પટના : તા.16 જૂન 2022, ગુરૂવાર : અગ્નિપથ યોજનાના વિરોધમાં બીજા દિવસે પણ પ્રદર્શન ચાલું છે.ખાસ કરીને બિહારમાં યુવાનો કેન્દ્રની યોજનાના વિરોધમાં પ્રદર્શન કરી રહ્યા છે.બીજી તરફ ગુરૂવારે પ્રદેશના જહાનાબાદમાં પ્રદર્શનની ખબરો સામે આવી રહી છે.ત્યાં યુવાનોએ અગ્નિપથ યોજનાના વિરોધમાં કાકો મોર પાસે આગ લગાવીને NH-83 અને NH-110ને બ્લોક કરી દીધા છે.તેઓ કેન્દ્ર સરકારની વિરોધમાં સૂત્રોચ્ચાર કરી રહ્યા છે.બીજી તરફ કેટલાક યુવાનો રેલવે ટ્રેક પર પર ધરણા પ્રદર્શન કરી રહ્યા છે.જેના કારણે પટના-ગયા રેલ્વે લાઈન પર વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે.
1.બિહારના વિભિન્ન જિલ્લાઓમાં 17 વર્ષથી 21 વર્ષ સુધીના યુવાનોએ 4 વર્ષ માટે સેનામાં કરાર ભરતી અને મોટા ભાગનાને પેન્શન અને ગ્રેજ્યુટી વગર અનિવાર્ય સેવાનિવૃતિ આપવાની કેન્દ્ર દ્વારા શરૂ કરવામાં આવેલી અગ્નિપથ યોજનાનો વિરોધ કરતા બુધવારે યુવાનોએ રેલવે અને માર્ગ પરિવહનમાં અવરોધ ઊભા કર્યા હતા.
2. બક્સર જિલ્લામાં 100થી વધુ સંખ્યામાં રેલવે સ્ટેશન પહોંચેલા યુવાનો ટ્રેક પર બેસી ગયા હતા જેના કારણે પટના જતી જન શતાબ્દી એક્સપ્રેસની આગળની મુસાફરી લગભગ 30 મિનિટ સુધી ખોરવાઈ ગઈ હતી.
3. યુવાનોનું આ વિરોધ પ્રદર્શન આરપીએફ પોસ્ટ પ્રભારી દીપક કુમાર તથા જીઆરપી એસએચઓ રામાશીષ પ્રસાદના નેતૃત્વમાં પહોંચેલી પોલીસ ટીમ દ્વારા સમજાવ્યા બાદ સમાપ્ત થયું.
4. મુઝફ્ફરપુર શહેરમાં મોટી સંખ્યામાં સેનાના ઉમેદવારોએ ચક્કર મેદાન જ્યાં તેઓ મોટી સંખ્યામાં શારીરિક પરીક્ષણ માટે આવે છે જે જવાનો માટે અનિવાર્ય છે.તેની ચારેય બાજુ રસ્તાઓ પર ટાયર સળગાવીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.
5. સેનામાં ભરતીના અનેક ઉમેદવારોએ કલેક્ટર તરફ માર્ચ કર્યું હતું જ્યાં તેમણે જિલ્લા અધિકારીને એક આવેદનપત્ર સોંપ્યું હતું.મુઝફ્ફરપુરમાં પ્રદર્શનકારીઓને નિયંત્રિત કરવા માટે પોલીસને લાઠીચાર્જનો સહારો લેવો પડ્યો હતો.
6. આ દરમિયાન બિહાર વિધાનસભામાં વિપક્ષના નેતા તેજસ્વી યાદવે ટ્વીટ કર્યું હતું,જો દેશના સૌથી મોટા નોકરીદાતાઓ ભારતીય રેલ્વે અને આર્મીમાં કોન્ટ્રાક્ટ અને વહીવટી સેવામાં લેટરલ એન્ટ્રીના નામ પર નોકરીઓ આપવામાં આવશે તો યુવાનો શું કરશે? તેમણે કટાક્ષ કરતાં કહ્યું કે,શું યુવાનો અભ્યાસ અને ચાર વર્ષની કોન્ટ્રાક્ટની નોકરી ભવિષ્યમાં ભાજપના મૂડીવાદી મિત્રોના ધંધાકીય પાયાની રક્ષા કરવા માટે કરશે?
7. રાજસ્થાનની રાજધાની જયપુરના કરધની પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ કેન્દ્ર સરકારની સેનામાં ભરતીની નવી અગ્નિપથ યોજના તથા ભરતી સાથે સબંધિત અન્ય મુદ્દાઓને લઈને યુવાનોએ બુધવારે અજમેર-દિલ્હી એક્સપ્રેસ વે રાજમાર્ગ પર વિરોધ પ્રદર્શન કર્યું હતું.પોલીસે આ જાણકારી આપી હતી.
8. તેમણે જણાવ્યું કે,10 યુવાનોની શાંતિ ભંગ કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે.
9. કરધની એસએચઓ બનવારી લાલે જણાવ્યું કે,બપોરે લગભગ 150-200 યુવાનોએ અજમેર-દિલ્હી એક્સપ્રેસ હાઈવે પર સેનામાં પેન્ડિંગ ભરતી,સેનામાં ભરતી માટે લેખિત પરીક્ષા આયોજિત ન કરવા સબંધી માંગોને લઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું.

