By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ઉત્તરપ્રદેશ રાજ્યસભા ચૂંટણીમાં ભાજપના તમામ 8 ઉમેદવારો જીત્યા, અખિલેશ યાદવને સૌથી મોટો ઝટકો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ઉત્તરપ્રદેશ રાજ્યસભા ચૂંટણીમાં ભાજપના તમામ 8 ઉમેદવારો જીત્યા, અખિલેશ યાદવને સૌથી મોટો ઝટકો
GeneralNationalPolitics

ઉત્તરપ્રદેશ રાજ્યસભા ચૂંટણીમાં ભાજપના તમામ 8 ઉમેદવારો જીત્યા, અખિલેશ યાદવને સૌથી મોટો ઝટકો

HM News
Last updated: 28/02/2024 11:37 AM
HM News
1 year ago
Share
PC : Twitter
SHARE

રાજ્યસભાની 15 બેઠકોની ચૂંટણીના પરિણામો હવે જાહેર થઈ ગયા છે,જ્યાં એક તરફ હિમાચલ પ્રદેશમાં ભાજપના ઉમેદવારની જીતથી કોંગ્રેસની સરકાર અલ્પમતમાં હોવાના સંકેત મળ્યા છે,જ્યારે ભાજપે ઉત્તર પ્રદેશમાં પૂર્વ સીએમ અને સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ સાથે સૌથી મોટો ખેલા થયો છે.યુપીમાં ભાજપના તમામ 8 ઉમેદવારોની જીત થઈ છે.જ્યારે સપાના ત્રીજા ઉમેદવારને પોતાની જ કેમ્પના ધારાસભ્યોએ મોટો ઝટકો આપ્યો છે.

સપાના ઉમેદવાર જયા બચ્ચનને સૌથી વધુ મત મળ્યા

યુપીમાં યોજાયેલી રાજ્યસભાની ચૂંટણીના પરિણામો આવી ગયા છે.ભાજપે આઠ બેઠકો જીતી છે,જ્યારે સપાએ બે બેઠકો જીતી છે.સપાના ઉમેદવાર જયા બચ્ચનને સૌથી વધુ મત મળ્યા હતા.ભાજપને ક્રોસ વોટિંગનો સ્પષ્ટ ફાયદો મળ્યો હતો અને તેના આઠમા ઉમેદવાર પણ જીત્યા હતા.ભાજપે પહેલા યુપીમાં રાજ્યસભા માટે માત્ર 7 ઉમેદવારો જ ઉતાર્યા હતા પરંતુ આરએલડી એનડીમાં આવ્યા બાદ પાર્ટીએ મુલાયમ સિંહ યાદવના નજીકના સંજય શેઠને અચાનક જ પોતાના 8મા ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા હતા.બીજી તરફ સપાએ આલોક રંજનને ત્રીજા નંબરે ઉતાર્યા હતા.મતદાન દરમિયાન સમાજવાદી પાર્ટીના અનેક ઉમેદવારોએ ક્રોસ વોટિંગ કર્યું હતું,જેના કારણે સંજય શેઠ રાજ્યસભામાં પહોંચ્યા હતા જ્યારે આલોક રંજન હારી ગયા હતા.

અખિલેશ પર ભારે પડી ક્રોસ વોટિંગ

રાજ્યસભાની ચૂંટણી માટે મતદાન દરમિયાન સપાના ધારાસભ્યો દ્વારા ક્રોસ વોટિંગના સમાચાર આવ્યા ત્યારે આ ક્રોસ વોટિંગને કારણે ભાજપના સંજય શેઠની જીત થશે તે નક્કી થયું હતું.હવે અંતિમ પરિણામોએ પણ સંજય શેઠની જીત પર મહોર મારી દીધી છે.સપાના કેટલાક વાંધાને કારણે મતગણતરી બંધ કરવામાં આવી હતી,પરંતુ તે બધાને નકારી કાઢવામાં આવ્યા હતા.આ પછી જ્યારે પુનઃગણતરી શરૂ થઈ ત્યારે થોડા જ સમયમાં સમગ્ર ચિત્ર સ્પષ્ટ થઈ ગયું હતું,જેમાં સપાની હાર જાહેર કરવામાં આવી હતી.

કયા ઉમેદવારને કેટલા મત મળ્યા?

– જયા બચ્ચનને 41 મત
– અમરપાલ મૌર્યને 38 મત
– તેજવીર સિંહને 38 મત
– નવીન જૈનને 38 મત
– સાધના સિંહને 38 મત
– સુધાંશુ ત્રિવેદીને 38 મત
– સંગીતા બલવંતને 38 મત
– આરપીએન સિંહને 37 મત
– રામજી લાલને 37 મત
– આલોક રંજનને 19 મત

સૌરાષ્ટ્ર પાટીલ-રૂપાણી કેમ્પમાં વહેચાયું? ટેલીગ્રામમાં પણ રેસ
UPના CM યોગી આદિત્યનાથના પિતાનું દિલ્હી AIIMSમાં નિધન
વાઇરસ ફેલાવવો આતંકી કૃત્ય સમાન : અમેરિકી સંસદમાં ચીન વિરૃદ્ધ દાવો માંડવા અંગે પ્રસ્તાવ પાસ
શ્રી કાશી વિશ્વનાથ મંદિરમાં બાબાને સ્પર્શ કરવા પર ચાર્જ વસુલાશે
ગુજરાત જમીન વિકાસ નિગમના વર્ગ-3 નિવૃત્ત કર્મચારી પાસેથી 1 કરોડની મિલકતો મળી આવી
Share This Article
Facebook Email Print
Previous Article ગેરકાયદે માઇનિંગ કેસમાં CBIએ સપા ચીફ અખિલેશ યાદવને સમન્સ પાઠવ્યું, જાણો આખો મામલો
Next Article HM SUPER EXCLUSIVE : ગુજરાતના સ્ટેટ GST કમિશનર ચંદ્રકાન્ત વળવીએ મહારાષ્ટ્રમાં પાડયો 620 એકર જમીનનો ખેલ : એક રાજનેતાના તાર પણ જોડાયા !
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up