈન,ઈસાઈ અને બૌદ્ધ સમુદાયના લોકોને ભારતની નાગરિકતા આપી શકાશે. કેન્દ્ર સરકારના આ કાયદાનો દેશના અલગ-અલગ ભાગોમાં જોરદાર વિરોધ થયો હતો.સાથે જ વિપક્ષ પણ આ કાયદાની વિરોધમાં હતો.જો કે બિલે કાયદાનું રૂપ લીધું ત્યારબાદ કોરોનાની દેશમાં એન્ટ્રી થઈ હતી તેવામાં સરકારે કાયદો બનાવવા માટે લાંબો સમય માંગ્યો હતો.

લોકસભામાં સરકાર દ્વારા એક બીજો જવાબ આપવામાં આવ્યો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે વર્ષ 2020માં દિલ્હી પોલીસે UAPA હેઠળ કુલ 9 કેસ નોંધ્યા છે, જ્યારે 34 લોકોની ધરપકડ થઈ છે.

સુરતમાં મૃત્યુ વધતા સ્મશાન સુધી મૃતદેહ લઈ જવા શબવાહિની ખૂટી પડી, લોકો ખાનગી વાહનમાં શબ લઈ જવા મજબૂર
તૃણમૂલ સાંસદ મહુઆ મોઈત્રાએ કાલીને માંસ-મદીરા સ્વીકારતા દેવી ગણાવ્યા
ઓસામા બિન લાદેનને ઘરમાં ઘૂસીને મારનાર અમેરિકન સીલ કમાન્ડોની ધરપકડ, જાણો શું આરોપ છે
ઉદ્ધવ ઠાકરેને વધુ એક ઝટકો : શિંદે જૂથમાં જોડાયા બાળાસાહેબના સૌથી વિશ્વાસુ સહાયક ચંપાસિંહ થાપા
મની લોન્ડરિંગ કેસમાં ફસાયા શિવસેનાના આ નેતા, EDએ તપાસ માટે ફરી બોલાવ્યા
Share This Article
Facebook Email Print
Previous Article ક્રિકેટર હાર્દિક પંડ્યા સ્વીટી હત્યા કેસમાં એક IPS ઓફિસરના સંપર્કમાં હતો, જુતાકાંડ બાદ PI દેસાઇની બદલી થઈ હતી
Next Article લો બોલો ! વાઇબ્રન્ટ ગુજરાત સરકારનું સર્વર થયું ડાઉન : ઓનલાઇન કામકાજ અટકયા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up