By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: વહીવટી ખુરશીઓ ખાલી…ખાલી…રાજ્ય સરકાર ભરતીના આંકડા જાહેર કરે છે, નિવૃતિના નહિ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Gandhinagar > વહીવટી ખુરશીઓ ખાલી…ખાલી…રાજ્ય સરકાર ભરતીના આંકડા જાહેર કરે છે, નિવૃતિના નહિ
GandhinagarGeneralPolitics

વહીવટી ખુરશીઓ ખાલી…ખાલી…રાજ્ય સરકાર ભરતીના આંકડા જાહેર કરે છે, નિવૃતિના નહિ

HM News
Last updated: 29/02/2020 8:42 AM
HM News
5 years ago
Share
SHARE

વિધાનસભામાં સરકારને વેધક બાણોથી વિંધતા કોંગ્રેસી ધારાસભ્ય બ્રિજેશ મેરજા

મોરબી વિધાનસભા વિસ્તારના કોંગ્રેસના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ વિધાનસભામાં રાજ્યપાલના પ્રવચન પર આભાર પ્રસ્તાવ વખતે રાજ્યની ભાજપ સરકાર પર વિવેકપૂર્ણ આકરા  પ્રહારો કર્યા હતા. તેમણે મશહૂર હુએ વો જો કાબેલ નહિ થે… જેવી પંકિતનો ઉપયોગ કરી પોતાના વકતવ્યને પ્રભાવક બનાવ્યુ હતું. બ્રિજેશ મેરજાએ જણાવેલ  કે, સરકારની અકિલા કરણી અને કથનીમાં ફેર છે. સરદાર પટેલનો જન્મ દિન ગૌરવભેર રાષ્ટ્રીય એકતા દિન તરીકે ઉજવીએ છીએ પરંતુ તેમના જેવા દૂરંદેશીપણામાં  સરકાર કયાંક ઉણી ઉતરી છે. ૧૯૯૬ના વાવાઝોડા વખતે હું નવલખી બંદર વિસ્તારમાં  પ્રજાની પડખે ઉભો હતો. નવલખીના એ વિસ્થાપિતો માટે આજે પણ સરકાર પીવાનું પાણી, વિજળી, શિક્ષણ અને આવાસ આપી શકી નથી. કેટલાય વર્ષોથી ગુડ ગવર્નન્સની દુહાઈ અપાય છે. અહીં બેઠેલ ધારાસભ્યો એક દિવસ પૂર્વ  ધારાસભ્ય થઈ જવાના છે. ૨૬ રાજ્યોમાં તેમા નિર્વાહ ભથ્થુ અપાય છે તો આ ભૂતપૂર્વ ધારાસભ્યોનો શું ગુન્હો છે ? સરકારી ભરતી પ્રક્રિયામાં પારદર્શકતા  લુપ્ત થતી જાય છે. દર વર્ષે આપણે કેટલી ભરતી કરી ? તેના આંકડા જાહેર કરીએ છીએ પણ કેટલા નિવૃત થયા ? તે ખાનગીમાં તો અમને કહો. દરેક વિભાગ ચાર્જમાં ચાલે છે. એક અધિકારી પાસે અનેક ચાર્જ હોય તો ન ઘરનો ન ઘાટનો રહી શકે. છેલ્લા ૪ વર્ષથી પ્રાથમિક શિક્ષકોની ભરતી થઈ નથી. મોટી બરારમાં  હાઈસ્કૂલ માટે રૂ. ૬૦ લાખ બે વર્ષથી મંજુર થયા છે પરંતુ તેનુ મકાન બનતુ નથી. ખેડૂતોના દેવા કેમ માફ કરતા નથી ? પાક વિમો કેમ સમયસર ચૂકવતા નથી ? સરકારે લોકોના પ્રશ્નો પર પુરતુ ધ્યાન આપવું જોઈએ. અંબાજીના મંદિર સર્કલને સ્વ. પંકજસિંહનું નામ આપો : દિવંગત ડે. કલેકટરને યાદ કરતા બ્રિજેશ મેરજા રાજકોટઃ. રાજ્યમાં નિષ્ઠાવાન અધિકારી તરીકે જાણીતા ડે. કલેકટર શ્રી પંકજસિંહ જાડેજા પરિવાર સાથે અકસ્માતનો ભોગ બનેલ. આ ઘટનાનો બ્રિજેશ મેરજાએ વિધાનસભામાં પોતાના વકતવ્ય વખતે ઉલ્લેખ કરી સ્વ. પંકજસિંહની સેવાને બિરદાવી હતી. સ્વ. પંકજસિંહ એક સમયે બનાસકાંઠાના સુપ્રસિદ્ધ તિર્થસ્થાન અંબાજી ટ્રસ્ટના વહીવટદાર હતા. તેથી તેમની યાદમાં અંબાજી સર્કલને તેમના નામ સાથે જોડી સન્માન આપવું જોઈએ તેવુ તેમણે સૂચન કર્યુ હતું.

આનંદો ! 7 લાખ સરકારી કર્મચારીઓને થશે લાભ, મે મહિનામાં થશે રૂપિયાનો વરસાદ
ચીનના દાંત ખાટા કરી દેવા હવે ભારત પણ તૈયાર : 6 રાઉન્ડની વાતચીત ફેલ, ટોપલેવલની આજે બેઠક થઈ
કોરોનાઃ મહારાષ્ટ્ર-દિલ્હી બાદ ગુજરાત ત્રીજા ક્રમે
ICICI ફ્રોડ કેસ : CBIએ ચંદા કોચર બાદ વીડિયોકોનના ચેરમેન વેણુગોપાલ ધૂતની ધરપકડ કરી
EDએ BYJU’Sના સહ-સ્થાપકના પરિસર પર દરોડા પાડ્યા
Share This Article
Facebook Email Print
Previous Article અમદાવાદના કોં કોર્પોરેટરની ફેસબુકમાં વિવાદાસ્પદ પોસ્ટ એએમસીના અધિકારીને નામ જોગ ‘તોડબાજ’ કહેતા ખળભળાટ
Next Article પાકિસ્તાનને ગુગલ અને ફેસબુકે આપી આ ધમકી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up