By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: EDએ એસોસિએટેડ જર્નલ્સ લિ. અને મોતીલાલ વોરાની 16.38 કરોડની સંપત્તિ ટાંચમાં લીધી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > EDએ એસોસિએટેડ જર્નલ્સ લિ. અને મોતીલાલ વોરાની 16.38 કરોડની સંપત્તિ ટાંચમાં લીધી
GeneralNational

EDએ એસોસિએટેડ જર્નલ્સ લિ. અને મોતીલાલ વોરાની 16.38 કરોડની સંપત્તિ ટાંચમાં લીધી

HM News
Last updated: 10/05/2020 9:31 AM
HM News
5 years ago
Share
SHARE

– નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસ અને સોનિયાની મુશ્કેલી વધી
– ઇડીએ પીએમએલએ હેઠળ કરેલ કાર્યવાહી :ટાંચમાં લેવાયેલ સંપત્તિમાં મુંબઇની 15 હજાર ચો.ફૂટમાં ફેલાયેલ નવ માળની મિલકત પણ સામેલ

નવી દિલ્હી : નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસ પાર્ટી અને વિશેષ કરીને સોનિયા ગાંધી પર નવી મુશ્કેલી આવી પડી છે.ઇડીએ પક્ષની પ્રકાશન સંસ્થા એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ(એજેએલ) અને સોનિયાના ખૂબ જ નજીક ગણાતા નેતાઓમાં સામેલ મોતીલાલ વોરાની સંપત્તિ ટાંચમાં લેવામાં આવી છે.
ઇડી દ્વારા શનિવારે જારી કરાયેલ પ્રોવિઝનલ એટેચમેન્ટ ઓર્ડર અનુસાર મની લોન્ડરિંગના એક કેસમાં આ કાર્યવાહી કરવામાં આવી છે.ટાંચમાં લેવામાં આવેલી ૧૬.૩૮ કરોડની સંપત્તિમાં મુંબઇની ૧૫ હજાર ચો.ફૂટમાં ફેલાયેલ એક નવ માળની ઇમારત પણ સામેલ છે.ઇડીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ(પીએમએલએ) એક્ટ હેઠળ આ આદેશ જારી કર્યો છે.

ઇડીએ ગયા વર્ષે મોતીલાલ વોરા અને હરિયાણાના પૂર્વ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાની વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી.પંચકૂલાના સેક્ટર છમાં પ્લોટ નંબર સી-૧૭ની ખરીદી અને કબજા સાથે જોડાયેલી પ્રક્રિયામાં પ્રત્યક્ષ રીતે સામેલ થવાના કારણે તેમનું નામ ચાર્જશીટમાં સામેલ કરવામાં આવ્યું છે. તપાસમાં જાણવા મળ્યું છે કે પ્લોટને એજીએલને વર્ષ ૧૯૮૨માં ફાળવવામાં આવ્યું હતું.જો કે એજેએલએ ઓફર લેટરની શરતો પૂર્ણ કરી ન હોવાથી ૩૦ ઓક્ટોબર, ૧૯૯૨ના રોજ આ પ્લોટ પરત લેવામાં આવ્યું હતું.

૧૯૯૬માં પુનર્વિચાર અરજી ફગાવી દેવામાં આવ્યા પછી પુર્નગ્રહણ આદેશ આપવામાં આવ્યો હતો.હુડ્ડા પર આરોપ છે કે તેમણે પોતાની સત્તાનો ઉપયોગ કરીને પ્લોટને ફરીથી એજેએલને ફાળવ્યો હતો અને તેની કીંમત અગાઉની જ રાખવામાં આવી હતી.આ આદેશ ૨૮ ઓગસ્ટ, ૨૦૦૫ના રોજ આપવામાં આવ્યો હતો.ઇડીએ સીબીઆઇની એફઆઇઆરને આધારે ૨૦૧૬માં પીએમએલએ હેઠળ ફરિયાદ દાખલ કરી હતી.મોતીલાલ વોરા એજીએલના મેનેજિંગ ડાયરેક્ટર છે.એજીએલ જ નેશનલ હેરાલ્ડ અખબારને ચલાવે છે.આ અખબારને જવાહરલાલ નહેરૃએ ૧૯૩૯માં શરૃ કર્યુ હતું.૧૯૫૬માં એજીએલ એક કંપની બની હતી. વર્ષ ૨૦૦૮માં કંપનીના તમામ પબ્લિકેશન બંધ કરી દેવામાં આવ્યા હતાં. તે વખતે કંપની પર ૯૦ કરોડ રૃપિયાનું દેવું હતું.

પ્રધાનમંત્રી ૨૯ મેએ ગુજરાતની સહકારી સંસ્થાના મહાસંમેલનને સંબોધન કરશે
રાજ્યમાં નહીં વસૂલી શકાય મન ફાવે તેમ સીટી સ્કેનના ભાવ, સરકારે નક્કી કર્યા ભાવ
ત્રીજી લહેરના સકંજામાં બાળકો આવ્યા તો મા-બાપ શું કરશે ? સુપ્રીમનો કેન્દ્રને સવાલ
મહારાષ્ટ્રમાં જોવા મળ્યું ગજબનું દ્રશ્ય, દેવેન્દ્ર ફડણવીસ અને ઉદ્ધવ ઠાકરે એક સાથે..
અમદાવાદ : સરકારી શાળામાં પડ્યો હતો લાખો રૂપિયાનો દારૂ, વિદ્યાર્થીઓને ખબર પડી અને…
Share This Article
Facebook Email Print
Previous Article શિવસેનાના મુખપત્ર સામનામાં પ્રહાર,કહ્યું ઔરંગાબાદની કરુણાંતિકા માટે સરકાર જવાબદાર
Next Article ‘No Muslim Staffs’: ચેન્નાઈમાં બેકરી માલિકની જાહેરાત મામલે ધરપકડ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up