By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: TV મીડિયા પર નિમ્ન કક્ષાની ટિપ્પણી કરનારા રૂત્વીજ પટેલે માફી માંગવી પડી, નેહરા પાછળ પડ્યાં નેતાઓ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > TV મીડિયા પર નિમ્ન કક્ષાની ટિપ્પણી કરનારા રૂત્વીજ પટેલે માફી માંગવી પડી, નેહરા પાછળ પડ્યાં નેતાઓ
AhmedabadGeneralGujarat Now

TV મીડિયા પર નિમ્ન કક્ષાની ટિપ્પણી કરનારા રૂત્વીજ પટેલે માફી માંગવી પડી, નેહરા પાછળ પડ્યાં નેતાઓ

HM News
Last updated: 26/05/2020 11:49 AM
HM News
5 years ago
Share
SHARE

અમદાવાદઃ કોરોનાની મહામારીમાં સતત લોકોની પડખે ઉભું રહેનાર અને કોરોનાનાં દર્દીઓની વ્યથા સરકાર- નાગરિકો સુધી પહોંચાડનાર મીડિયાને બદનામ કરવા હવે bjp નેતાઓ લાગી ગયા છે,કોરોનાની સ્થિતીમાં પત્રકારો ફિલ્ડવર્ક કરીને સત્ય જનતા સમક્ષ મુકી રહ્યાં છે,અનેક પત્રકારો કોરોનાનો ભોગ પણ બન્યાં છે,એવા પણ કિસ્સા છે કે પત્રકારોને કારણે અનેક દર્દીઓને મદદ મળી છે,અનેક પરપ્રાંતિય શ્રમિકોને મદદ મળી છે,હવે આ બધી બાબતોની જરા પર કદર કર્યા વગર કોરોનાના ડરથી ઘરોમાં બેઠેલા ભાજપના નેતાઓ મીડિયાને વેચાઉ કહી રહ્યાં છે,વિવાદિત યુવા ભાજપ પ્રમુખ રુત્વીજ પટેલે મીડિયા માટે નિમ્ન કક્ષાનું ટ્વીટ કરીને મીડિયાને વેચાઉં કહ્યું,આ ટ્વીટથી સ્પષ્ટ છે કે ભાજપના નેતાઓ હવે અટલજીના સંસ્કારો ભૂલી રહ્યાં છે.જેનાથી સીએમ વિજય રૂપાણી અને પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી નારાજ થયા,આખરે રૂત્વીજ પટેલે કોલર નીચો કરીને મીડિયાની માફી માંગવી પડી છે,અગાઉ એનએસયુઆઇના નેતાઓ પર હુમલો કરનારી આ ગેંગ હવે મીડિયા સામે પડી છે,સોશિયલ મીડિયા મારફતે તેઓ જે ટીવી ચેનલોને બદનામ કરી રહ્યાં છે,તે જ ચેનલોમાં જવા આ નેતાઓ ઉતાવળા હોય છે.હવે જોવું રહ્યું કે આ લોકો પાછું પોતાનું નાક કપાવીને કયા મોંઢે ટીવી ચેનલોના સ્ટુડિયોમાં નેતાગીરી કરવા અને જનતાને મુર્ખ બનાવવા જાય છે.

બીજી તરફ અમદાવાદની જનતા જેના જવાથી દુખી છે તેવા એએમસીના પૂર્વ કમિશનર વિજય નેહરાને ભાજપના નેતાઓ નિશાન બનાવી રહ્યાં છે, મીડિયાએ સત્ય બતાવ્યું તો આ લોકો મીડિયા અને નેહરાની પાછળ લાગી ગયા.કોરોનાના કેસો અને ધમણ-1 વેન્ટિલેટર મામલે ભાજપના નેતાઓમાં સત્ય બોલવાની હિંમત નથી.ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ,ભાજપના ભૂપેન્દ્ર પટેલ,અમદાવાદના ડેપ્યુંટી મેયર દિનેશ મકવાણા સહિત ભાજપ આઇટી સેલ નહેરાને બદનામ કરવામાં પોતાની જીત માને છે.

અમદાવાદની જનતા જેને સારા અધિકારી તરીકે શહેરમાં રાખવા માંગતી હતી તેમની અંગૂઠાછાપ નેતાઓએ બદલી કરી નાખી,પાછા આ લોકો નેહરા પર કોરોનાના ખોટા આંકડાઓ આપવાના આરોપ લગાવી રહ્યાં છે.જ્યારે ખોટો તો આ ભાજપના નેતાઓ છે નેહરાએ સતત અમદાવાદની જનતાને બચાવવા કામ કર્યુ છે અને ઘરોમાં બેસી રહેલા આ નેતાઓ હવે અધિકારીને બદનામ કરી રહ્યાં છે,પરંતુ ખોટી અફવાઓ ફેલાવનારા આ નેતાઓએ સત્ય સ્વીકારવું પડશે કે જનતા બધુ જ જાણે છે.ભાજપ હાઇકમાન્ડે વિચારવાનું છે કે પાર્ટીમાં રહીને પદના પાવરનો ખોટો ઉપયોગ કરનારા અને બેફામ નિવેદનો આપતા નેતાઓ પાર્ટી માટે કેટલા ઉપયોગી છે,કારણ કે રૂત્વીજ પટેલ જેવા નેતાઓના વિવાદો હવે વધી રહ્યાં છે,બાકી નુકસાન ભાજપનું જ છે,મીડિયાને ગાળો આપવાથી તમે મીડિયાનું કંઇ ઉખાડી લેવાના નથી.

ઈઝરાયલ ખાતેના ચીની રાજદૂત ડુ વેઈ મૃત મળી આવ્યા : પોલીસ તપાસનો ધમધમાટ
ભાગેડુ નીરવ મોદીની કાર, ઘડિયાળ અને પેઈન્ટિંગ્સ સહીત 112 સામાનની હરાજી
ICMRના વરિષ્ઠ વૈજ્ઞાનિકને કોરોના વાઇરસનો ચેપ લાગ્યો
ગુજરાતમાં લોકો પ્રદૂષિત પાણી પી રહ્યા છે: કેગના રિપોર્ટમાં ખુલાસો
કાપોદ્રાના ટેક્સ કન્સલટન્ટે ચારધામ યાત્રા માટે ઓનલાઇન હેલિકોપ્ટર બુકીંગમાં રૂ. 37 હજાર ગુમાવ્યા
Share This Article
Facebook Email Print
Previous Article સુરતમાં મંગળવારે બપોર સુધીમાં 31 કેસ નોંધાતા ફફડાટ
Next Article #Stop Targeting Gujarat ભાજપના નેતાઓની ટવીટર ઝુંબેશ બુમરેંગ થઈ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up