By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: મધ્યપ્રદેશ ક્રાઈમ બ્રાંચે પૂર્વ CM કમલનાથ સામે નોંધી FIR, જાણો કયા ન્યૂઝને લઈ ઉઠ્યો હતો વિવાદ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > મધ્યપ્રદેશ ક્રાઈમ બ્રાંચે પૂર્વ CM કમલનાથ સામે નોંધી FIR, જાણો કયા ન્યૂઝને લઈ ઉઠ્યો હતો વિવાદ
GeneralNationalPolitics

મધ્યપ્રદેશ ક્રાઈમ બ્રાંચે પૂર્વ CM કમલનાથ સામે નોંધી FIR, જાણો કયા ન્યૂઝને લઈ ઉઠ્યો હતો વિવાદ

HM News
Last updated: 24/05/2021 7:32 AM
HM News
4 years ago
Share
SHARE

મધ્યપ્રદેશમાં કટોકટ સ્થિતિમાં સત્તા પરિવર્તન બાદ આજે સ્થિતિ એ છે કે હજુ પણ ભાજપ અને કોંગ્રેસ કાર્યકર્તાઓ વચ્ચે ઉકળતા ચરૂ જેવી સ્થિતિ છે.વાતની ગંભીરતા ત્યાં સુધીની છે કે પૂર્વ મુખ્યપ્રધાન કમલનાથ દ્વારા covid 19 પર વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યું અને બીજી તરફ મધ્યપ્રદેશ ક્રાઈમ બ્રાંચે તેમની સામે ફરિયાદ દાખલ કરી દીધી.

કમલનાથે આપેલા નિવેદન સામે ભાજપનાં કાર્યકર્તાઓએ વિરોધ દર્શાવીને આ સંદર્ભમાં પોલીસ ફરિયાદ દાખલ કરવાની માગ કરી હતી.કમલનાથ સામે કલમ 188 હેઠળ ક્રાઈમ બ્રાંચે ગુનો નોંધ્યો છે તો સાથે ડિઝાસ્ટર મેનેજમેન્ટની કલમ 54 પણ લગાડવામાં આવી છે.વિવાદ ત્યારે ઉભો થયો કે જ્યારે કમલનાથે ઉજ્જેનમાં નિવેદન આપ્યું કે ભારતીયો સાથે દુર્વ્યવહાર કરવામાં આવી રહ્યો છે.વિદેશી મીડિયા ભારતમાં કોરોનાને ઈન્ડિયન વેરિએન્ટ ગણાવી રહ્યા છે.બ્રિટનમાં ભારતીયોને ટેક્સીમાં નથી બેસાડવામાં આવી રહ્યા.આ પેહલા તેમણે મધ્યપ્રદેશ સરકાર પર મોતનાં આંકડા છુપાવવાનો આરોપ લગાડ્યો હતો.

વિવાદ ક્યાંથી વકર્યો?

મધ્યપ્રદેશ ભાજપનાં પ્રતિનિધિ મંડળે ક્રાઈમ બ્રાંચમાં જઈને આવેદનપત્ર આપ્યું હતું કે કમલનાથ સામે ફરિયાદ નોંધવામાં આવે.તેમણે જે પ્રકારે નિવેદન આપ્યું છે તે ભારતીયોની ઈમેજ વિદેશમાં બગાડનારી છે.ધારાસભ્યોની બેઠકમાં પ્રદેશમાં માહોલ બગાડવાની વાત કરવામાં આવી છે.આ બે મુખ્ય મુદ્દાઓને FIRમાં આધાર બનાવવા માગ કરવામાં આવી હતી.

કમલનાથે કહ્યું ખોટા આરોપોની પરવા નથી

ભાજપ દ્વારા દાખવવામાં આવેલી આક્રમક્તાને જોઈને કમલનાથે પ્રેસનોટ ઈશ્યુ કરી હતી.તેમણે જણાવ્યું કે તેમણે મુશ્કેલ સમયમાં સરકારને સાથ આપ્યો હતો.તેમની જવાબદારી પ્રદેશની જનતા તરફ પણ છે અને તેમને આમ મરતા છોડી શકાય નહી. સરકારનાં ખોટા કામને સમર્થન આપી શકાય નહી.પ્રદેશની જનતાનાં હિતમાં તે લડતા રહેશે, સરકારની FIRથી તેઓ ડરતા નથી.એટલે કે મધ્યપ્રદેશમાં હવે કોરોનાને લઈને રાજકારણ આરપારની સ્થિતિમાં આવી ગયું છે અને આ બહાને ભાજપ અને કોંગ્રેસનાં નેતાઓ અને કાર્યકર્તાઓ પોતાનો હિસાબ બરાબર કરવામાં લાગી ગયા છે.

રાજ્યમાં 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયત 231 તાલુકા પંચાયતની ચૂંટણીમાં આવતી કાલે મતદાન
કાગળ પર વાઘ ! માત્ર ને માત્ર સોશિયલ મીડિયામાં પ્રચારમાં ‘આપ’ સૌથી વધુ સક્રિય, કોંગ્રેસ નીરસ
વરૂણ ધવને શશાંક ખેતાનની કૉમેડી ફિલ્મ સાઇન કરી
કરદાતા પાસેથી લાંચ લેતા ઈન્ફોસિસના ત્રણ કર્મચારીઓ પકડાયા
જ્વેલરીનું વેચાણ ચાલુ વર્ષે 25 ટકા ઘટે તેવી સંભાવના
Share This Article
Facebook Email Print
Previous Article ગુજરાત-રાજસ્થાન બોર્ડર પરથી પોલીસને શંકાસ્પદ ગાડીમાંથી સાડા ચાર કરોડ રૂપિયા રોકડા મળ્યા
Next Article મોટાભાગના નાના વેપારી GST રિટર્નમાં ઈચ્છે છે રાહત
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up