By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: અગ્નિપથ યોજનાઃ લશ્કરી દળોમાં 4 વર્ષ માટે અગ્નિવીરોની ભરતી કરાશે
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > અગ્નિપથ યોજનાઃ લશ્કરી દળોમાં 4 વર્ષ માટે અગ્નિવીરોની ભરતી કરાશે
GeneralNational

અગ્નિપથ યોજનાઃ લશ્કરી દળોમાં 4 વર્ષ માટે અગ્નિવીરોની ભરતી કરાશે

HM News
Last updated: 15/06/2022 6:15 AM
HM News
3 years ago
Share
SHARE

નવી દિલ્હી : સરકારે લશ્કરી દળોમાં સૈનિકોની ભરતીની સિસ્ટમમાં ધરખમ સુધારાની જાહેરાત કરી છે.આર્મી,નેવી અને એરફોર્સમાં સૈનિકોની ભરતી માટે અગ્નિપથ નામની યોજનાની જાહેરાત કરાઈ છે.આ યોજના હેઠળ ચાર વર્ષના ટૂંકા ગાળામાં કોન્ટ્રાક્ટને આધારે સૈનિકોની ભરતી કરાશે.સરકારના વેતન અને પેન્શનના વધતા જતાં ખર્ચમાં ઘટાડો કરવા તથા લશ્કરી દળોમાં યુવાનોની સંખ્યામાં વધારો થાય તે હેતુસર આ યોજના લવાઈ છે.આ સ્કીમ હેઠળ લશ્કરની ત્રણેય પાંખમાં 17.5 વર્ષથી 21 વર્ષની વયજૂથમાં આવતા આશરે 46,000 યુવાનોની સૈનિક તરીકે ભરતી થશે.આ ભરતી ઓલ ઇન્ડિયા-ઓલ ક્લાસ બેસિસ હશે.તેનાથી ચોક્કસ પ્રદેશો અને ચોક્કસ જ્ઞાતિ(રાજપૂત,જાટ,શિખ)માંથી યુવાનોની ભરતી કરતી કેટલીક રિજિમેન્ટમાં ફેરફાર થશે.ભરતીના ચાર વર્ષ પૂરા થયા બાદ દરેક બેચમાંથી 25 ટકા સૈનિકોને રેગ્યુલર સૈનિકો તરીકે જાળવી રખાશે.

ભરતીના પ્રથમ વર્ષે અગ્નિવીરનું માસિક વેતન ~30,000 હશે. તેમાંથી તેના હાથમાં ~21,000 આવશે.બીજા,ત્રીજા અને ચોથા વર્ષે અગ્નિવીરનું કુલ વેતન અનુક્રમે ~33,000,36,500 અને~40,000 રહેશે.દરેક અગ્નિવીરને સેવા નીધિ પેકેજ તરીકે ~11.71 લાખની રકમ મળશે અને તેને આવકવેરામાં મુક્તિ મળશે. ભરતીની પ્રક્રિયા આગામી 90 દિવસમાં ચાલુ થશે.સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિએ આ યોજના મંજૂરી આપ્યા બાદ સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે આ નવી પહેલની વિગતો આપી હતી.ત્રણેય લશ્કરી વડાઓની હાજરીમાં રાજનાથ સિંહે જણાવ્યું હતું કે દેશની સુરક્ષામાં વધારો કરવા આ સ્કીમ લાવવામાં આવી છે.આ સ્કીમ તાકીદની અસરથી અમલી બનશે અને તે લશ્કરી દળોની ત્રણેય પાંખમાં ભરતી માટે લાગુ પડશે.અગ્નિપથ સ્કીમ હેઠળ ભરતી થયેલા સૈનિકોને ગ્રેજ્યુઇટી કે પેન્શનના લાભ મળશે નહીં.અગ્નિવીરોને લશ્કરી દળોમાં કાયમી ભરતીની તક પણ ઓફર કરાશે.સૈનિકોની ભરતી માટે શારીરિક,મેડિકલ અને પ્રોફેશનલ ધોરણોમાં કોઇ સમાધાન કરાશે નહીં.

કોરોના વકર્યો : દેશમાં ૨,૫૩૬ પોઝિટિવ કેસ, કુલ ૭૦નાં મોત
ચીનની વિરુદ્ધ ગંભીર તપાસ, અબજો ડોલરનો દંડ વસૂલાશે : ટ્રમ્પ
કેન્દ્ર સરકાર ૫૦ વિલફુલ ડિફોલ્ટરના નામ જણાવે : રાહુલ ગાંધી
ભાજપના મંત્રીઓની કમલમમાં ડયુટી શરૂ,પાટીલ ઉવાચ : સચિવાલયમાં નહીં, કમલમમાંથી ‘વહિવટ’ થશે
કોરોના વાયરસ સામે લડવા સુરતની સોસાયટીએ લગાવ્યું બોર્ડ
Share This Article
Facebook Email Print
Previous Article ઝાયડસના ચેરમેન પંકજ પટેલ RBIના બોર્ડમાં ડિરેક્ટર તરીકે નિયુક્ત
Next Article પપ્પાના લીધે બોલિવૂડમાં એન્ટ્રી સરળ રહી : અહાન શેટ્ટી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up