By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: કોરોનાના કેસો વધીને 475, એક્ટિવ કેસ 2800 નજીક પહોંચ્યા, અમદાવાદમાં 216 કેસ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Gandhinagar > કોરોનાના કેસો વધીને 475, એક્ટિવ કેસ 2800 નજીક પહોંચ્યા, અમદાવાદમાં 216 કેસ
GandhinagarGeneral

કોરોનાના કેસો વધીને 475, એક્ટિવ કેસ 2800 નજીક પહોંચ્યા, અમદાવાદમાં 216 કેસ

HM News
Last updated: 29/06/2022 7:04 AM
HM News
3 years ago
Share
SHARE

ગાંધીનગર : ગુજરાતમાં કોરોના કેસોની સંખ્યામાં એકાંતરે જોવા મળતી વધઘટનો સિલસિલો મંગળવારે જારી રહ્યો હતો.સોમવારે નોંધાયેલાં ૩૫૧ કેસની સરખામણીએ મંગળવારે સંક્રમિતોની સંખ્યા ૧૨૫ વધીને ૪૭૫ થઈ છે.સાથોસાથ એક્ટિવ કેસની સંખ્યામાં ૨૪ કલાકમાં ૨૨૭ કેસના વધારા સાથે રાજ્યભરમાં કોરોનાના કુલ કેસ ૨૭૯૩ થઈ છે.જોકે,૨૪૮ દર્દી કોરોનાને મ્હાત આપીને સાજા થયા છે.કોરોનાના સંક્રમણથી એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી.અમદાવાદમાં સોમવારના ૧૫૫ કેસની સરખામણીએ મંગળવારે શહેરમાં ૨૧૧ અને ગ્રામ્યના પાંચ મળી કુલ ૨૧૬ કેસ નોંધાયા છે.અમદાવાદ બાદ કોરોનાના કેસોમાં બીજા ક્રમે રહેલા સુરત શહેરમાં ૭૬ અને જિલ્લામાં ત્રણ કેસ નોંધાયા છે.

છેલ્લા ચોવીસ કલાકમાં નોંધાયેલા નવા ૨૭૯૩ એક્ટિવ કેસમાં અમદાવાદ સિવાયના અન્ય મહાનગરોની સ્થિતિ જોઇએ તો વડોદરા શહેરમાં ધીમે ધીમે દર્દીઓની સંખ્યા વધી રહી છે.મંગળવારે શહેરમાં ૩૫ અને જિલ્લામાં ૧૨ કેસ નોંધાયા છે.ગાંધીનગરમાં કુલ ૧૭,વલસાડમાં ૧૧,જામનગરમાં એક જ દિવસમાં આંકડો ૨૨ કેસ સાથે આંકડો ડબલ ફીગરમાં પહોંચ્યો છે.મહેસાણામાં ૧૪ જ્યારે નવસારીમાં પણ ૧૨ કેસ નોંધાયા છે.અમરેલીમાં ૧૦,ગાંધીનગરમાં કુલ ૧૬,કચ્છમાં ૮,ભરૂચ અને વલસાડમાં ૭-૭,રાજકોટમાં કુલ ૮,બનાસકાંઠા, ખેડા અને દેવભૂમી દ્વારકામાં ૪-૪,આણંદ અને ભાવનગરમાં ૩-૩,પાટણ,ગીર સોમનાથ મહિસાગર,સાબરકાંઠા,પંચમહાલ અને સુરેન્દ્રનગરમાં નવા એક-એક કેસ નોંધાયા છે.

છેલ્લા ચોવીસ કલાકમાં ૨૪૮ દર્દી ડિસ્ચાર્જ થયા છે અને રિકવરી રેટ ૯૮ ટકા રહ્યો છે.રાજ્યના ૩૩ જિલ્લામાંથી માત્ર ૧૨ જિલ્લા જ કોરોનાના સંક્રમણથી મુક્ત રહ્યા છે.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કોરોનાને કાબુમાં લેવા માટે તમામ રાજ્યોને કોરોના પ્રોટોકોલનું ચુસ્ત પાલન અને વેક્સિનેશન પ્રક્રિયા વધુ સઘન બનાવવા તાકીદ કરી છે.મંગળવારે નોંધાયેલા ૨૭૯૩ એક્ટિવ કેસમાં તમામ દર્દીની સ્થિતિ સ્ટેબલ છે જ્યારે એક પણ દર્દી વેન્ટિલેટર પર નથી.રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ ૧૨,૧૭,૨૧૫ દર્દી ડિસ્ચાર્જ થયા છે જ્યારે અત્યાર સુધીમાં કોરોનાને કારણે ૧૦,૯૪૬ દર્દીનાં મૃત્યુ થયા છે.

ભાજપ સરકાર સામે ઊઠતા અવાજ સામે ગુજરાત ભાજપે FB, ટ્વિટર, વોટ્સએપમાં મેસેજ ફેલાવવા યુવાનોની ભરતી શરૂ કરી
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ 3 દિવસ ગુજરાતના પ્રવાસે, ચૂંટણીને લઇને રણનિતિ તૈયાર
અમિત શાહ આજે વડોદરાની મુલાકાતે… સુરસાગર તળાવનું લોકાર્પણ કરશે
બલિયા હત્યાકાંડ: મુખ્ય આરોપી ભાજપ નેતા સહિત ચાર ઝડપાયા: કુલ 10 લોકોની ધરપકડ
ભારતને મોટો ફટકો : રસોઈ માટે તેલ વધુ મોંઘું થશે
Share This Article
Facebook Email Print
Previous Article નુપુર શર્મા વિવાદઃ ઉદયપુરમાં ઈસ્લામના અપમાન બદલ તાલિબાન સ્ટાઈલથી યુવકને રહેંસી નખાયો
Next Article ઇસ્કોન ફ્લાયઓવરથી સાણંદ ફ્લાયઓવર વચ્ચે 4 કિ.મી. લંબાઇના ૩ એલિવેટેડ ફ્લાયઓવર બનાવાશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up