સુરત : રૂપિયા 2.70 કરોડની ચિટિંગના કેસમાં સંડોવાયેલાં ભાજપના ભૂતપૂર્વ શહેર ઉપપ્રમુખ અને પૂર્વ આઇટી અધિકારી એવા આરોપી પીવીએસ શર્માની જામીન અરજી સેશન્સ કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવી હતી.આરોપી સામે પુરાવા ઉપરાંત આઇટી અને ઇડીની ચાલી રહેલી તપાસને કોર્ટે ધ્યાનમાં લીધી હતી.ઉપરાંત સરકાર પક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાની દલીલો પણ ધ્યાને લેવાઈ હતી,જેમાં બોગસ બિલના ઉપયોગ અને ખોટુ સર્ક્યુલેશન બતાવી એડવર્ટાઇઝિંગનો ગેરલાભ લેવામાં આવ્યો હોવાનો ઉલ્લેખ હતો.આરોપી શર્માએ એક જ્વેલરને લગતી કેટલીક બાબતો સોશિયલ મિડિયા પર મૂકી હતી.અહીંથી વિવાદની શરૂઆત થઈ હતી.
Post Views: 2