By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: જ્યારે નિયમ આધારિત વ્યવસ્થા સામે પડકાર ઉભો થતો ત્યારે બધા મૌન કેમ હતા ?
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > જ્યારે નિયમ આધારિત વ્યવસ્થા સામે પડકાર ઉભો થતો ત્યારે બધા મૌન કેમ હતા ?
GeneralNational

જ્યારે નિયમ આધારિત વ્યવસ્થા સામે પડકાર ઉભો થતો ત્યારે બધા મૌન કેમ હતા ?

HM News
Last updated: 27/04/2022 4:49 AM
HM News
3 years ago
Share
SHARE

નવી દિલ્હી : યુક્રેન ઉપર રશિયાએ કરેલાં આક્રમણનો વિરોધ કરવા માટે યુરોપીય દેશો દ્વારા નિયમ આધારિત આંતર-રાષ્ટ્રીય વ્યવસ્થાની યાદ આપવા સાથે ભારત ઉપર કરાઈ રહેલાં ભારે દબાણનો સણસણતો જવાબ આપતાં રાયસીના ડાયલોગમાં ભારતના વિદેશ મંત્રી એસ.જયશંકરે અફઘાનિસ્તાનને ઘટનાઓની યાદ આપી હતી, અને ત્યાંથી પશ્ચિમી સત્તાઓની અંધાધૂંધી ભરી પીછેહઠનો પણ ઉલ્લેખ કર્યો હતો.સાથે પૂછ્યું હતું કે તેવે સમયે નિયમ આધારીત આંતર રાષ્ટ્રીય વ્યવસ્થા સામે પડકાર ઊભો થયો હતો ત્યારે (તમે) બધા મૌન કેમ હતા ?આ સાથે રશિયા યુક્રેન યુદ્ધ અંગે તેઓએ કહ્યું હતું કે ભારત હંમેશા કહેતું આવ્યું છે કે કોઈ પણ વિવાદનો ઉકેલ ચર્ચા અને મંત્રણા દ્વારા જ લાવવો જોઇએ સાથે તેમ પણ કહ્યું હતું કે, દરેક દેશનાં સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાને માન આપવું જ જોઇએ.ઉલ્લેખનીય છે કે રાયસીના ડાયલોગ તે ભારતનાં વિદેશ મંત્રાલય દ્વારા યોજાતી ભૂ-રાજકીય પરિષદ પૈકી મુખ્ય પરિષદ છે.

આ પરિષદમાં નોર્વેના વિદેશ મંત્રી અન્નીકેન ‘હ્યુટ ફેલ્ડ’ અને લક્ઝેમ્બર્ગના વિદેશ મંત્રી એસલ બોર્ન પણ ઉપસ્થિત હતા.હ્યુટફેલ્ડે કહ્યું હતું કે રશિયાનું આક્રમણ તે એકાધિકારવાદી સત્તા દ્વારા લોકશાહી ઉપર કરાતાં આક્રમણ સમાન છે.જ્યારે એસવબોર્ને જય શંકરને પૂછ્યું હતું કે રશિયાના વિદેશમંત્રી સર્ગી લવરોવે તેમની નવી દિલ્હીના તાજેતરની મુલાકાતમાં, તેમના દેશે યુક્રેન ઉપર કરેલાં આક્રમણને ન્યાયમુક્ત ઠરાવવા પ્રયત્નો કર્યા હતા કે નહીં ? આ બંનેના પ્રશ્નોના ઉત્તરમાં એસ.જયશંકરે ઉક્ત સ્પષ્ટતા કરવા સાથે પશ્ચિમના દેશોને સણસણતા જવાબો આપ્યા હતા.

આમ છતાં તેઓએ તે સ્વીકાર્યું હતું કે યુક્રેન યુદ્ધ સિદ્ધાંતો અને મૂલ્યો, તેમજ વ્યવહારૂ પરિસ્થિતિને લીધે પણ અત્યારે મહત્ત્વનો મુદ્દો બની રહ્યું છે.કારણ કે તેથી ઇંધણના ભાવ વધી રહ્યા છે.ખાદ્યાન્નને પણ ફુગાવો ઘેરી વળ્યો છે, તેમ જ એશિયા અને આફ્રિકામાં ઘણી ઘણી બાબતો અસ્ત-વ્યસ્ત થઇ ગઈ છે.વાસ્તવમાં કોઈ પણ ઇચ્છતું નથી કે આ યુદ્ધ ચાલુ રહે કારણ કે તેમાં કોઈ વિજયી તો હશે જ નહીં.આથી જ અમે પહેલેથી જ કહ્યું છે કે આપણે તે અંગે રાજદ્વારી પદ્ધતિ અને મંત્રણાના માર્ગ ઉપર જ પાછા વળવું જોઇએ પરંતુ તે માટે સૌથી પહેલાં તો યુદ્ધ બંધ થવું જ જોઇએ.

કેજરીવાલને મોટો ઝટકો, દિલ્હી LGનો આદેશ, AAP પાસેથી વસૂલાશે 97 કરોડ
ગુજરાતમાં એન્ટી ઈન્કમબન્સી મજબૂત બને તે પૂર્વે ડેમેજ કંટ્રોલની તૈયારી
સુરતમાં 50 ટકા ક્ષમતા સાથે શરૂ થાય તે પહેલા જ ફાયર સેફ્ટીના અભાવથી 14 હોટલ-રેસ્ટોરન્ટ સીલ : જાણો ક્યાં ઝોનમાં કઈ હોટેલ સીલ કરાઈ
વેંકૈયા નાયડુના ટ્વિટર બાદ હવે RSSના દિગ્ગજ નેતાઓના એકાઉન્ટ પરથી ‘બ્લુ ટિક’ હટાવાઇ
ડાંગમાં એક મહીના બાદ કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા, આરોગ્ય વિભાગ સતર્ક
Share This Article
Facebook Email Print
Previous Article ટેસ્લા ભારતમાં ઉત્પાદન કરી શકશે પણ ચીનમાંથી આયાત કરી શકશે નહીં
Next Article પંજાબમાં બે પાવર યુનિટસ ટ્રિપ રાજ્યને 200 લાખ યુનિટસની ખેંચ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up