By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: દ. ગુજરાતમાં લાખો ટન કેરી તૈયાર : ૧૦ દિ’ માટે આવક શરૂ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Surat > દ. ગુજરાતમાં લાખો ટન કેરી તૈયાર : ૧૦ દિ’ માટે આવક શરૂ
GeneralSurat

દ. ગુજરાતમાં લાખો ટન કેરી તૈયાર : ૧૦ દિ’ માટે આવક શરૂ

HM News
Last updated: 07/05/2020 7:00 AM
HM News
5 years ago
Share
SHARE

– એપીએમસીના અધિકારીઓ સહિતના લોકોએ વેચાણ માટે બ્લુ પ્રિન્ટ કાઢી : પાંચ માર્કેટમાં વેચાણ કરવા દેવા મંજૂરી માંગી

સુરત : દક્ષિણ ગુજરાતમાં સૌથી મહત્વની ગણાતી કેરીની સીઝન આવી ગઈ છે અને હવે પછીના ૧૦ દિવસમાં ૧૦ લાખ ટન કેરીની આવક પણ શરૂ થશે પણ કોરોના વાયરસની મહામારીએ બધા સમીકરણો બદલી નાખ્યા છે ત્યારે દક્ષિણ ગુજરાતના લોકોની પ્રિય એવી કેરી તેમના સુધી કેવી રીતે પહોંચાડવી તેના માટે એપીએમસીના પદાધિકારીઓ,જિલ્લા રજીસ્ટ્રાર,બાગાયત અધિકારી અને ખેડૂત આગેવાનોની વિડીયો કોન્ફરન્સ મળી.જેમાં કેરીના વેચાણ માટેની બ્લુ પ્રિન્ટ તૈયાર કરવામાં આવી હતી.પાલિકાએ શાકભાજી વિતરણ માટે ઉભી કરેલી ૫ માર્કેટમાં કેરીના વેચાણ માટે મંજૂરી લેવા પાલિકા કમિશ્નર અને કલેકટરને પણ આજે રજૂઆત કરવામાં આવશે.બાગાયત અધિકારી દિનેશ પડાલીયા અને સુરતના જિલ્લા રજીસ્ટ્રાર (સહકારી મંડળીઓ) કમલેશ પટેલની હાજરીમાં સુરત એપીએમસીના ચેરમેન રમણ જાની,વાઈસ ચેરમેન સંદિપ દેસાઈ સહિતના આગેવાનોની કેરીના પાકનું કોરોનાના લોકડાઉનના સમયમાં વ્યવસ્થિત રીતે વેચાણ થાય તે માટેનંુ બ્લુ પ્રિન્ટ તૈયાર કરવા માટેની મીટીંગ મળી હતી.એપીએમસી ચેરમેન રમણ જાનીએ કહ્યું હતંુ કે ૧૦ દિવસમાં દક્ષિણ ગુજરાતમાંથી ૧ લાખ ટન કેરીની આવક શરૂ થશે.દર વર્ષની સ્થિતિમાં આ વર્ષે સ્થિતિ અલગ છે.કેરીનો પાક તો ખેડૂત ઉતારી લેશે પણ પરંતુ તેને વિવિધ મંડળીઓ સુધી પહોંચાડીને વિવિધ માર્કેટો સુધી કઈ રીતે પહોંચાડી શકાય તે માટેની પરવાનગીઓ સરકારી તંત્ર તરફથી મળે અને ખેડૂતોનું નુકશાન પણ નહિં જાય તે મુદ્દે ચર્ચા કરવા માટે વિડીયો કોન્ફરન્સ કરી હતી.જયારે એપીએમસીના વાઈસ ચેરમેન સંદિપ દેસાઈએ કહ્યુ હતું કે પાલિકા દ્વારા મોટા વરાછા,સિંગણપોર,ભેસ્તાન,ભિમરાડ,પાલનપુર – ભેંસાણમાં શાકભાજી વિતરણ માટે જે ગ્રાઉન્ડ ઉભા કર્યા છે ત્યાં કેરીના વેચાણ માટેની વ્યવસ્થા ઉભી કરવી જોઈએ.જેથી ખેડૂતો કેરીનું વેચાણ કરી શકે.

હિન્દુઓ ચાર બાળકો પેદા કરે, બે રાષ્ટ્રને સમર્પિત કરે : સાધ્વી ઋતુંભરા
યસ બેન્ક કેસ : ED દ્વારા મુંબઇના ઓમકાર રિયલ્ટર્સ ગ્રૂપ પર દરોડા
વિધાનસભા સત્ર દરમિયાન ભાજપના ધારાસભ્ય પોર્ન ક્લિપ જોતા જોવા મળ્યા !
રાજ્યની સુધરાઈ, જિલ્લા પંચાયત અને ગ્રામ પંચાયતની ચૂંટણી મોકૂફ
હિન્દુઓની હત્યા બંધ થશે પછી જ જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજજો : ભાજપ
Share This Article
Facebook Email Print
Previous Article દિવાળી પછી જ ઉદ્યોગ-ધંધાની ગાડી પાટે ચડશે : શ્રમિકોની ઘરવાપસીથી ઉદ્યોગ-ધંધા ‘લકવાગ્રસ્ત’
Next Article ધમધમતા ગુજરાતમાં ધબડકોઃ દોઢ મહિનો બંધનો નવો ઇતિહાસઃ ૧૭મી પછી શું ? : નવો તબકકો આવશે તેવી ચર્ચા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up