[weather_data]
Breaking News
TRENDING NEWS

અંબાજી મંદિર પરિસરમાં જ કોરોનાની મહામારીના નાશ માટે તેમજ વિસ્વ કલ્યાણ અર્થે સહસ્ત્રચંડી યજ્ઞ નો પ્રારંભ કરાવ્યો

[updated_date] [post_views]

Table of Content

અંબાજી 27 ઓગસ્ટ : અંબાજીમાં વર્ષ પરંપરા ગત રીતે ભરાતો ભાદરવી પુનમ નો મેળો આજ થી શરૂઆત થઇ રહી હતી જ્યાં કોરોનાના સંક્ર્મણ ને લઈ આજથી શરૂ થતો ભાદરવી પૂનમ નો મેળો જ્યાં અંબાજી મંદિર પરિષર લાલ ધજા પતાકાઓ સાથે બોલમાડી અંબે જય જય અંબે ના નાદ થી ધુજી ઉઠતું હતું ત્યાં આજે આ મેળો રદ કરાતા સમગ્ર અંબાજી મંદિર પરિષર માં જાણે સન્નાટો છવાયો હોય તેમ સુમસામ જોવા મળી રહ્યું છે

કોરોના સંક્ર્મણ ને લઈ મેળા સહીત મંદિર માં દર્શન પણ બંધ કરાયા છે તેના બદલે જિલ્લા કલેકટર અને અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ ના ચેરમેન દ્વારા મંદિર પરિષર માં જ કોરોના ની મહામારી ના નાશ માટે તેમજ વિસ્વ કલ્યાણ અર્થે યજ્ઞશાળા માં સહસ્ત્રચંડી યજ્ઞ નો પ્રારંભ કરાવ્યો હતો આ યજ્ઞ 80 બ્રાહ્મણો દ્વારા મેળા દરમિયાન ના સાત દિવસ સુધી ચાલશે આમતો અંબાજી મંદિર કલેકટરના આદેશ અનુસાર 4 તારીખ સુધી બંધ રહેનાર હતું પણ શ્રદ્ધાળુઓ ની લાગણી ને લઈ અંબાજી મંદિર 3 સપ્ટેમ્બરે ખોલી દેવાસે તેમ કલેકટરે જણાવ્યું હતું. કોરોનાની મહામારી ના પગલે અંબાજી મંદિર ખુલ્યા બાદ માતાજી ના રાજભોગ નો પ્રસાદ સહીત ટ્રસ્ટ નો ભોજનાલય બંધ કરી દેવામાં આવ્યું હતું પણ હવે યાત્રિકો ની લાગણી અને માંગણી ને લઈ હવે ત્રીજી તારીખ થી મંદિર ખુલવાની સાથે માતાજી નો પ્રસાદ અને ભોજનાલય બન્ને શરૂ કરી દેવાશે તેમ જિલ્લા કલેકટરસંદીપ સાંગલે એ આ પ્રંસગે જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published.

Recent Posts

Related Articles