By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: 5070 બોગસ જીએસટી રજિસ્ટ્રેશનથી રૂ. 27000 કરોડની કરચોરી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > 5070 બોગસ જીએસટી રજિસ્ટ્રેશનથી રૂ. 27000 કરોડની કરચોરી
GeneralNational

5070 બોગસ જીએસટી રજિસ્ટ્રેશનથી રૂ. 27000 કરોડની કરચોરી

HM News
Last updated: 25/07/2023 8:40 AM
HM News
2 years ago
Share
SHARE

– નાણા મંત્રાલયે લોકસભામાં જારી કરેલા આંકડા
– પાન કે આધારની વિગતોનો દુરુપયોગ કરીને બોગસ જીએસટી રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું : નાણા મંત્રાલય
– 1 જુલાઇ, 2017થી અને 30 જૂન, 2023 સુધીમાં ઇનપુટ ટેક્સ ક્રેડિટ (આઇટીસી) કલેઇમ કરવા માટે બોગસ જીએસટી રજિસ્ટ્રેશન કરાયા હતાં
– કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા નકલી જિએસટી રજિસ્ટ્રેશન શોધવા માટે ૧૬ મેથી ૧૫ જુલાઇ સુધી વિશેષ અભિયાન ચલાવવામાં આવ્યું હતું

નવી દિલ્હી : સેન્ટ્રલ જીએસટી એડમિનિસ્ટ્રેશને પાન કે આધારની વિગતોેનો દુરુપયોગ કરીને કરવામાં આવેલ ૫૦૦૦ જીએસટી રજિસ્ટ્રેશન શોધી કાઢ્યા છે. ૧ જુલાઇ, ૨૦૧૭થી ૩૦ જૂન, ૨૦૨૩ સુધીમાં ઇનપુટ ટેક્સ ક્રેડિટ (આઇટીસી) કલેઇમ કરવા માટે પાન કે આધારની વિગતોેનો દુરુપયોગ કરીને ૫૦૦૦થી વધુ જીએસટી રજિસ્ટ્રેશન કરવામાં આવ્યા હતાં.નાણા મંત્રાલય દ્વારા લોકસભામાં રજૂ કરવામાં આવેલા આંકડાઓ અનુસાર પાન કે આધારની વિગતોેનો દુરુપયોગ કરીને કરાયેલા ૫૦૦૦ જીએસટી રજિસ્ટ્રેશનથી અત્યાર સુધી કરાયેલ ૨૭૦૦૦ કરોડ રૂપિયાની કરચોરી પકડી પાડવામાં આવી છે.આવા કેસોની સંખ્યાની દ્રષ્ટિએ મહારાષ્ટ્ર યાદીમાં પ્રથમ ક્રમે છે.રકમની દ્રષ્ટિએ દિલ્હી યાદીમાં પ્રથમ ક્રમે છે.ગુજરાતમાં સૌથી વધારે ધરપકડ કરવામાં આવી છે.

એક પ્રશ્રના લેખિત જવાબમાં કેન્દ્રીય નાણા મંત્રાલયના રાજ્ય કક્ષાના પ્રધાન પંકજ ચૌધરીએ લોકસભામાં જણાવ્યું હતું કે ૧ જુલાઇ, ૨૦૧૭થી અને ૩૦ જૂન, ૨૦૨૩ સુધીમાં ઇનપુટ ટેક્સ ક્રેડિટ (આઇટીસી) કલેઇમ કરવા માટે પાન કે આધારની વિગતોેનો દુરુપયોગ કરીને ૫૦૭૦ જીએસટી રજિસ્ટ્રેશન કરવામાં આવ્યા હતાં.આ બોગસ રજિસ્ટ્રેશનથી છેલ્લા છ વર્ષમાં ૨૭૦૦૦ કરોડ રૂપિયાની કરચોરી કરવામાં આવી છે.જેમાંથી ૯૨૩ કરોડ રિકવર કરવામાં આવ્યા છે.ઉલ્લેખનીય છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા નકલી જિએસટી રજિસ્ટ્રેશન શોધવા માટે ૧૬ મે, ૨૦૨૩થી વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.જો કે હવે પાનનું વેરિફિકેશન કરવા માટે ઓટીપી (વન ટાઇમ પાસવર્ડ) આધારિત વેરિફિકેશન પ્રક્રિયા દાખલ કરવામાં આવી છે.

રોડ-રસ્તા, બંદરોના વિકાસ માટે સરકાર બેન્ક સ્થાપશે, 13.7 અબજ ડોલરનું ફંડ હશે
પેલેસ્ટાઈની નાગરિકોનો પથ્થરમારો, ઈઝરાયેલની કાર્યવાહીમાં ૪૨ને ઈજા
હીરા ઉદ્યોગ માટે નવી ગાઇડલાઇન, આ નિયમોનું કરવું પડશે પાલન
આર્મીને દરેક સુરક્ષા પડકારોનો સામનો કરવા સજ્જ રહેવા રાજનાથની હાકલ
સુપ્રીમનો કેન્દ્ર સરકારને સવાલ- વેક્સીનની કિંમતોમાં આટલો તફાવત કેમ?
Share This Article
Facebook Email Print
Previous Article વાહ રે લાંચિયા વાહ! અધિકારી પોલીસને જોતાં જ લાંચમાં લીધેલા 5000 ગળી ગયો
Next Article મહેસુલ વિભાગે ભાંગરો વાટ્યો : મૃત સરકારી અધિકારીનો ગાંધીનગરથી બદલીનો આદેશ કર્યો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up