અમદાવાદ : ગુરુવાર : અમદાવાદનું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બુધવારે મોડી રાતે ખૂંખાર ચિત્તાઓના અવાજથી ગૂંજી ઉઠયું હતુ.જામનગરમાં એશિયાના સૌથી મોટા પ્રાણીસંગ્રાલયના નિર્માણનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે અમદાવાદના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખાતે બુધવારે મોડી રાતે એક કાર્ગો વિમાનમાં દક્ષિણ આફ્રિકાથી ૪૦ જેટલા ચિત્તાઓને લાવવમાં આવ્યા હતા.આ ચિત્તાઓને જામનગર ખાતે સહી સલામત રીતે પહોંચાડવા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી.
અમદાવાદ એરપોર્ટ પર દક્ષિણ આફ્રિકાના મોરકકોથી આજે બીજી ફ્લાઇટનું આગમન થયું હતું.બેલારૃસના કાર્ગો વિમાનમાં ૪૦ જેટલા ચિત્તાઓને અમદાવાદ એરપોર્ટ પર બુધવારે રાતે આઠ કલાકે લાવમમાં આવ્યા હતા.આ તમામ પ્રાણીઓનું કસ્ટમ્સ અને ઇમિગ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી.મહત્વનું એ છે કે ચિત્તાઓને બાય રોડ લઈ જવા મુશ્કેલ હોવાથી આ ઈન્ટરનેશનલ કાર્ગો વિમાનને ડોમેસ્ટિક કરીને અમદાવાદથી રાતે ૧૧ કલાકે ટેકઆફ થયું હતું અને જામનગર ખાતે રાતે ૧૨થ૧૫ વાગ્યાની આસપાસ પહોંચ્યું હતું.
જામનગર ડિફેન્સ બેઝ એરપોર્ટ હોવાથી બીજા અન્ય શેડયુલ કે નોન શેડયુલ ફ્લાઇટને નાઈટ લેન્ડીગ મંજૂરી આપવામાં આવતી નથી.પણ આ પ્રાણીઓ જામનગર એરપોર્ટ પર ડિફેન્સની પરવાનગી લઈ કાર્ગો વિમાનને લેન્ડ કરાવવામાં આવ્યું હતું.જ્યાં વિમાનમાંથી ફોરેસ્ટ ખાતાના અધિકારીઓની સ્પેશિયલ ટીમે રેસ્ક્યુ કરી ચિત્તાઓને સ્પેશ્યલ ટ્રેલરમાં બહાર કાઢી તેમની જગ્યા પર સહી સલામત પહોંચાડવામાં આવ્યા હતા.
નોંધનીય છે કે અમદાવાદ એરપોર્ટ પર ગત ૧૮ મેના રોજ દ.આફ્રિકાથી ૯૫ જેટલા વિવિધ પ્રાણીઓને કાર્ગો વિમાનમાં અમદાવાદ એરપોર્ટ પર લાવવામાં આવ્યા હતા જ્યાં તમને બાય રોડ જામનગર લઈ જવાયા હતા.જેમાં વાઘ,ચિત્તા,રીંછ,જંગલી બિલાડી જગુઆર,શાહુડીનો પૈકી સમાવેશ થાય છે.પણ આ વખતે પ્રાણીઓને અમદાવાદથી જામનગર વિમાન મારફતે લાવવામાં આવ્યા હતા.આ વિમાન ખાલી જામનગરથી ગુરુવારે બપોરે ૨ઃ૨૦ કલાકે અમદાવાદ આવ્યું હતું.અમદાવાદથી બપોરે ચાર કલાકે ટેકઆફ થયું હતું.


